AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dr. Michiaki Takahashi: ડૉ. મિચિયાકી તાકાહાશીની 94મી જન્મજયંતિ પર Google એ ડૂડલ દ્વારા અર્પણ કરી શ્રદ્ધાંજલિ

Today's Google Doodle ડૉ. મિચિયાકી તાકાહાશીની જીવન રક્ષક રસી, જેનો ઉપયોગ 80 થી વધુ દેશોમાં વર્ષોથી કરવામાં આવે છે. 1974ની શરૂઆતમાં ચિકનપોક્સ સામે રસી વિકસાવનાર તે પ્રથમ વ્યક્તિ હતા.

Dr. Michiaki Takahashi: ડૉ. મિચિયાકી તાકાહાશીની 94મી જન્મજયંતિ પર Google એ ડૂડલ દ્વારા અર્પણ કરી શ્રદ્ધાંજલિ
Google Doodle (PC: Google)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 12:40 PM
Share

17 ફેબ્રુઆરીનું Google ડૂડલ  (Doodle) જાપાની વાઈરોલોજિસ્ટ ડૉ. મિચિયાકી તાકાહાશી (Dr. Michiaki Takahashi)ની 94મી જન્મજયંતિ નિમિત્તે છે, જેમણે ચિકનપોક્સ (Chickenpox) સામે રક્ષણ આપતી પ્રથમ રસી વિકસાવી હતી. ગૂગલ ડૂડલ, જાપાની કલાકાર તાત્સુરો કિયુચીનું ચિત્ર છે, જે તાકાહાશીને કામ કરતા બતાવે છે. તેના અભ્યાસ માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો અને બાળકના હાથ પર બેન્ડ-એઇડ પહેરવાનું ડૂડલ પર દેખાય છે. ડૉ. મિચિયાકી તાકાહાશીનો જન્મ 1928માં ઓસાકા, જાપાનમાં થયો હતો. તેઓએ મેડિકલ ડિગ્રી મેળવી અને 1959માં ઓસાકા યુનિવર્સિટીમાં માઇક્રોબાયલ ડિસીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા હતા.

ગંભીર રોગ ચિકનપોક્સની રસી શોધી

તાકાહાશી દ્વારા શોધાયેલ જીવનરક્ષક રસી, જેનો ઉપયોગ 80 થી વધુ દેશોમાં વર્ષોથી કરવામાં આવે છે. 1974ની શરૂઆતમાં ચિકનપોક્સ સામે રસી વિકસાવનાર તે પ્રથમ વ્યક્તિ હતા. તાકાહાશી, તેના પુત્રની સંભાળ રાખતા હતા જેને અછબડાનો ગંભીર રોગ થયો હતો, તેમણે તેમની કુશળતાને અસરકારક રીતે આ રોગ સામે લડવા તરફ વાળવાનું નક્કી કર્યું. 1974 માં, તાકાહાશીએ ચિકનપોક્સનું કારણ બનનાર વેરીકાલા વાયરસને લક્ષ્ય બનાવતી પ્રથમ રસી વિકસાવી જે અત્યંત અસરકારક સાબિત થઈ.

રસીની મંજૂરી વર્ષ 1986માં મળી હતી

1986માં ઓસાકા યુનિવર્સિટીના માઇક્રોબાયલ ડિસીઝ રિસર્ચ ફાઉન્ડેશને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એકમાત્ર વેરીસેલા રસી તરીકે રોલઆઉટ કરવાનું શરૂ કર્યું. આપને જણાવી દઈએ કે 80 થી વધુ દેશોએ તાકાહાશીની જીવન રક્ષક રસીનો ઉપયોગ કર્યો છે. તે વિશ્વભરના લાખો બાળકોને આપવામાં આવી છે.

વાઈરોલોજિસ્ટના પ્રયાસોએ દર વર્ષે અછબડાના લાખો કેસોને રોકવામાં મદદ કરી છે. 1994 માં, તાકાહાશીને ઓસાકા યુનિવર્સિટીમાં માઇક્રોબાયલ ડિસીઝ સ્ટડી ગ્રુપના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેઓએ નિવૃત્તિ સુધી આ પદ સંભાળ્યું હતું. તાકાહાશીનું 2013માં ઓસાકામાં અવસાન થયું હતું.

આ પણ વાંચો:Vikrant Massey Wedding : વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર આ અઠવાડિયે રીતરિવાજ સાથે લગ્ન કરશે, લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા 

આ પણ વાંચો: Petrol Diesel Price Today : તમારા વાહનના ઇંધણની કિંમતમાં આજે પણ કોઈ ફેરફાર નહિ, જાણો તમારા શહેરના 1 લીટર પેટ્રોલ – ડીઝલના ભાવ

આ પણ વાંચો: Foodgrains Production in India: દેશમાં રેકોર્ડ 316.06 મિલિયન ટન અનાજ ઉત્પાદન, કેન્દ્ર સરકારે મુખ્ય પાકોનો જાહેર કર્યો અહેવાલ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">