નિરજ ચોપરા (Neeraj Chopra) એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેલ અપાવ્યો છે. જેના બાદ મહારાષ્ટ્ર ના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)એ નિરજના વખાણ કરતા મહત્વની વાત કરી તેના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. સાથે જ તેમણે નિરજનુ મહારાષ્ટ્રમાં ભવ્ય સન્માન કરવાની ઇચ્છા દર્શાવી હતી.
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નિરજ ચોપરાના વખાણ ખાસ શબ્દોમાં કર્યા હતા. તેઓએ નિરજના પરિવારજનો સાથે વાત કરતા કહ્યુ હતુ, મરાઠા વાતો નથી બનાવતા, ઇતિહાસ રચે છે. મુખ્ય પ્રધાને ના ફક્ત નિરજના કાર્યોની પ્રશંસા કરી હતી, પરંતુ મહારાષ્ટ્રમાં તેમના ભવ્ય સ્વાગત સત્કારની ઇચ્છા પણ દર્શાવી હતી. આ માટે તેઓએ નિરજના પરિવારવાળાઓ સાથે સમય માગ્યો હતો. તેઓએ બતાવ્યુ હતુ કે, નિરજનુ સન્માન વિધાનસભામાં બોલાવીને કરવામાં આવશે.
હરિયાણાના ખાંદરા ગામના રહેનાર નિરજ 13 ઓગષ્ટે પોતાના ગામ પરત ફરશે. ગામમાં નિરજના સ્વાગતમાં લોકો રાહ જોઇને બેઠા છે. પોતાના ગામ થી નિરજ 15 ઓગષ્ટના કાર્યક્રમ માટે દિલ્હી જશે. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકાર તેને, બોલાવવા માટે ઇચ્છે છે. તેના સન્માનમાં એક ભવ્ય સ્વાગત સમારોહ આયોજીત કરવા ઇચ્છે છે.
બતાવી દઇએ કે નિરજ ચોપરાના પુર્વજ મહારાષ્ટ્રના હતા. તેઓ પાનીપતના ત્રીજા યુદ્ધમાં પેશ્વા બાલાજી બાજીરાવ તરફ થી ત્રીજા પાનીપત માટે અહીં આવ્યા હતા. જે યુદ્ધ અફઘાન સાશક અહમદ શાહ અબ્દાલી અને વીર મરાઠાઓ વચ્ચે લડવામાં આવ્યુ હતુ. તેના બાદ નિરજ ચોપડાના પૂર્વજ પાણીપતમાં જ વસી ગયા હતા. પાણીપત યુદ્ધમાં જે લોકો બચી ગયા હતા, તે તમામ જાતી અને સમાજા લોકો હરિયાણામાં રોડ મરાઠા નામ થી જાણીતા છે. સોનીપત, પાણીપત, કુરુક્ષેત્ર, કરનાલ, કૈથલ અને જીંદ એટલે કે આ 6 જીલ્લાઓમાં રાણે, ભોસલે, ચોપડે, મુલે, મહલે સરનેઇમ સાતે મરાઠા સમાજ સદીઓથી હરિયાણામાં રહેતો આવ્યો છે. ખેતી અને દુધના વ્યવસાય આ સમાજનો મુખ્ય વ્યવસાય છે. એ જ ગૌરવ શાળી પરંપરા વાળા મરાઠા સમાજના એક પરિવાર થી નિરજ સંબંધીત છે.