Wrestlers Protest: બ્રિજભૂષણ શરણ સિંહને તમામ પદો પરથી હટાવવા જોઈએ, અનુરાગ ઠાકુર ફોન નથી ઉપાડતા : રેસલર્સ

આ પહેલા વિનેશ ફોગાટે કહ્યું હતુ કે, આખો દેશ ક્રિકેટની પુજા કરે છે. ક્રિકેટરને જીતવા પર તેમને શુભકામના પાઠવે છે,પરંતુ આ મામલે હજુ સુધી એક પણ ક્રિકેટરે કાંઈ પણ કહ્યું નથી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પહેલવાનોએ અનેક ખુલાસા કર્યા છે.

Wrestlers Protest:  બ્રિજભૂષણ શરણ સિંહને તમામ પદો પરથી હટાવવા જોઈએ, અનુરાગ ઠાકુર ફોન નથી ઉપાડતા : રેસલર્સ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 5:01 PM

નીરજ ચોપરા, કપિલ દેવ બાદ હવે વિરેન્દ્ર સહેવાગ પણ ભારતના સ્ટાર રેસલર્સ ભારતીય કુશ્તી સંધના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી રહ્યા છે અને આ માંગને લઈ તેઓ છેલ્લા કેટલાક દિવસથી ધરણા પર બેઠા છે. સરકારે બ્રિજભૂણાશ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની કુસ્તીબાજોની માંગને સ્વીકારી લીધી છે. શુક્રવારે સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને આ માહિતી આપી હતી. આ દરમિયાન હવે કુસ્તીબાજોએ સરકારને અપીલ કરી છે કે બ્રિજભૂષણ સિંહને તમામ પદો પરથી હટાવીને જેલમાં મોકલવામાં આવે. સાંજે 4 વાગે જંતર-મંતર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને કુસ્તીબાજોએ સ્પષ્ટ કર્યું છે કે તેમના ધરણા હજુ સમાપ્ત થશે નહીં.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

આ લડાઈ માત્ર એફઆઈઆર સુધીની નથી

અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા પછી, કુસ્તીબાજો તેમની હડતાલ સમાપ્ત કરશે, પરંતુ તેઓએ તેમ કરવાનો ઇનકાર કરી દીધો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિનેશ ફોગાટે કહ્યું કે અમને સુપ્રીમ કોર્ટમાં પૂરો વિશ્વાસ છે. બ્રિજભૂષણ સિંહને તમામ પદો પરથી હટાવવા જોઈએ, તેઓ તેમની પોસ્ટનો દુરુપયોગ કરી શકે છે. અમને કોઈ સમિતિ કે સમિતિના સભ્ય પર વિશ્વાસ નથી. તેમણે કહ્યું કે આ લડાઈ માત્ર એફઆઈઆર સુધીની નથી. લડાઈ બ્રિજભૂષણ સિંહને સજા કરાવવાની છે. બ્રિજ ભૂષણ સિંહને જેલમાં ધકેલી દેવા જોઈએ. તેમણે કહ્યું કે હું પીએમ મોદીને અપીલ કરું છું કે બ્રિજ ભૂષણને નૈતિક આધાર પર તમામ પદ પરથી બરતરફ કરવામાં આવે.

વિનેશ ફોગાટે કહ્યું કે, મારી હજુ પણ ખેલાડીઓને અપીલ છે અને અગાઉ પણ એવી જ હતી કે જો રમતગમતને બચાવવી હોય તો રમતને આવા લોકોની ચુંગાલમાંથી મુક્ત કરવી પડશે. તે માત્ર કુસ્તીની વાત નથી, દરેક રમતની વાત છે. દરેક વ્યક્તિ ચિંતિત છે. જો ભવિષ્યમાં દેશમાં રમતગમતને બચાવવી હોય તો આપણે સાથે આવવું પડશે.પુરાવા અંગે તેમણે કહ્યું કે એફઆઈઆર નોંધવા માટે પૂરતા પુરાવા છે. હવે અમારે જે પણ પુરાવા આપવા પડશે તે અમે સુપ્રીમ કોર્ટમાં આપીશું કોઈ કમિટીની સામે નહીં. જે એફઆઈઆર પહેલા દિવસે નોંધવી જોઈતી હતી, તેને નોંધવામાં 6 દિવસનો સમય લાગ્યો હતો.

સહેવાગે તપાસની માંગ કરી

વિનેશે ખુલાસો કર્યો હતો કે, બ્રિજ ભૂષણ શરણ સિંહે પહેલા મહિલાઓનું શારિરીક અને માનસિક શોષણ કર્યો છે. તે સમયે અનુરાગ ઠાકુરે તપાસ માટે એક કમિટી બનાવી હતી પરંતુ રેસલર્સનું કહેવું છે કે, અધ્યક્ષ વિરુદ્ધ કાર્યવાહી સંપુર્ણ નથી. આ કારણે તેઓ ધરણા પર બેઠા છે. સહવાગે બીજો ફોટો શેર કર્યો છે. જે તે સમયનો છે જ્યારે રેસલર્સ ધરણા પર હતા. પૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે. ચેમ્પિયન રસ્તા પર જોવા ખુબ દુખની વાત છે. આ ખુબ સંવેદનશીલ ઘટના છે અને તેની તપાસ થવી જોઈએ.

ઈરફાન પઠાણે પણ કર્યું રિટ્વિટ

ઈરફાન પઠાણે પણ એક ટ્વિટ કર્યું અને કહ્યું કે, ભારતીય એથલિટ હંમેશા આપણું ગર્વ છે. આ પહેલા એક ઈન્ટરવ્યુમાં વિનેશ ફોગાટે કહ્યું હતું કે, દેશ ક્રિકેટની પુજા કરે છે. અત્યાર સુધી એક પણ ક્રિકેટરે આ મામલે કંઈ કહ્યું નથી. ક્રિકેટરો જીત પર અભિનંદન આપે છે, પરંતુ હવે તેમની સાથે શું થઈ ગયું છે. સમગ્ર દેશમાં ફરી એકવાર કુસ્તીનો મામલો ગરમાયો છે. અન્ય રમતોના ખેલાડીઓ પણ આ મુદ્દે બોલી રહ્યા છે અને તપાસની માંગ કરી રહ્યા છે.

શા માટે કુસ્તીબાજો ધરણા પર બેઠા છે?

બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક સહિત ઘણા કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશનના પ્રમુખ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. રેસલર્સનો આરોપ છે કે મહિલા રેસલર્સનું યૌન શોષણ થાય છે. આ સાથે ફેડરેશનના પ્રમુખ પર પણ તાનાશાહી અને મનમાનીનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિનેશ ફોગાટે કહ્યું કે તેના સહિત ઘણા રેસલર માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે. જો આપણે સુરક્ષિત નથી તો કોણ સુરક્ષિત છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">