AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News: સરકારે આ કારણે બ્લોક કરી 22 YouTube ચેનલ, જાણો શું કહ્યું પ્રસારણ મંત્રાલયે

આ એકાઉન્ટ્સ અને ચેનલોનો ઉપયોગ સોશિયલ મીડિયા પર સંવેદનશીલ અને ખોટી માહિતી ફેલાવવા અને ભારતની સુરક્ષા, વિદેશ નીતિ અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત બાબતો પર ફેક ન્યૂઝ ફેલાવવા માટે કરવામાં આવતો હતો.

Tech News: સરકારે આ કારણે બ્લોક કરી 22 YouTube ચેનલ, જાણો શું કહ્યું પ્રસારણ મંત્રાલયે
YouTube Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 10:24 AM
Share

માહિતી અને પ્રસારણ મંત્રાલયે IT નિયમો 2021 હેઠળ ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને 22 યુટ્યુબ (YouTube) ચેનલ, ત્રણ ટ્વિટર એકાઉન્ટ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઇટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. બ્લોક કરાયેલ યુટ્યુબ ચેનલોની કુલ વ્યુઅરશિપ 260 કરોડ હતી. આ એકાઉન્ટ્સ અને ચેનલોનો ઉપયોગ સોશિયલ મીડિયા (Social Media) પર સંવેદનશીલ અને ખોટી માહિતી ફેલાવવા અને ભારતની સુરક્ષા, વિદેશ નીતિ અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત બાબતો પર ફેક ન્યૂઝ ફેલાવવા માટે કરવામાં આવતો હતો.

ભારતીય યુટ્યુબ ચેનલો પર એક્શન

IT નિયમો 2021ના આધારે ભારતીય યુટ્યુબ ચેનલો પર પ્રથમ વખત કાર્યવાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે સરકારે ગત વર્ષ ફેબ્રુઆરીમાં આઈટી નિયમો 2021નું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તાજેતરના બ્લોકિંગ ઓર્ડર હેઠળ, 18 ભારતીય અને 4 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ યુટ્યુબ ચેનલોનો ઉપયોગ વિવિધ મુદ્દાઓ પર ફેક ન્યૂઝ ફેલાવવા માટે કરવામાં આવતો હતો. ખાસ કરીને ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર જેવા મુદ્દાઓ પર આ ચેનલો દ્વારા નકલી પોસ્ટ બનાવવામાં આવી રહી હતી. વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવતી ભારત વિરોધી સામગ્રીને પણ બ્લોક કરી દેવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે યુક્રેનની સ્થિતિ અંગે ઘણી ખોટી માહિતી ભારતીય યુટ્યુબ ચેનલો દ્વારા પણ શેર કરવામાં આવી છે. આ ચેનલો અન્ય દેશો સાથે ભારતના સંબંધોને અસર કરવાના હેતુથી પોસ્ટ કરવામાં આવી રહી હતી.

ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી હતી

બ્લોક કરાયેલ YouTube ચેનલોમાં ઘણી ટીવી ચેનલોના લોગો અને નમૂનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ચેનલોએ તેમની પોસ્ટના થંબનેલમાં ઘણા ટીવી એન્કરની તસવીરનો પણ ઉપયોગ કર્યો છે, જેથી દર્શકોને ગેરમાર્ગે દોરી શકાય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટા થંબનેલ્સ અને ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવ્યા હતા. કેટલાક કિસ્સાઓમાં, પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા હતા.

આ નિર્ણય સાથે, મંત્રાલયે ગત વર્ષે ડિસેમ્બર એટલે કે ડિસેમ્બર 2021 થી અત્યાર સુધી 78 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી છે. આ સાથે ઘણા એવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જે દેશની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાના મુદ્દાઓ વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા હતા.

મંત્રાલયે જણાવ્યું છે કે ભારત સરકાર અધિકૃત, વિશ્વસનીય અને સુરક્ષિત ઓનલાઈન ન્યૂઝ મીડિયા વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવે છે.

કઈ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

ARP News, AOP News, LDC News, Sarkari Babu, SS ZONE Hindi, Smart News, News23 Hindi, Online Khabar, DP news, PKB News, Kisan Tak, Borana News, Sarkari News Update, Bharat Mausam, RJ ZONE 6, Exam Report, Digi Gurukul,દિન ભર કી ખબરે

પાકિસ્તાની ચેનલો

Duniya Mery Aagy, Ghulam Nabi Madni, HAQEEQAT TV, HAQEEQAT TV 2.0

વેબસાઇટ્સ

Dunya Mere Aagy

સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ

ટ્વિટર– Ghulam Nabi Madni, Dunya Mery Aagy, Haqeeqat TV ફેસબુક– Dunya Mery Aagy

આ પણ વાંચો: Urea DAP Price: દેશમાં ફરી એકવાર વધી શકે છે ખાતરનો ભાવ, પરંતુ ખેડૂતો પર બોજ નહીં પડવા દે સરકાર

આ પણ વાંચો: Tech Tips: બિનજરૂરી મેસેજ નોટિફિકેશનથી મેળવો છૂટકારો, આ રીતે કરો ચેટ્સને મ્યૂટ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">