AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર 20 દિવસમાં સાયના નેહવાલે પોતાનો નિર્ણય બદલ્યો, પતિ પારૂપલ્લી કશ્યપ સાથે કર્યું ‘પેચ-અપ’

ભારતની સૌથી સફળ બેડમિન્ટન ખેલાડીઓમાંની એક સાયના નેહવાલ અને દિગ્ગજ ખેલાડી કશ્યપે 2018 માં લગ્ન કર્યા હતા. બંનેએ અચાનક લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પરંતુ 13 જુલાઈના રોજ સાયનાએ કશ્યપથી અલગ થવાની જાહેરાત કરીને સનસનાટી મચાવી દીધી હતી.

માત્ર 20 દિવસમાં સાયના નેહવાલે પોતાનો નિર્ણય બદલ્યો, પતિ પારૂપલ્લી કશ્યપ સાથે કર્યું 'પેચ-અપ'
Saina Nehwal & P KashyapImage Credit source: Instagram
| Updated on: Aug 02, 2025 | 10:23 PM
Share

બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલે ફરી એકવાર પોતાના ચાહકોને ચોંકાવી દીધા છે. પરંતુ આ વખતે તેણે સારા સમાચાર આપીને પોતાના ચાહકોને ચોંકાવી દીધા છે. થોડા દિવસ પહેલા પોતાના પતિ અને દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપથી અલગ થવાની જાહેરાત કરનાર સાઇનાએ જાહેરાત કરી છે કે તેઓ બંને પાછા સાથે છે. માત્ર 20 દિવસમાં, આ બેડમિન્ટન કપલે તેમના અલગ થવાનો અંત લાવવાનો અને તેમના લગ્ન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

દૂર થઈ સાથે રહેવાનો અહેસાસ થયો

2 ઓગસ્ટના રોજ, સાયના નેહવાલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પતિ કશ્યપ સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો, જે કોઈ વિદેશના પર્યટન સ્થળનો હોય તેવું લાગતું હતું. આ ફોટો સાથે, સાયનાએ જાહેરાત કરી કે તે અને કશ્યપ ફરી સાથે આવ્યા છે અને ફરીથી સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાયનાએ લખ્યું, “ક્યારેક દૂરી તમને સાથે રહેવાનો અહેસાસ શીખવે છે. અમે ફરી એકવાર પ્રયાસ કરી રહ્યા છીએ.”

View this post on Instagram

A post shared by SAINA NEHWAL (@nehwalsaina)

20 દિવસ પહેલા અલગ થવાની જાહેરાત કરી

13 જુલાઈની રાત્રે, સાયનાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા હંગામો મચાવ્યો. સાયનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જાહેરાત કરી હતી કે તે અને કશ્યપ અલગ થઈ રહ્યા છે. સાયનાએ ત્યારે લખ્યું હતું કે ખૂબ વિચાર કર્યા પછી, બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો અને બંને શાંતિથી એકબીજા માટે પ્રગતિનો માર્ગ પસંદ કરી રહ્યા હતા. સાયનાની જાહેરાત જેટલી આઘાતજનક હતી, તેટલી જ આશ્ચર્યજનક વાત એ હતી કે ફક્ત સાયનાએ તેની જાહેરાત કરી, જ્યારે કશ્યપે તેના વિશે કંઈ કહ્યું નહીં.

સાયના-કશ્યપે 2018માં લગ્ન કર્યા હતા

સાયના અને કશ્યપે 2018માં લગ્ન કર્યા હતા. સાયના અને કશ્યપ પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમીમાં મિત્રો બન્યા, જ્યાં બંનેએ લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છાપ છોડી. લગ્ન પછી કશ્યપે પોતાની કારકિર્દીને રોકી દીધી અને સાયનાને તેની પ્રેક્ટિસમાં મદદ કરવાનું શરૂ કર્યું, જેથી તે તેની કારકિર્દીમાં આગળ વધી શકે.

આ પણ વાંચો: ચેસ વર્લ્ડ કપ જીતવા બદલ ચેમ્પિયન દિવ્યા દેશમુખને કરોડોનું ઈનામ, મહારાષ્ટ્ર સરકારે કર્યું સન્માન

બેડમિન્ટન સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">