AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3: ચંદ્રયાન માત્ર 14 દિવસ કેમ કામ કરશે, તેની પાછળ ISROની મોટી યોજના, જાણો

ચંદ્ર પર 14 દિવસની રાત અને 14 દિવસનો દિવસ હોય છે. આ જ કારણ છે કે ભારતનું ચંદ્રયાન મિશન માત્ર 14 દિવસ માટે રાખવામાં આવ્યું છે. હકીકતમાં, જ્યારે અહીં રાત હોય છે, ત્યારે તાપમાન -100 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે.

Chandrayaan 3: ચંદ્રયાન માત્ર 14 દિવસ કેમ કામ કરશે, તેની પાછળ ISROની મોટી યોજના, જાણો
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 6:50 AM
Share

Chandrayaan 3: ચંદ્રયાન-3 માટે ચંદ્ર પર પગ મૂકવાની ગણતરી શરૂ થઈ ગઈ છે. ચંદ્રયાન-3(Chandrayaan 3) આજે સાંજે 6.04 કલાકે ચંદ્રની ધરતી પર દસ્તક આપશે. અત્યાર સુધીમાં 100થી વધુ વાહનો ચંદ્ર પર મોકલવામાં આવ્યા છે, તેમ છતાં ચંદ્રયાન-3 સૌથી વધુ ચર્ચામાં છે. લેન્ડર વિક્રમ ચંદ્ર પર પગ મૂકતાની સાથે જ ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પર પગ મૂકનાર વિશ્વનો પહેલો દેશ બની જશે.

આ પણ વાંચો: Chandrayaan 3ના નિર્માણથી લઈને લેન્ડિંગ સુધીની સફર, 60 સેકન્ડના Videoમાં જુઓ પૂર્ણ મિશન

આ જ કારણ છે કે આ સમયે દુનિયાભરના દેશોની નજર ઈસરો પર ટકેલી છે. ચંદ્રયાન-3 તેના 14 દિવસના મિશન પર ચંદ્ર પર રહેશે. આ દરમિયાન તે ચંદ્રના વાતાવરણ અને માટી સાથે જોડાયેલી માહિતી આપશે. આ સાથે તે ચંદ્રની તસવીરો પણ મોકલશે, જેથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ સાથે જોડાયેલા રહસ્યો જાણી શકાય.

હવે સવાલ એ ઊભો થાય છે કે ચંદ્રયાન-3નું 14 દિવસનું મિશન પૂરું કર્યા પછી તેનું શું થશે. વૈજ્ઞાનિકોના મતે ચંદ્ર પર 14 દિવસની રાત અને 14 દિવસ દિવસનો પ્રકાશ હોય છે. આ જ કારણ છે કે ભારતનું ચંદ્રયાન મિશન માત્ર 14 દિવસ માટે રાખવામાં આવ્યું છે. હકીકતમાં, જ્યારે અહીં રાત હોય છે, ત્યારે તાપમાન -100 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે. ચંદ્રયાનનું લેન્ડર અને રોવર તેમની સોલાર પેનલથી પાવર જનરેટ કરશે. આ જ કારણ છે કે ચંદ્રયાન ત્યારે જ કામ કરી શકશે જ્યારે ચંદ્ર પર પ્રકાશ હશે અને ત્યાં અંધારું થતાં જ પાવર જનરેશન પ્રક્રિયા બંધ થઈ જશે. એવું માનવામાં આવે છે કે પ્રજ્ઞાન રોવરમાં સ્થાપિત ઉપકરણો -100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં આવી ઠંડી સહન કરી શકશે નહીં.

લેન્ડિંગ પહેલા સ્પીડ ઓછી કરવામાં આવશે

લેન્ડિંગ પહેલા ચંદ્રયાનની ગતિમાં નોંધપાત્ર ઘટાડો થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે ચંદ્રયાનની ગતિ માત્ર 358 મીટર પ્રતિ સેકન્ડ હશે. અલ્ટીટ્યુડ હોલ્ડ ફેઝ હેઠળ, ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીથી માત્ર 7.4 કિમીની ઊંચાઈ પર રહેશે. ત્યારપછીના તબક્કામાં, જ્યારે ચંદ્રયાન અને ચંદ્ર વચ્ચે માત્ર 800 મીટરનું અંતર રહેશે, તે સમયે ચંદ્રયાનની ગતિ સંપૂર્ણપણે ઘટીને શૂન્ય થઈ જશે. આ પછી ચંદ્રયાન સોફ્ટવેરની મદદથી સપાટ જમીન શોધશે અને સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે.

છેલ્લી 19 મિનિટ સૌથી મહત્વપૂર્ણ રહેશે

ચંદ્રયાન-3 માટે લેન્ડિંગ પહેલાની છેલ્લી 19 મિનિટ ઘણી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વાસ્તવમાં વિક્રમ લેન્ડર ચંદ્ર પર ઉતરવાની 19 મિનિટ પહેલા ઇસરો પાસેથી કમાન્ડ લેવાનું બંધ કરી દેશે. આ પછી વિક્રમ લેન્ડર, સેન્સર અને કેમેરાની મદદથી સપાટ જગ્યા શોધી લેશે. ચંદ્ર પર પહોંચતા 10 મીટર પહેલા તમામ થ્રસ્ટર્સ બંધ કરી દેવામાં આવશે, ત્યારબાદ વિક્રમ લેન્ડર સોફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્ર પર ઉતર્યા પછી, વિક્રમ લેન્ડરને એ જ સ્થિતિમાં રાખવામાં આવશે અને ધૂળને દૂર થયા બાદ, પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે. અહીંથી ચંદ્રયાનની નવી યાત્રા શરૂ થશે.

ચંદ્રયાનને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">