Amazon ના કર્મચારીઓ હવે આટલા મહિનાઓ સુધી ઘરેથી કરશે કામ, કંપનીને સતાવી રહ્યો છે આ ભય

એમેઝોને તેના કર્મચારીઓ માટે આવતા વર્ષે ઓફિસમાં પાછા બોલાવવાનું હાલ પુરતુ મુલતવી રાખ્યું છે. કંપનીએ હજુ સુધી ઓફિસમાં આવવા માટે રસી લેવાનું ફરજિયાત કર્યુ નથી.

Amazon ના કર્મચારીઓ હવે આટલા મહિનાઓ સુધી ઘરેથી કરશે કામ, કંપનીને સતાવી રહ્યો છે આ ભય
Amazon office
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 7:35 PM

યુ.એસ.માં કોવિડ -19 ના ડેલ્ટા વેરિઅન્ટના વારંવાર સામે આવી રહેલા કેસોને જોતા એમેઝોને (Amazon) તેના કર્મચારીઓને ઓફિસમાં બોલાવવાની સમયમર્યાદા વધારી છે. કંપનીએ ગુરૂવારે એક મેઈલ દ્વારા તેના કર્મચારીઓને, ઓફિસે આવવાના અપડેટ વિશે માહિતી આપી હતી.

એમેઝોને અગાઉ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી તેના કર્મચારીઓને યુએસ સ્થિત ઓફિસમાં બોલાવવાની અપેક્ષા રાખી હતી. પરંતુ ડેલ્ટા વેરિઅન્ટના નવા કેસ સામે આવતા, એમેઝોન કંપનીએ કરેલા નવા નિર્ણયથી હવે કર્મચારીઓને ઓફિસમાં પરત આવતા વર્ષની શરૂઆત સુધી મુલતવી રાખવામાં આવ્યુ છે. હવે કંપની તેના કર્મચારીઓને 3 જાન્યુઆરી, 2022 થી ઓફિસ બોલાવવાનું વિચારી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, એમેઝોને કર્મચારીઓને એક મેઇલ મોકલ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે ઓફિસે પરત આવવાની જે સમયગાળો નક્કી કરાયેલ છે, તે સ્થાનિક પરિસ્થિતિઓના આધારે વૈશ્વિક સ્તરે બદલાશે. કંપનીએ જ્યારે કોઈ અપડેટ ઉપલબ્ધ થશે ત્યારે કર્મચારીઓને તેની નીતિ વિશે વિગતે જાણ કરવાનું જણાવાયુ છે. બીજી બાજુ, જો કંપની ઓફિસે આવવા અંગે કોઈ ફેરફાર કરશે તો, તે પહેલા જાણ કરાશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કંપનીએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે જ્યારે તમે ઓફિસ પર કામ કરતા પરત ફરો ત્યારે તમારામાંથી ઘણાએ તમારા અને તમારા પરિવાર માટે જરૂરી આયોજન કરવુ જરૂર છે. જ્યારે આપને આ અંગે કોઈ નવી જાણકારી આપવાની હશે ત્યારે જાણ કરીશુ. એમેઝોન કંપનીએ કહ્યું કે વિશ્વના ઘણાબધા દેશમાં કર્મચારીઓએ એમેઝોનની ઓફિસમાં જવાનું શરૂ કર્યું છે. જો કે આ બધું કર્મચારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે.

આ સાથે, હવે એમેઝોન પણ એવી કંપનીઓની યાદીમાં જોડાઈ ગઈ છે જેણે અત્યારે તેમની ઓફિસ ખોલવાના અને કર્મચારીઓને કામકાજ ઉપર બોલાવવાના આયોજન પર પૂર્ણવિરામ મુકી દીધુ છે. ગયા મહિને ગૂગલ અને ફેસબુકે એવી જાહેરાત કરી હતી કે તેઓ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધાનો સમય વધારવામાં આવ્યો છે. કર્મચારીઓ તેમના નાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કામ કરી શકે છે.

જો કે, ત્રણ કંપનીઓમાંથી એમેઝોને તેના તમામ કર્મચારીઓ માટે કોરોના વિરોધી રસી લેવાનું ફરજિયાત કર્યુ છે. એટલે કે, રસી ના લીધી હોય તેવા કર્મચારીઓને કે અન્યોને ઓફિસમાં પ્રવેશ આપવામા નહીં આવે. જ્યારે ફેસબુક અને ગૂગલે, તેમના કર્મચારીઓને રસી લીધી છે કે નહી તેના પ્રમાણપત્ર માટે કહ્યું છે.

આ પણ વાંચોઃ LAC થી સારા સમાચારઃ ચીની સૈનિકો ગોગરામાંથી બેગ-બિસ્તરા સાથે પાછા હટ્યા

આ પણ વાંચોઃ ખેડૂતો માટે ખુશખબર ! પીએમ કિસાન યોજનાના 9 માં હપ્તાના 2,000 રૂપિયા 9 ઓગસ્ટે મળશે, કૃષિ મંત્રીએ આપી જાણકારી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">