માત્ર આટલા રૂપિયામાં અપડેટ થઈ જાય છે ‘આધાર’ માં નામ, સરનામું, વધુ પૈસા તો નથી આપી રહ્યાને તમે?
દેશના કોઈપણ નાગરિકને જીવનમાં માત્ર એક જ વાર આધાર જાહેર કરવામાં આવે છે. UIDAI નાગરિકોને આધાર જાહેર કરવાનું કામ કરે છે. ઘણી વખત આપણા આધારમાં કોઈ માહિતી ખોટી પ્રિંટ થઈ જાય છે. ચાલો જાણીએ તેને કઈ રીતે સુધારવી.

આજના સમયમાં આધાર આપણી ઓળખનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. તેના વિના કોઈપણ નાણાકીય કાર્ય કરવું સરળ નથી. બેંક ખાતું ખોલાવવાથી લઈને કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર જરૂરી છે. દેશના કોઈપણ નાગરિકને જીવનમાં માત્ર એક જ વાર આધાર જાહેર કરવામાં આવે છે. UIDAI નાગરિકોને આધાર જાહેર કરવાનું કામ કરે છે. ઘણી વખત આપણા આધારમાં કોઈ માહિતી ખોટી પ્રિંટ થઈ જાય છે.
પ્રિન્ટ થવાનો અર્થ એ છે કે આધારના ડેટા બેઝમાં પણ ખોટી માહિતી સંગ્રહિત થશે. આવી સ્થિતિમાં, UIDAI તેને સુધારવા અથવા અપડેટ કરવાની સુવિધા આપે છે. તમે તમારા આધારમાં તમારું નામ અને સરનામું સરળતાથી અપડેટ કરાવી શકો છો.
કેટલી હોય છે ફી?
UIDAI અનુસાર, તમે 50 રૂપિયાની ફી ચૂકવીને તમારી ડેમોગ્રાફિક વિગતો (નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઇલ અને ઇમેઇલ) સરળતાથી અપડેટ કરી શકો છો. બાયોમેટ્રિક અપડેટ માટે તમારે 100 રૂપિયા ચૂકવવા પડશે. જો તમારી પાસેથી વધારાની ફી લેવામાં આવે છે, તો તમે નીચે આપેલ લિંક (https://resident.uidai.gov.in/file-complaint) નો ઉપયોગ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.
તમે ઓનલાઈન પણ નામ, સરનામું અપડેટ કરાવી શકો છો, પરંતુ બાયોમેટ્રિક અપડેટ માટે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે. નવા નિયમ હેઠળ, કોઈપણ નાગરિકે આધાર નંબર મેળવ્યાના 10 વર્ષ પછી અપડેટ કરાવવો પડશે.
સરનામું ઑનલાઇન કેવી રીતે અપડેટ કરવું
- આધાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ પર જાઓ અને ‘પ્રોસીડ ટુ અપડેટ એડ્રેસ’ વિકલ્પ પર ક્લિક કરો.
- આધાર નંબર, રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને OTP નો ઉપયોગ કરીને લોગિન કરો.
- ‘પ્રોસીડ ટુ અપડેટ એડ્રેસ’ પર ક્લિક કરો.
- 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને ‘ઓટીપી મોકલો’ પર ક્લિક કરો.
- OTP દાખલ કરો અને લોગિન કરો.
- ‘અપડેટ ન્યૂ એડ્રેસ પ્રૂફ’ વિકલ્પ પસંદ કર્યા પછી નવું સરનામું દાખલ કરો.
- આ પછી, એડ્રેસ પ્રૂફ તરીકે સબમિટ કરવાના દસ્તાવેજો પસંદ કરો.
- એડ્રેસ પ્રૂફની સ્કેન કરેલી કોપી અપલોડ કરો અને ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
- આધાર અપડેટ વિનંતી સ્વીકારવામાં આવશે અને 14-અંકનો અપડેટ રિક્વેસ્ટ નંબર જનરેટ કરવામાં આવશે.
માત્ર બે વાર બદલી શકાય છે
આધાર કાર્ડમાં 12-અંકનો યુનિક નંબર હોય છે, જે સંબંધિત નાગરિકની માહિતી દર્શાવે છે. તેમાં સરનામું, માતા-પિતાનું નામ, ઉંમર સહિતની ઘણી વિગતો છે. UIDAI એ કોઈપણ આધાર કાર્ડ ધારક માટે સરનામું બદલવાની મર્યાદા નક્કી કરી છે. UIDAI અનુસાર, આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર બે વાર જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે. ઉપરાંત, તમે આધારમાં તમારી જન્મતારીખ માત્ર એક જ વાર બદલી શકો છો. આધાર ડેટામાં તમે તમારું નામ વારંવાર બદલી શકતા નથી.