AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI એ વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડવાના અહેવાલને રદિયો આપતા કહ્યું, તમામ ફોર્મેટમાં તેમની જ કમાન રહેશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તે અહેવાલને ફગાવી દીધો છે, જે રોહિત શર્માને (Rohit Sharma) વિરાટ (Virat Kohli)ની જગ્યાએ ટી 20 વર્લ્ડ કપ બાદ વનડે અને ટી 20 ટીમના કેપ્ટન બનાવવાનો દાવો કરતો હતો.

BCCI એ વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડવાના અહેવાલને રદિયો આપતા કહ્યું, તમામ ફોર્મેટમાં તેમની જ કમાન રહેશે
Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 2:50 PM
Share

BCCI : ટી 20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી (Virat Kohli) વનડે અને ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડવાના છે તેવા સમાચારના થોડા કલાકો બાદ જ બીસીસીઆઈએ આગળ વધીને તેને સીધો જ નકારી દીધો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તે અહેવાલને ફગાવી દીધો છે, જે રોહિત શર્માને (Rohit Sharma) વિરાટ (Virat Kohli)ની જગ્યાએ ટી 20 વર્લ્ડ કપ બાદ વનડે અને ટી 20 ટીમના કેપ્ટન બનાવવાનો દાવો કરતો હતો.

બોર્ડના ખજાનચી અરુણ ધૂમલે સોમવારે તે અહેવાલને પાયા વિહોણો ગણાવ્યો અને કહ્યું કે, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલીના (Virat Kohli) કેપ્ટનશીપ છોડવાના સમાચાર ખોટા છે. ભારતીય ક્રિકેટ (Indian cricket)માં આવું કશું થવાનું નથી.

બીસીસીઆઈના ખજાનચી અરુણ ધૂમલે રમત જગત સાથે જોડાયેલ એક ખાનગી વેબસાઈટ દ્વારા પ્રસિધ્ધ કરેલ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ બધી મીડિયાની બનાવેલી વસ્તુઓ છે. બોર્ડે વિભાજિત કેપ્ટનશીપ અંગે ન તો ચર્ચા કરી છે અને ન તો વિચાર્યું છે. સત્ય એ છે કે, વિરાટ કોહલી (Virat Kohli) તમામ ફોર્મેટમાં કેપ્ટન રહેશે.

અગાઉનો અહેવાલ શું હતો?

જો કે, અગાઉ બહાર આવેલા અહેવાલ મુજબ, વિરાટ કોહલી (Virat Kohli) ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) બાદ ક્રિકેટના ટૂંકા ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાનો હતો. તેના સ્થાને રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો હતા. ટી 20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી પોતે કેપ્ટનશીપમાંથી રાજીનામું આપશે. તે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લેશે.

સૂત્રોએ જણાવ્યું કે, વિરાટ, જે હાલમાં તમામ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે, તેણે રોહિત સાથે તેના નેતૃત્વની જવાબદારી વહેંચવાનો નિર્ણય કર્યો છે. તે અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, BCCI (Board of Control for Cricket in India)ના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક પણ તે સંદર્ભમાં યોજાઈ છે. એવું કહેવામાં આવ્યું હતું કે બોર્ડ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ ગુમાવ્યા બાદથી આ અંગે વિચાર કરી રહ્યું છે.

વિરાટ હશે કેપ્ટન – BCCI

જોકે, હવે અરુણ ધૂમલે સ્પષ્ટ કરી દીધું છે કે, બોર્ડની આવી કોઈ બેઠક યોજાઈ ન હતી. તેમજ અલગ ફોર્મેટ માટે ક્યારેય અલગ કેપ્ટન વિશે કોઈ ચર્ચા થઈ નથી. બોર્ડ માટે વિરાટ કોહલી (Virat Kohli) તમામ ફોર્મેટના કેપ્ટન છે.

વિરાટ કોહલીએ અત્યાર સુધી 65 ટેસ્ટ, 95 વનડે અને 45 ટી 20 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. આમાં તેણે 38 ટેસ્ટ જીતી છે, 65 વનડે જીતી છે અને 29 ટી 20 મેચ જીતી છે.

આ પણ વાંચો : Health Tips : ડેન્ગ્યુ તાવથી બચવા માટે આ વસ્તુઓ ખોરાકમાં સામેલ કરો, પ્લેટલેટ્સ વધારવામાં કરશે મદદ

આ પણ વાંચો : T20 world cup પછી વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડશે, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી શકે છે

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">