અકાસા એરના ગ્રાહકોની પર્સનલ જાણકારી લીક, ‘ફિશિંગ અટેક’નું જોખમ મંડરાયું!

જ્યારે વ્યક્તિગત માહિતી લીક થાય છે ત્યારે ફિશિંગ હુમલાનું જોખમ વધે છે કારણ કે તેનો ઉપયોગ સાયબર ફ્રોડ (Cyber Fraud)માં સૌથી વધુ થાય છે. અંગત માહિતીના આધારે છેતરપિંડી કરનારાઓ બેંક સંબંધિત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરે છે.

અકાસા એરના ગ્રાહકોની પર્સનલ જાણકારી લીક, 'ફિશિંગ અટેક'નું જોખમ મંડરાયું!
Akasa Air
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2022 | 10:12 AM

તાજેતરમાં લોન્ચ થયેલી એરલાઈન અકાસા એર (Akasa air)ના ડેટામાં ગરબડના સમાચાર આવ્યા છે. જેના કારણે કંપનીના ગ્રાહકોની અંગત માહિતી લીક થઈ ગઈ છે. જો કે આ માહિતીમાં હેકર્સ દ્વારા મુસાફરી સાથે સંબંધિત વિગતો હાથ લાગી નથી, પરંતુ મુસાફરોના નામ, જાતિ, ઇમેઇલ સરનામાં અને ફોન નંબર લીક થવાની સંભાવના છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોના ટ્રાવેલ રેકોર્ડ અને પેમેન્ટની માહિતીમાં કોઈપણ રીતે કોઈ ઘટના બની નથી. જોકે, કંપનીએ ગ્રાહકોને કોઈપણ પ્રકારના ફિશિંગ હુમલાથી સાવધાન રહેવાની સૂચના આપી છે કારણ કે તેમની માહિતી લીક થઈ ગઈ છે.

જ્યારે વ્યક્તિગત માહિતી લીક થાય છે ત્યારે ફિશિંગ હુમલાનું જોખમ વધે છે કારણ કે તેનો ઉપયોગ સાયબર ફ્રોડ (Cyber Fraud)માં સૌથી વધુ થાય છે. અંગત માહિતીના આધારે છેતરપિંડી કરનારાઓ બેંક સંબંધિત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરે છે. ઑગસ્ટ 7 ના રોજ તેની ફ્લાઇટ સેવા શરૂ કરનાર અકાસા એરએ આ ભૂલ માટે તેના ગ્રાહકોની માફી માંગી છે અને પોતે ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) ને આ બાબતની જાણ કરી છે.

કંપનીએ શું કહ્યું

કંપનીની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલી માહિતી અનુસાર, 25 ઓગસ્ટના રોજ લોગિન અને સાઈન-અપ સેવાઓમાં કેટલીક અસ્થાયી ટેકનિકલ ખામીઓ નોંધાઈ હતી. એરલાઈને જણાવ્યું હતું કે, આના પરિણામે અકાસા એરના રજિસ્ટર્ડ યુઝરની માહિતી જેમ કે નામ, લિંગ, ઈ- મેઇલ સરનામું. અને ફોન નંબરની માહિતી કેટલાક અનધિકૃત લોકો માટે ઉપલબ્ધ થઈ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

એરલાઈને સ્પષ્ટતા કરી છે કે આ માહિતી સિવાય મુસાફરી સંબંધિત અન્ય કોઈ માહિતી અથવા ટ્રાવેલ રેકોર્ડ અને પેમેન્ટ વિશેની માહિતી જાહેર કરવામાં આવી નથી. Akasa Air એ પણ કહ્યું કે ગ્રાહકની માહિતીની સુરક્ષા તેના માટે સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. જો આનાથી અમારા ગ્રાહકોને કોઈ અસુવિધા થઈ હોય તો અમને ખેદ છે. અકાસા એર છેલ્લા એક દાયકામાં સેવા શરૂ કરનાર પ્રથમ એરલાઇન છે. તેની પ્રથમ ફ્લાઈટ 7 ઓગસ્ટના રોજ મુંબઈ-અમદાવાદ રૂટ પર ઓપરેટ કરવામાં આવી હતી.

અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા આ એરલાઇનમાં મોટા રોકાણકાર હતા. ઓપરેશન શરૂ થયાના એક અઠવાડિયા પછી ઝુનઝુનવાલાનું અવસાન થયું. આ એરલાઇન કંપની ધીમે ધીમે ઘણા રૂટ પર તેની ફ્લાઇટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

અન્ય કંપનીઓ સાથે સમાન ઘટના

અકાસા એર પહેલા ઘણી અન્ય એરલાઇન કંપનીઓના ગ્રાહકોની માહિતી લીક થઈ છે. તેમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ જેવી એરલાઈન્સ કંપનીઓ પણ સામેલ છે. અહીં Akasa Airએ એક નિવેદનમાં કહ્યું છે કે હેકિંગનો કોઈ પ્રયાસ ઈરાદાપૂર્વક કરવામાં આવ્યો ન હતો. એક સંશોધન નિષ્ણાતે આ અંગે માહિતી આપી હતી. માહિતી મળતાની સાથે જ આ ઘટનાની જાણ ગ્રાહકોને કરવામાં આવી હતી જેને અસર થઈ શકે છે. Akasa Airએ જણાવ્યું હતું કે, 25 ઓગસ્ટના રોજ લોગિન અને સાઇન-અપ સેવાઓ અંગે કેટલીક અસ્થાયી ટેકનિકલ ખામીઓ મળી આવી હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">