ભારે વરસાદના કારણે તમિલનાડ઼ુમાં જન જીવન અસ્તવ્યસ્ત, 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાને પગલે તંત્રની લોકોને ઘરમાં રહેવાની સલાહ

|

Nov 11, 2021 | 3:31 PM

હવામાનશાસ્ત્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એસ બાલચંદ્રને જણાવ્યું હતું કે ચેન્નાઈ, કાંચીપુરમ અને વિલપુરમ સહિત ઉત્તરી તમિલનાડુના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

ભારે વરસાદના કારણે તમિલનાડ઼ુમાં જન જીવન અસ્તવ્યસ્ત, 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાને પગલે તંત્રની લોકોને ઘરમાં રહેવાની સલાહ
heavy-rains-disrupt-life-in-tamil-nadu-with-winds-blowing-at-45-kmph-advising-people-to-stay-indoors

Follow us on

હવામાન વિભાગે(Meteorological Department) ઉત્તર તમિલનાડુ(Tamil Nadu)ના ચેન્નાઈ, કાંચીપુરમ અને વિલપુરમ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ(Rain)ની સંભાવના વ્યક્ત કરી છે. બંગાળની ખાડી પરનું હવાનું દબાણ આજે સાંજે ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશ વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે અને 45 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો શહેરમાં ત્રાટકશે, હવામાન વિભાગે આ અંગે ગુરુવારે માહિતી આપી હતી.

હવામાનશાસ્ત્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એસ બાલચંદ્રને જણાવ્યું હતું કે ઉત્તરી તમિલનાડુના ચેન્નાઈ, કાંચીપુરમ અને વિલપુરમ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની અપેક્ષા છે, જ્યારે શહેર અને નગરોમાં આખી રાત ભારે વરસાદ પડ્યો હતો.

પરિસ્થિતિનું સતત નિરીક્ષણ
તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે પવન આજે સાંજ સુધીમાં પશ્ચિમ/ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ચેન્નાઈની આસપાસના ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠા અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે.

45 કિમી પ્રતિ કલાકની ઝડપે “મજબૂત સપાટીના પવનો” ફૂંકાશે. તેમણે કહ્યું કે લોકોએ બિનજરૂરી રીતે બહાર ન નીકળવું જોઈએ. હવામાન વિભાગ તરફથી નવા આંકડાઓને ટાંકીને કહેવામાં આવ્યુ કે તાંબરમ (ચેંગલપેટ ડીટી)માં 232.9 મીમી, ચોલાવરમ (220 મીમી) અને એન્નોર 205 મીમી વરસાદ નોંધાયો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લોકોના  હાલ થયા બેહાલ

તમિલનાડુમાં એવી પરિસ્થિતિ છે કે લોકોને ખાવા કે સૂવા માટે કોઈ જગ્યા નથી મળી રહી.અનેક સ્થળે ભારે પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે. પાણી ભરાવાને કારણે લગભગ 35થી 40 હજાર રહેવાસીઓ પ્રભાવિત થયા છે. લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો પાણીમાં તણાઇ ગયાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે. લોકોને રહેવા માટે કોઇ સ્થળ મળી રહ્યુ નથી.

ઝૂપડપટ્ટીઓમાં વરસાદી પાણી ઘૂસી જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.લોકો તંત્ર પાસે મદદની અપેક્ષાઓ રાખી રહ્યા છે. પાણીનો નિકાલ ન થવાના કારણે ગટરના વહેતા પાણીથી દુર્ગંધ આવી રહી છે ત્યારે હવે કુદરત વધુ તબાહી ન મચાવે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Success Story: લંડનમાં અભ્યાસ કરી પરત આવી આ યુવક ચલાવે છે ઓટોમેટિક ડેરી ફાર્મ, ચીપથી ટ્રેક થાય છે ગાયોનો રેકોર્ડ

આ પણ વાંચોઃ ”પદ્મશ્રી”થી સન્માનિત કંગનાનો બફાટ ‘1947 માં ભીખ માંગીને મળી આઝાદી’, વરુણ ગાંધીએ પુછ્યું આને પાગલપન કહેવું જોઈએ કે દેશદ્રોહ ?

 

Next Article