ITR Filing : 2.38 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ થયાં, 31 ડિસેમ્બર બાદ ચૂકવવી પડશે લેટ ફી

નવા ઈન્કમ ટેક્સ પોર્ટલની શરૂઆત સાથે કેટલાક નવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે જેને અવગણીને ITR ફાઈલ થશે નહીં. યુઝર ભલે ગમે તેટલા ટેકનિકલ નિષ્ણાતો હોય પરંતુ તેમણે ફેરફારોને જાણવા પડશે.

ITR Filing : 2.38 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ થયાં, 31 ડિસેમ્બર બાદ ચૂકવવી પડશે લેટ ફી
these 7 documents will will reduce your worries regarding ITR Filing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 7:43 AM

આવકવેરા વિભાગ(Income Tax Department)ના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આકારણી વર્ષ 2021-22 માટે 2.38 કરોડથી વધુ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) પ્રાપ્ત થયા છે. આવકવેરા વિભાગે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આકારણી વર્ષ 2021-22 માટે IT રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2021 છે.

CBDT માર્ગદર્શિકા મુજબ જો કોઈ વ્યક્તિગત કરદાતા 31 ડિસેમ્બર 2021ની ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ ચૂકી જાય તો તેણે લેટ ફી ચૂકવવી પડશે અને લેટ રિટર્ન ફાઇલ કરવુંપડશે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

IT વિભાગે તેના ટ્વીટમાં કહ્યું કે અમે તમને વિનંતી કરીએ છીએ કે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમારું ITR ફાઈલ કરો જો હજી સુધી ફાઇલ નથી કર્યું. શરૂઆતમાં અંતિમ તારીખ 31મી જુલાઈ 2021 હતી પરંતુ હવે કોઈ વ્યક્તિ 31મી ડિસેમ્બર 2021 સુધી ફાઇલ કરી શકો છે.

આઇટી વિભાગના જણાવ્યા અનુસાર 2.08 કરોડથી વધુ ITR ની ચકાસણી કરવામાં આવી છે. 1.68 કરોડથી વધુ ITR પ્રોસેસ થયા છે . તે જ સમયે 64 લાખથી વધુ કેસમાં રિફંડ જારી કરવામાં આવ્યા છે.

ITR ફાઇલ કરતી વખતે આ દસ્તાવેજો તમારી સાથે રાખો આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે બધા જરૂરી દસ્તાવેજો તમારી સાથે રાખવા મહત્વપૂર્ણ છે. મોટાભાગના પગારદાર કરદાતાઓ ITR-1 ફોર્મનો ઉપયોગ કરે છે અને તેમાં મોટાભાગની માહિતી પહેલાથી ભરેલી હોય છે.

સરકારના નવા લોંચ કરાયેલા ઈ-ફાઈલિંગ પોર્ટલમાં પણ ITR-1નો ડેટા પહેલાથી જ દાખલ છે. જો કે, ધ્યાનમાં રાખો કે નવું ટેક્સ ફાઇલિંગ પોર્ટલ ઘણી તકનીકી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે જેના કારણે તમારે ITR ફોર્મમાં પહેલાથી ભરેલી વિગતો તપાસવી જોઈએ. તમારે તમારું ITR ફાઇલ કરતા પહેલા દસ્તાવેજો પાસે રાખવા જોઈએ.

ઇન્કમ ટેક્સ પોર્ટલ પર આ માહિતી તરત જ અપડેટ કરો નવા ઈન્કમ ટેક્સ પોર્ટલની શરૂઆત સાથે કેટલાક નવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે જેને અવગણીને ITR ફાઈલ થશે નહીં. યુઝર ભલે ગમે તેટલા ટેકનિકલ નિષ્ણાતો હોય પરંતુ તેમણે ફેરફારોને જાણવા પડશે. આ ફેરફારો અનુસાર પોર્ટલમાં અપડેટ કર્યું હશે તો જ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ (ITR Filing) કરી શકાય છે.

નવા ઇન્કમટેક્સ પોર્ટલ પર જ્યાં સુધી તમે તમારી બેંક ખાતાની માહિતી અપડેટ નહિ કરો ત્યાં સુધી તમે ITR Filing કરી શકતા નથી. આ જ કારણ છે કે ઘણા લોકો ઘણા દિવસોથી નવા પોર્ટલ પર ટેક્સ ફાઈલ કરી રહ્યા છે પરંતુ તેમનો ITR હજુ પણ અટકી રહ્યો છે. એકવાર તપાસો કે બેંક વિગતો નવા પોર્ટલમાં અપડેટ કરવામાં આવી છે કે નહીં. જો નહીં તો બેંક એકાઉન્ટ અપડેટ કરો પછી ITR ફાઇલ કરો તમારું કામ સરળતાથી થઈ જશે.

આ પણ વાંચો :  પદ્મભૂષણથી સન્માનિત થયા બાદ આનંદ મહિન્દ્રાએ પોતાને ‘અયોગ્ય’ ગણાવ્યા! કારણ જણાવી લોકોનું જીતી લીધું દિલ

આ પણ વાંચો : Petrol Diesel Price Today: રાહતના સમાચાર, આજે પણ મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો પેટ્રોલ – ડીઝલના ભાવ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">