Chandrayaan-3 Mission : દરેક અવરોધો થયા દૂર ! હવે ચંદ્રથી આટલા જ કિલોમીટર દૂર છે ચંદ્રયાન, 23મીએ સાંજે થશે લેન્ડિંગ, જાણો Chandrayaan 3 નું લેટેસ્ટ અપડેટ

ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. હવે તેની સપાટીથી અંતર માત્ર 25 કિલોમીટર જ દૂર છે. હાલમાં, લેન્ડરની આંતરિક તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન, ઉતરાણ માટે નિયત જગ્યાએ સૂર્યપ્રકાશ આવવાની રાહ જોવાની રહેશે. દક્ષિણ ધ્રુવ પર જેવો સૂર્યનો પ્રકાશ પથરાશે તેની સાથે જ લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવશે.

Chandrayaan-3 Mission : દરેક અવરોધો થયા દૂર ! હવે ચંદ્રથી આટલા જ કિલોમીટર દૂર છે ચંદ્રયાન, 23મીએ સાંજે થશે લેન્ડિંગ, જાણો Chandrayaan 3 નું લેટેસ્ટ અપડેટ
Chandrayaan 3
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 5:15 PM

Chandrayaan-3 Mission ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાથે જ ભારત ઈતિહાસ રચવા માટે તૈયાર છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ચંદ્રયાન વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે મિશન પર છે. ડીબૂસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. મતલબ કે, લેન્ડરને હવે ચંદ્રની સપાટીની નજીક લઈ જવામાં આવી રહ્યું છે, પરંતુ તે હાલમાં અવળી દિશામાં છે. આને વર્ટિકલ દિશામાં કરવામાં આવશે અને ત્યારબાદ લેન્ડરને ટચડાઉન કરવામાં આવશે એટલે કે ભારત ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયાસ કરશે. ચાલો સમજીએ કે લેન્ડર ચંદ્ર પર કેવી રીતે ઉતરશે?

ઈસરોના જણાવ્યા અનુસાર, લેન્ડર 1.68 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ચંદ્ર તરફ આડી દિશામાં આગળ વધી રહ્યું છે. લેન્ડરને 90 ડિગ્રી વર્ટિકલ દિશામાં લાવવામાં આવશે. દરમિયાન, વિક્રમ લેન્ડરની આંતરિક તપાસ કરવામાં આવશે અને સૂર્યોદયની રાહ જોવામાં આવશે. લેન્ડિંગ માટે ચિહ્નિત કરેલી જગ્યા પર સૂર્યના પ્રકાશની સાથે જ લેન્ડરને સપાટી પર ઉતારવામાં આવશે. આ માટે ISRO પૃથ્વી પરથી જરૂરી યાંત્રિક આદેશો મોકલશે. પ્રોપલ્શન મોડ્યુલ હાલમાં ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે. તે મહિનાઓ કે વર્ષો સુધી બાહ્ય ભ્રમણકક્ષામાં ફરતું રહેશે. પ્રોપલ્શન મોડ્યુલનું કામ માત્ર વિક્રમ લેન્ડરને ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચાડવાનું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ભારત દુનિયાને કહેશે કે ચંદ્ર પર પાણી છે કે નહી

ચંદ્રની સપાટી પર ઉતર્યા પછી, લેન્ડર થોડો સમય આરામ કરશે અને પછી તેની અંદરથી 6 પૈડાવાળું રોવર પ્રજ્ઞાન નીકળશે, જે દુનિયાને જણાવશે કે ખરેખર ચંદ્ર પર પાણી છે કે નહી. આ સિવાય રોવર અન્ય ઘણા પ્રકારના વૈજ્ઞાનિક સંશોધનો કરશે. આજે જ, ચંદ્રયાન-3 ના લેન્ડર મોડ્યુલે તેનું બીજું અને છેલ્લું ડિબૂસ્ટિંગ પૂર્ણ કર્યું છે. મતલબ કે લેન્ડરની સપાટીથી ઉંચાઈ ઓછી થઈ રહી છે. તે હાલમાં ચંદ્રની સપાટીથી 25 કિલોમીટરના અંતરે છે. લેન્ડિંગ 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યે થશે. દરમિયાન, લેન્ડિંગ પહેલા લેન્ડરની ગતિ હજુ પણ ઓછી કરવામાં આવશે.

ચંદ્રયાન-3 ચંદ્ર પર ક્યાં ઉતરશે?

અત્યારે લેન્ડર 25KM x 134KMના અંતરે છે, પરંતુ લેન્ડિંગ માટે તેને 4 KM x 2.4KM પર લાવવામાં આવશે, જ્યાં લેન્ડિંગ 69.3 ડિગ્રી દક્ષિણ અને 32.3 ડિગ્રી પૂર્વમાં થશે, જેને ચંદ્રનો દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. 17 ઓગસ્ટના રોજ પ્રોપલ્શન મોડ્યુલથી લેન્ડરને અલગ કર્યા પછી, મિશન તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું. આ પછી, ડીબૂસ્ટિંગની પ્રક્રિયા બે વાર પૂર્ણ થઈ અને લેન્ડર તેના અંતિમ તબક્કામાં સપાટી તરફ આગળ વધ્યું.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">