T-20 Final: રોહિત શર્માએ સુનિલ ગાવાસ્કરને બે મિનીટમાં જ ખોટા સાબિત કરી દીધા, ગાવાસ્કરે કહ્યુ હું હવે ચુપ રહીશ

|

Nov 10, 2020 | 10:31 PM

ટી-20 લીગની ફાઇનલ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રમાઇ રહી હતી. આ દરમ્યાન ચોથી ઓવર માટે સૌને આશા હતી કે બુમરાહ ઓવર લઇને આવશે, પરંતુ એમ થયુ નહોતુ. કેપ્ટન રોહિત શર્માએ જયંત યાદવના હાથમાં બોલ થમાવી દીધો હતો. આ વચ્ચે મેચના લાઇવ પ્રસારણ માટે ફાઇનલ મેચની હિન્હીમાં લાઇવ કોમેન્ટ્રી પુર્વ ભારતીય કેપ્ટન સુનિલ […]

T-20 Final: રોહિત શર્માએ સુનિલ ગાવાસ્કરને બે મિનીટમાં જ ખોટા સાબિત કરી દીધા, ગાવાસ્કરે કહ્યુ હું હવે ચુપ રહીશ

Follow us on

ટી-20 લીગની ફાઇનલ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રમાઇ રહી હતી. આ દરમ્યાન ચોથી ઓવર માટે સૌને આશા હતી કે બુમરાહ ઓવર લઇને આવશે, પરંતુ એમ થયુ નહોતુ. કેપ્ટન રોહિત શર્માએ જયંત યાદવના હાથમાં બોલ થમાવી દીધો હતો. આ વચ્ચે મેચના લાઇવ પ્રસારણ માટે ફાઇનલ મેચની હિન્હીમાં લાઇવ કોમેન્ટ્રી પુર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવાસ્કર કરી રહ્યા હતા.

કોમેન્ટ્રી દરમ્યાન સુનિલ ગાવાસ્કરને સાથી કોમેન્ટેટર આકાશ ચોપડેા એ પુછ્યુ હતુ કે, આ કેવો નિર્ણય છે કે બુમરાહને બોલ નથી આપ્યો. આની પર ગાવાસ્કરે કહ્યુ હતુ કે આ ખુબ જ ખોટો નિર્ણય છે. કેપ્ટન રોહિત શર્માથી તેમને આ આશા નહોતી, પરંતુ રોહિતનો આ નિર્ણય જયંત યાદવના ત્રીજા બોલ પર જ યોગ્ય સાબીત થઇ ગયો હતો. જ્યારે જયંત યાદવે શિખર ધવન ને ક્લિન બોલ્ડ કરી દીધો હતો. આમ આ રીતે સુનિલ ગાવાસ્કર આ રીતે ખોટા સાબિત થઇ ગયા હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આવામાં જ્યારે જયંત યાદવને સફળતા મળી અને રોહિતના નિર્ણયની સરાહના થવા લાગી તો, હિટમેનની કેપ્ટનશીપના નિર્ણયની આલોચના કરનારા સુનિલ ગાવાસ્કરે જ કહી દીધુ કે હું ખોટો સાબિત થયો છુ. હવે હાલમાં કોમેન્ટ્રી નહી કરુ, હું હવે ચુપ રહીશ. ગાવાસ્કરના આલોચના કરવાના, જયંત યાદવનો વિકેટ લેવાનો અને રોહિત શર્માની તારીફ થવાનો આ સમયગાળો માત્ર બે મીનીટનો જ રહ્યો હતો. ત્યાર બાદ આકાશ ચોપડા અને અજીત અગારકરે કોમેન્ટ્રી ની કમાન સંભાળી હતી અને રોહિતની તારીફ પણ કરી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article