Chandrayaan-3 Mission : દરેક અવરોધો થયા દૂર ! હવે ચંદ્રથી આટલા જ કિલોમીટર દૂર છે ચંદ્રયાન, 23મીએ સાંજે થશે લેન્ડિંગ, જાણો Chandrayaan 3 નું લેટેસ્ટ અપડેટ

ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. હવે તેની સપાટીથી અંતર માત્ર 25 કિલોમીટર જ દૂર છે. હાલમાં, લેન્ડરની આંતરિક તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન, ઉતરાણ માટે નિયત જગ્યાએ સૂર્યપ્રકાશ આવવાની રાહ જોવાની રહેશે. દક્ષિણ ધ્રુવ પર જેવો સૂર્યનો પ્રકાશ પથરાશે તેની સાથે જ લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવશે.

Chandrayaan-3 Mission : દરેક અવરોધો થયા દૂર ! હવે ચંદ્રથી આટલા જ કિલોમીટર દૂર છે ચંદ્રયાન, 23મીએ સાંજે થશે લેન્ડિંગ, જાણો Chandrayaan 3 નું લેટેસ્ટ અપડેટ
Chandrayaan 3
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 5:15 PM

Chandrayaan-3 Mission ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાથે જ ભારત ઈતિહાસ રચવા માટે તૈયાર છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ચંદ્રયાન વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે મિશન પર છે. ડીબૂસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. મતલબ કે, લેન્ડરને હવે ચંદ્રની સપાટીની નજીક લઈ જવામાં આવી રહ્યું છે, પરંતુ તે હાલમાં અવળી દિશામાં છે. આને વર્ટિકલ દિશામાં કરવામાં આવશે અને ત્યારબાદ લેન્ડરને ટચડાઉન કરવામાં આવશે એટલે કે ભારત ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયાસ કરશે. ચાલો સમજીએ કે લેન્ડર ચંદ્ર પર કેવી રીતે ઉતરશે?

ઈસરોના જણાવ્યા અનુસાર, લેન્ડર 1.68 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ચંદ્ર તરફ આડી દિશામાં આગળ વધી રહ્યું છે. લેન્ડરને 90 ડિગ્રી વર્ટિકલ દિશામાં લાવવામાં આવશે. દરમિયાન, વિક્રમ લેન્ડરની આંતરિક તપાસ કરવામાં આવશે અને સૂર્યોદયની રાહ જોવામાં આવશે. લેન્ડિંગ માટે ચિહ્નિત કરેલી જગ્યા પર સૂર્યના પ્રકાશની સાથે જ લેન્ડરને સપાટી પર ઉતારવામાં આવશે. આ માટે ISRO પૃથ્વી પરથી જરૂરી યાંત્રિક આદેશો મોકલશે. પ્રોપલ્શન મોડ્યુલ હાલમાં ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે. તે મહિનાઓ કે વર્ષો સુધી બાહ્ય ભ્રમણકક્ષામાં ફરતું રહેશે. પ્રોપલ્શન મોડ્યુલનું કામ માત્ર વિક્રમ લેન્ડરને ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચાડવાનું હતું.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

ભારત દુનિયાને કહેશે કે ચંદ્ર પર પાણી છે કે નહી

ચંદ્રની સપાટી પર ઉતર્યા પછી, લેન્ડર થોડો સમય આરામ કરશે અને પછી તેની અંદરથી 6 પૈડાવાળું રોવર પ્રજ્ઞાન નીકળશે, જે દુનિયાને જણાવશે કે ખરેખર ચંદ્ર પર પાણી છે કે નહી. આ સિવાય રોવર અન્ય ઘણા પ્રકારના વૈજ્ઞાનિક સંશોધનો કરશે. આજે જ, ચંદ્રયાન-3 ના લેન્ડર મોડ્યુલે તેનું બીજું અને છેલ્લું ડિબૂસ્ટિંગ પૂર્ણ કર્યું છે. મતલબ કે લેન્ડરની સપાટીથી ઉંચાઈ ઓછી થઈ રહી છે. તે હાલમાં ચંદ્રની સપાટીથી 25 કિલોમીટરના અંતરે છે. લેન્ડિંગ 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યે થશે. દરમિયાન, લેન્ડિંગ પહેલા લેન્ડરની ગતિ હજુ પણ ઓછી કરવામાં આવશે.

ચંદ્રયાન-3 ચંદ્ર પર ક્યાં ઉતરશે?

અત્યારે લેન્ડર 25KM x 134KMના અંતરે છે, પરંતુ લેન્ડિંગ માટે તેને 4 KM x 2.4KM પર લાવવામાં આવશે, જ્યાં લેન્ડિંગ 69.3 ડિગ્રી દક્ષિણ અને 32.3 ડિગ્રી પૂર્વમાં થશે, જેને ચંદ્રનો દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. 17 ઓગસ્ટના રોજ પ્રોપલ્શન મોડ્યુલથી લેન્ડરને અલગ કર્યા પછી, મિશન તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું. આ પછી, ડીબૂસ્ટિંગની પ્રક્રિયા બે વાર પૂર્ણ થઈ અને લેન્ડર તેના અંતિમ તબક્કામાં સપાટી તરફ આગળ વધ્યું.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">