BCCI એ વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડવાના અહેવાલને રદિયો આપતા કહ્યું, તમામ ફોર્મેટમાં તેમની જ કમાન રહેશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તે અહેવાલને ફગાવી દીધો છે, જે રોહિત શર્માને (Rohit Sharma) વિરાટ (Virat Kohli)ની જગ્યાએ ટી 20 વર્લ્ડ કપ બાદ વનડે અને ટી 20 ટીમના કેપ્ટન બનાવવાનો દાવો કરતો હતો.

BCCI એ વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડવાના અહેવાલને રદિયો આપતા કહ્યું, તમામ ફોર્મેટમાં તેમની જ કમાન રહેશે
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 2:50 PM

BCCI : ટી 20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી (Virat Kohli) વનડે અને ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડવાના છે તેવા સમાચારના થોડા કલાકો બાદ જ બીસીસીઆઈએ આગળ વધીને તેને સીધો જ નકારી દીધો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તે અહેવાલને ફગાવી દીધો છે, જે રોહિત શર્માને (Rohit Sharma) વિરાટ (Virat Kohli)ની જગ્યાએ ટી 20 વર્લ્ડ કપ બાદ વનડે અને ટી 20 ટીમના કેપ્ટન બનાવવાનો દાવો કરતો હતો.

બોર્ડના ખજાનચી અરુણ ધૂમલે સોમવારે તે અહેવાલને પાયા વિહોણો ગણાવ્યો અને કહ્યું કે, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલીના (Virat Kohli) કેપ્ટનશીપ છોડવાના સમાચાર ખોટા છે. ભારતીય ક્રિકેટ (Indian cricket)માં આવું કશું થવાનું નથી.

બીસીસીઆઈના ખજાનચી અરુણ ધૂમલે રમત જગત સાથે જોડાયેલ એક ખાનગી વેબસાઈટ દ્વારા પ્રસિધ્ધ કરેલ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ બધી મીડિયાની બનાવેલી વસ્તુઓ છે. બોર્ડે વિભાજિત કેપ્ટનશીપ અંગે ન તો ચર્ચા કરી છે અને ન તો વિચાર્યું છે. સત્ય એ છે કે, વિરાટ કોહલી (Virat Kohli) તમામ ફોર્મેટમાં કેપ્ટન રહેશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અગાઉનો અહેવાલ શું હતો?

જો કે, અગાઉ બહાર આવેલા અહેવાલ મુજબ, વિરાટ કોહલી (Virat Kohli) ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) બાદ ક્રિકેટના ટૂંકા ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાનો હતો. તેના સ્થાને રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો હતા. ટી 20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી પોતે કેપ્ટનશીપમાંથી રાજીનામું આપશે. તે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લેશે.

સૂત્રોએ જણાવ્યું કે, વિરાટ, જે હાલમાં તમામ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે, તેણે રોહિત સાથે તેના નેતૃત્વની જવાબદારી વહેંચવાનો નિર્ણય કર્યો છે. તે અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, BCCI (Board of Control for Cricket in India)ના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક પણ તે સંદર્ભમાં યોજાઈ છે. એવું કહેવામાં આવ્યું હતું કે બોર્ડ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ ગુમાવ્યા બાદથી આ અંગે વિચાર કરી રહ્યું છે.

વિરાટ હશે કેપ્ટન – BCCI

જોકે, હવે અરુણ ધૂમલે સ્પષ્ટ કરી દીધું છે કે, બોર્ડની આવી કોઈ બેઠક યોજાઈ ન હતી. તેમજ અલગ ફોર્મેટ માટે ક્યારેય અલગ કેપ્ટન વિશે કોઈ ચર્ચા થઈ નથી. બોર્ડ માટે વિરાટ કોહલી (Virat Kohli) તમામ ફોર્મેટના કેપ્ટન છે.

વિરાટ કોહલીએ અત્યાર સુધી 65 ટેસ્ટ, 95 વનડે અને 45 ટી 20 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. આમાં તેણે 38 ટેસ્ટ જીતી છે, 65 વનડે જીતી છે અને 29 ટી 20 મેચ જીતી છે.

આ પણ વાંચો : Health Tips : ડેન્ગ્યુ તાવથી બચવા માટે આ વસ્તુઓ ખોરાકમાં સામેલ કરો, પ્લેટલેટ્સ વધારવામાં કરશે મદદ

આ પણ વાંચો : T20 world cup પછી વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડશે, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી શકે છે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">