IT Refund: શું તમે ફાઈલ કરેલા ઇન્કમટેક્સ રિટર્નનું રિફંડ મળ્યું તમને? આ રીતે તપાસો રીફંડની સ્થિતિ
આવકવેરા વિભાગે(Income Tax Department) ચાલુ નાણાકીય વર્ષ 2021-22 (FY 22) માં 17 મે સુધી 15 લાખથી વધુ કરદાતાઓને 24,792 કરોડ રૂપિયા રિફંડ આપ્યું છે.
આવકવેરા વિભાગે(Income Tax Department) ચાલુ નાણાકીય વર્ષ 2021-22 (FY 22) માં 17 મે સુધી 15 લાખથી વધુ કરદાતાઓને 24,792 કરોડ રૂપિયા રિફંડ આપ્યું છે. વિભાગે એક ટ્વીટ દ્વારા કહ્યું છે કે આ રકમમાં વ્યક્તિગત આવકવેરા રીફંડની રકમ 7,458 કરોડ રૂપિયા છે જ્યારે કંપની ટેક્સ હેઠળ રૂ 17,334 કરોડનું રિફંડ આપવામાં આવ્યું છે.
વિભાગે કહ્યું કે, “સીબીડીટીએ 1 એપ્રિલ, 2021 થી 17 મે 2021 ના ગાળામાં 15 લાખથી વધુ કરદાતાઓને 24,792 કરોડ રૂપિયાના રિફંડ જારી કર્યા છે. 14,98 લાખ કેસોમાં રૂ. 7,458 કરોડનું વ્યક્તિગત આવકવેરા રિફંડ જારી કરાયું છે જ્યારે 43,661 કેસોમાં કંપનીના ટેક્સ રિફંડ 17,334 કરોડ જારી કરવામાં આવ્યું છે.
ગત નાણાકીય વર્ષ 2020-21માં, આવકવેરા વિભાગે 2.38 કરોડ કરદાતાઓને 2.62 લાખ કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ જારી કર્યા હતા. જે અગાઉના નાણાકીય વર્ષ 2019-20માં આપવામાં આવેલા 1.83 લાખ કરોડ રૂપિયાના રિફંડ કરતા 43.2 ટકા વધારે છે.
તમે રીફંડની સ્થિતિ આ રીતે તપાસી શકો છો
>> આ માટે તમારે આવકવેરાની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જવું પડશે. અહીં તમે તમારૂ પોર્ટલ લોગ ઇન કરો. પોર્ટલ લોગ ઈન માટે તમારે તમારો પાન નંબર, ઇ-ફાઇલિંગ પાસવર્ડ અને કેપ્ચા ભરવો પડશે. >> તમારી પોર્ટલ પ્રોફાઇલ ખુલ્યા બાદ તમારેView returns/forms’ પર ક્લિક કરવું પડશે. >> આગલા સ્ટેપમાં તમે ‘Income Tax Returns’ પર ક્લિક કરો અને ડ્રોપ ડાઉન મેનૂમાંથી સબમિટ કરશો. હાયપરલિંક એક્નોલેજ નંબર પર ક્લિક કર્યા પછી નવી સ્ક્રીન ખુલશે. >> આ સ્ક્રીન પર તમને ફાઇલિંગ, પ્રોસેસ ટેક્સ રીટર્નની સમયમર્યાદા વિશેની માહિતી મળશે. તેમાં ફાઇલિંગની તારીખ, રિટર્નની પુષ્ટિની તારીખ, પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ, રિફંડ આપવાની તારીખ અને ચુકવણી રિફંડ વિશેની માહિતી શામેલ હશે. >> જો તમારો ટેક્સ રિફંડ નિષ્ફળ જાય છે તો પછી આ સ્ક્રીન પર તમને જણાવવામાં આવશે કે તમારા દ્વારા ફાઇલ કરાયેલ રીટર્ન નિષ્ફળ થયું છે.