ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સુરક્ષિત વ્યવહારો માટે કાર્ડલેસ કેશ ઉપાડની સુવિધા (Cash Without Card) શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં વપરાશકર્તાઓ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વિના ATMમાંથી રોકડ ઉપાડી શકશે. તેનાથી કાર્ડથી થતાં ફ્રોડને રોકવામાં મદદ મળશે. ઉપરાંત, જો વપરાશકર્તાઓ ઘરે તેમના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ભૂલી જાય તો તેઓ ATMમાંથી રોકડ ઉપાડી (ATM Cash Withdrawal) શકશે. આમાં મોબાઈલ ફોનની મદદથી ATMમાંથી પૈસા ઉપાડી શકાય છે.
રિઝર્વ બેંક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મોબાઈલ ઓથેન્ટિકેશન દ્વારા રોકડ વ્યવહારો કરી શકાય છે. પરંતુ ભારતીય રિઝર્વ બેંકે એ પણ સ્પષ્ટતા કરી છે કે કાર્ડલેસ કેશ વિડ્રોઅલ સિસ્ટમ પછી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાંથી રોકડ ઉપાડવાની સુવિધા બંધ કરવામાં આવશે નહીં.
યુઝર્સને રોકડ ઉપાડવા માટે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સાથે રાખવાની સમસ્યામાંથી છૂટકારો મળશે. સાથે જ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીથી પણ છૂટકારો મળશે. કાર્ડની સુવિધા વિના રોકડ માટે વપરાશકર્તાઓએ રજિસ્ટર્ડ મોબાઈલ અને UPI ID સાથે સ્માર્ટફોનને કનેક્ટ કરવાની જરૂર રહેશે.
નોંધ – કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા હાલમાં કેટલીક બેંકો જેવી કે ICICI અને SBI બેંક પર ઉપલબ્ધ છે. આ સુવિધા ટૂંક સમયમાં અન્ય બેંકોના ATMમાં પણ શરૂ કરવામાં આવશે. આ સાથે જ એટીએમને થર્ડ પાર્ટી એપથી પણ એક્સેસ કરી શકાશે.
આ પણ વાંચો: Tips And Tricks: Laptop ખોલતા જ સ્ટાર્ટ થઈ જશે, સમયનો બગાડ નહીં થાય, જાણો આ કમાલની ટ્રિક
આ પણ વાંચો: Tech Tips: તમારા પાન કાર્ડ પર અન્ય કોઈએ તો નથી લીધીને લોન?, આ ઓનલાઈન રીતથી કરો ચેક
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો