Tokyo Olympics: નિરજના પરિવાર સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, મરાઠા વાતો નથી કરતા, ઇતિહાસ રચે છે

|

Aug 08, 2021 | 11:20 PM

નિરજ ચોપરા (Neeraj Chopra) 15 ઓગષ્ટના કાર્યક્રમ માટે દિલ્હી જશે. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકાર ( Maharashtra Government) નિરજને, પોતાના ત્યા બોલાવવા ઇચ્છે છે. સાથે જ તેના સન્માનમાં એક ભવ્ય સ્વાગત સમારોહનુ આયોજન પણ કરવા પણ તેઓ ઇચ્છે છે.

Tokyo Olympics: નિરજના પરિવાર સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, મરાઠા વાતો નથી કરતા, ઇતિહાસ રચે છે
CM Uddhav Thackeray

Follow us on

નિરજ ચોપરા (Neeraj Chopra) એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેલ અપાવ્યો છે. જેના બાદ મહારાષ્ટ્ર ના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)એ નિરજના વખાણ કરતા મહત્વની વાત કરી તેના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. સાથે જ તેમણે નિરજનુ મહારાષ્ટ્રમાં ભવ્ય સન્માન કરવાની ઇચ્છા દર્શાવી હતી.

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નિરજ ચોપરાના વખાણ ખાસ શબ્દોમાં કર્યા હતા. તેઓએ નિરજના પરિવારજનો સાથે વાત કરતા કહ્યુ હતુ, મરાઠા વાતો નથી બનાવતા, ઇતિહાસ રચે છે. મુખ્ય પ્રધાને ના ફક્ત નિરજના કાર્યોની પ્રશંસા કરી હતી, પરંતુ મહારાષ્ટ્રમાં તેમના ભવ્ય સ્વાગત સત્કારની ઇચ્છા પણ દર્શાવી હતી. આ માટે તેઓએ નિરજના પરિવારવાળાઓ સાથે સમય માગ્યો હતો. તેઓએ બતાવ્યુ હતુ કે, નિરજનુ સન્માન વિધાનસભામાં બોલાવીને કરવામાં આવશે.

15 ઓગષ્ટ બાદ નિરજને મહારાષ્ટ્ર બોલાવવાની તૈયારી

હરિયાણાના ખાંદરા ગામના રહેનાર નિરજ 13 ઓગષ્ટે પોતાના ગામ પરત ફરશે. ગામમાં નિરજના સ્વાગતમાં લોકો રાહ જોઇને બેઠા છે. પોતાના ગામ થી નિરજ 15 ઓગષ્ટના કાર્યક્રમ માટે દિલ્હી જશે. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકાર તેને, બોલાવવા માટે ઇચ્છે છે. તેના સન્માનમાં એક ભવ્ય સ્વાગત સમારોહ આયોજીત કરવા ઇચ્છે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નિરજ ચોપરાનો પરિવાર કહેવાય છે, રોડ મરાઠા, શુ છે તેમની ગૌરવ ગાથા

બતાવી દઇએ કે નિરજ ચોપરાના પુર્વજ મહારાષ્ટ્રના હતા. તેઓ પાનીપતના ત્રીજા યુદ્ધમાં પેશ્વા બાલાજી બાજીરાવ તરફ થી ત્રીજા પાનીપત માટે અહીં આવ્યા હતા. જે યુદ્ધ અફઘાન સાશક અહમદ શાહ અબ્દાલી અને વીર મરાઠાઓ વચ્ચે લડવામાં આવ્યુ હતુ. તેના બાદ નિરજ ચોપડાના પૂર્વજ પાણીપતમાં જ વસી ગયા હતા. પાણીપત યુદ્ધમાં જે લોકો બચી ગયા હતા, તે તમામ જાતી અને સમાજા લોકો હરિયાણામાં રોડ મરાઠા નામ થી જાણીતા છે. સોનીપત, પાણીપત, કુરુક્ષેત્ર, કરનાલ, કૈથલ અને જીંદ એટલે કે આ 6 જીલ્લાઓમાં રાણે, ભોસલે, ચોપડે, મુલે, મહલે સરનેઇમ સાતે મરાઠા સમાજ સદીઓથી હરિયાણામાં રહેતો આવ્યો છે. ખેતી અને દુધના વ્યવસાય આ સમાજનો મુખ્ય વ્યવસાય છે. એ જ ગૌરવ શાળી પરંપરા વાળા મરાઠા સમાજના એક પરિવાર થી નિરજ સંબંધીત છે.

 આ પણ વાંચોઃ IND vs ENG: વરસાદે ભારતની જીતની આશાઓ પર ફેરવ્યુ પાણી, નોટિંગહામ ટેસ્ટ ડ્રો પર સમાપ્ત જાહેર કરાઇ

 આ પણ વાંચોઃ IND vs ENG: બુમરાહે કરેલી કમાલ ટ્રેન્ટ બ્રિઝ ગ્રાઉન્ડ પર લખાઈ ગઈ, BCCI એ શેર કર્યો વિડીયો, જુઓ

Next Article