AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris 2024: નીરજ ચોપરા જીતશે વધુ એક ગોલ્ડ, યાદગાર રહી છે ઓલિમ્પિકની સફર

હવે ઓલિમ્પિક 2024 માટે માત્ર 2 અઠવાડિયા બાકી છે. રમતગમતની આ સૌથી મોટી ઈવેન્ટ પેરિસમાં 26 જુલાઈથી શરૂ થશે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતમાંથી રેકોર્ડ 124 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ વખતે ઈવેન્ટમાં કુલ 112 એથ્લેટ ભાગ લેવાના છે. નીરજ ચોપરા પણ તેમાંથી એક છે, જેણે છેલ્લી વખત જેવલીન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Paris 2024: નીરજ ચોપરા જીતશે વધુ એક ગોલ્ડ, યાદગાર રહી છે ઓલિમ્પિકની સફર
Neeraj Chopra
| Updated on: Jul 19, 2024 | 7:57 PM
Share

નીરજ ચોપરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો પ્રથમ ફિલ્ડ એથ્લેટ છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં તેણે જેવલીન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારથી તે આ રમતમાં આખી દુનિયા પર રાજ કરી રહ્યો છે. નીરજ જેવલીન થ્રોમાં પણ વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યો છે અને તેણે આ રમતમાં અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. હાલમાં, નીરજ ચોપરા ફરી એકવાર પેરિસ ઓલિમ્પિક 2024 માં ગોલ્ડ મેડલ જીતવા માટે સખત મહેનત કરી રહ્યો છે.

15 વર્ષની ઉંમરે નેશનલ ચેમ્પિયન બન્યો

નીરજ ચોપડાએ ભલે 22 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ તેણે નાની ઉંમરમાં ચેમ્પિયન બનવાની ઝલક દેખાડી હતી. 2012માં 15 વર્ષની ઉંમરે નીરજ અંડર-16 નેશનલ ચેમ્પિયન બન્યો હતો. આ ઈવેન્ટમાં તેણે 68.60 મીટરનો થ્રો કરીને નવો નેશનલ રેકોર્ડ પણ બનાવ્યો હતો. માત્ર બે વર્ષ પછી, તેણે યુથ ઓલિમ્પિક ક્વોલિફિકેશનમાં તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સિલ્વર મેડલ જીત્યો. 2015 માં, 18 વર્ષની ઉંમરે, તેણે ચેન્નાઈમાં યોજાયેલી આંતર-રાજ્ય સ્પર્ધામાં 77.33 મીટરનો થ્રો કરીને તેની પ્રથમ સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ જીતી હતી.

આર્મીએ આપી ટ્રેનિંગ

વર્ષ 2016 નીરજ ચોપરા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. તેણે કોલકાતામાં નેશનલ ઓપન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ પછી ગુવાહાટીમાં સાઉથ એશિયન ગેમ્સમાં 82.23 મીટર ફેંકીને વધુ એક ગોલ્ડ જીત્યો. નીરજનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શન જોઈને ભારતીય સેના ખૂબ જ ખુશ હતી. તેથી, સેનાએ તેને 2017 માં જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) બનાવવાનો નિર્ણય કર્યો. આર્મીમાં જોડાયા બાદ નીરજ ચોપરાની પસંદગી ‘મિશન ઓલિમ્પિક્સ વિંગ’ હેઠળ તાલીમ માટે કરવામાં આવી હતી.

ઘણા મેડલ જીત્યા

ભારતીય સેનાની ‘મિશન ઓલિમ્પિક્સ વિંગ’ હેઠળ તાલીમ લીધા બાદ નીરજે અનેક મેડલ જીત્યા હતા. 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં તેણે 86.47 મીટરનો થ્રો ફેંક્યો હતો, જે તે સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. તે જ વર્ષે તેણે દોહા ડાયમંડ લીગમાં 87.43 મીટરનો થ્રો કરીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. આ પછી તેણે એશિયન ગેમ્સમાં 88.06 મીટર સાથે ગોલ્ડ મેડલ જીત્યો.

ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો

જ્યારે ટોક્યો ઓલિમ્પિક 2020 નજીક આવી રહ્યો હતો, ત્યારે નીરજ ચોપરા ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. આ ઈવેન્ટમાં તેની ભાગીદારી જોખમમાં હતી. જોકે, આ વર્ષે કોરોના વાયરસે દસ્તક આપી હતી. આનાથી તેને સ્વસ્થ થવા માટે વધુ સમય મળ્યો. આ પછી 2021માં તેણે ટોક્યોમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ઈવેન્ટમાં તેણે 87.58 મીટરનો થ્રો કરીને આ મેડલ જીત્યો હતો, જે તેની કારકિર્દીનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો.

ઓલિમ્પિક પછી પણ ચમક ચાલુ રહી

ઓલિમ્પિક પછી પણ નીરજની સફળતા ચાલુ રહી. તેણે ઓરેગોનમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં સિલ્વર મેડલ જીત્યો હતો. બીજા જ વર્ષે તેણે બુડાપેસ્ટમાં યોજાયેલી આ જ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે, તે જેવલીન થ્રોમાં વિશ્વ ચેમ્પિયન બનનાર ભારતીય એથ્લેટ બન્યો. હાંગઝોઉ એશિયન ગેમ્સ 2023માં તેણે બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

નીરજ ચોપરાના એવોર્ડ્સ

ભાલા ફેંકમાં નીરજ ચોપરાના ઉત્કૃષ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે તેને 2018 માં અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા. સેનાએ તેમને 2020માં રમતગમતમાં વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કર્યો હતો. આ સિવાય તેમને 2021માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને 2022માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વેચાવા જઈ રહી છે આ IPL ટીમ, કિંમત છે 12550 કરોડ રૂપિયા, જાણો કોણ હશે માલિક?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">