virat kohli વનડે ટીમની કેપ્ટનશીપ પણ છોડી દેશે ? RCB પછી કયું પગલું ભરશે

વિરાટ કોહલીને 2013માં RCBની કેપ્ટનશિપ આપવામાં આવી હતી. ટીમે તેમના નેતૃત્વમાં ક્યારેય આઈપીએલનો ખિતાબ જીત્યો ન હતો પરંતુ બ્રાન્ડ વેલ્યુને કારણે તેને ક્યારેય કેપ્ટનશીપમાંથી દૂર કરવામાં આવ્યો ન હતો.

virat kohli વનડે ટીમની કેપ્ટનશીપ પણ છોડી દેશે ? RCB પછી કયું પગલું ભરશે
will virat kohli quit as indian odi captain after t20i and rcb captaincy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 11:53 AM

virat kohli : વિરાટ કોહલી (Virat Kohli)એ ભારતીય ટી 20 ટીમ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(Royal Challengers Bangalore)ની કેપ્ટનશીપ છોડવાની પણ જાહેરાત કરી છે. આઈપીએલ 2021 પછી તેઓ હવે આરસીબીના કેપ્ટન રહેશે નહીં. વિરાટ કોહલીએ 17 સપ્ટેમ્બરે જ ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup)બાદ ભારતીય ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં બે દિવસમાં તેમણે બે મોટા નિર્ણયો લીધા અને બે જવાબદારીઓ છોડી દીધી.

32 વર્ષીય કોહલીએ તમામ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપમાં સામેલ કામના ભારણને જોતા ટી 20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ એવું માનવામાં આવતું હતું કે, તે ટૂંક સમયમાં જ આરસીબીની કેપ્ટનશીપમાંથી છૂટશે. જો કે, એવી અપેક્ષા નહોતી કે તેઓ ટુર્નામેન્ટ ફરી શરૂ થતાં પહેલા જ દિવસે આવી જાહેરાત કરશે. IPL ના સૌથી સફળ ખેલાડીઓમાંના એક કોહલી, જોકે, RCBની ટીમનો ભાગ રહશે.

કોહલી(Virat Kohli)એ RCB દ્વારા બહાર પાડવામાં આવેલા વિડીયો સ્ટેટમેન્ટમાં કહ્યું, ‘RCના કેપ્ટન તરીકે આ મારી છેલ્લી IPL હશે. હું મારી છેલ્લી IPL (Indian Premier League)મેચ સુધી RCB ખેલાડી રહીશ. હું મારા પર વિશ્વાસ કરવા અને મને ટેકો આપવા માટે RCB ચાહકોનો આભાર માનું છું. ‘કોહલીને 2008 માં લીગ શરૂ થઈ ત્યારે RCBમાં સામેલ કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

તેને 2013માં ટીમની કેપ્ટનશીપ આપવામાં આવી હતી. ટીમે તેમના નેતૃત્વમાં ક્યારેય આઈપીએલનો ખિતાબ જીત્યો ન હતો પરંતુ તેની બ્રાન્ડ વેલ્યુને કારણે તેને ક્યારેય કેપ્ટનશીપમાંથી દૂર કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે સવાલ એ છે કે, શું કોહલી વનડે ટીમની કેપ્ટનશીપ પણ છોડશે? કોહલી વર્ષ 2017માં ભારતીય વનડે ટીમનો કેપ્ટન બન્યો હતો. તે જ વર્ષે, તેને ટી 20 ટીમની કમાન મળી. મહેન્દ્ર સિંહ ધોનીનું પદ છોડ્યા બાદ તેઓ ટીમ ઈન્ડિયાના વડા બન્યા.

વર્કલોડ મેનેજમેન્ટને કારણે કેપ્ટનશિપ છોડી

ટી 20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતી વખતે કોહલીએ વર્કલોડ મેનેજમેન્ટ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ જોતા તેમણે પદ છોડી દીધું. પરંતુ ટી 20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાથી તેના વર્કલોડ મેનેજમેન્ટ પર વધારે અસર થશે નહીં.

ટી 20 ફોર્મેટમાં તેની પાસે સૌથી ભારે કામ આરસીબી (Royal Challengers Bangalore)ની કેપ્ટનશિપ હતી. કારણ કે, અહીં બે મહિના સુધી સતત રમવું, પછી ટીમ સિલેક્શન, સ્ટ્રેટેજી મેકિંગ, તેમજ બેટ્સમેનની ભૂમિકા ખૂબ જ ભારે રહે છે. અહીં એક સીઝનમાં ઓછામાં ઓછી 14 મેચ રમવાની હોય છે. જો આપણે ભારતીય ટીમમાં ટી 20 ક્રિકેટની વાત કરીએ તો, ગત જાન્યુઆરી 2020 થી, ભારતે માત્ર 16 ટી 20 મેચ રમી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે IPL ની કેપ્ટનશિપ ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતાં વધુ બોજારૂપ છે.

2023 સુધી વનડે કેપ્ટનશિપ છોડશે નહીં

હવે અહીં આપણે વનડે કેપ્ટન્સીની જવાબદારી વિશે પણ વાત કરવી જોઈએ. ભારતે જાન્યુઆરી 2020 થી નવ વનડે રમી છે. હવે આવતા વર્ષે જૂન સુધી ભારતે વધુ નવ વનડે રમવાની છે. આ સાથે, વર્લ્ડ કપ 2023માં પણ યોજાવાનો છે. 2022 ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતની વનડે મેચ વધી શકે છે. આવી સ્થિતિમાં એવું લાગતું નથી કે, કોહલી વનડેની કેપ્ટનશીપ છોડી દે.

તે 2023 ના વર્લ્ડ કપ (World Cup)માં ટીમ ઈન્ડિયા (Team India)નો કેપ્ટન બનવા ઈચ્છશે. સામાન્ય રીતે જો કોઈ કેપ્ટનશિપ છોડે, તો પછી તે ટેસ્ટ અથવા વન-ડે-ટી -20 પસંદ કરે છે. પરંતુ કોહલીએ ટેસ્ટ-વનડે પસંદ કર્યું છે. આ કાફલો કેવી રીતે આગળ વધે છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો : Manika Batra અને ફેડરેશન વચ્ચેના વિવાદ વચ્ચે, સ્ટાર ખેલાડી TTFI વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">