Indian Football Team : જો તમને લાગે છે કે, સુનીલ છેત્રી (Sunil Chhetri)ની આગેવાનીમાં ભારતીય ફુટબોલ ટીમ પોતાની મહેનત પર AFC Asian Cup માટે ક્વોલિફાય કર્યું છે તો તે વાત બિલકુલ ખોટી છે, કારણ કે, તેની પાછળ એક જ્યોતિષની મહત્વની ભૂમિકા રહી છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને AFC Asian Cup 2023 માટે ક્વોલિફાય પહેલા ટીમ માટે એક જ્યોતિષની નિમણૂક કરી હતી. Insidesportના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભારતીય ટીમ માટે એક જ્યોતિષ એજન્સીને 16 લાખ રુપિયા ખર્ચ કરી નિયુક્ત કરવામાં આવ્યા હતા
ભારતીય ફુટબોલ ટીમ સાથે જોડાયેલા એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, એશિયન કપ પહેલા રાષ્ટ્રીય ટીમ માટે એક પ્રેરકની નિમણૂક કરવામાં આવી હતી. જેના માટે કંપની સાથે કરાર કરવામાં આવ્યો હતો તે એક જ્યોતિષ હતા
સુત્રોના જણાવ્યા અનુસાર ટીમનો ઉત્સાહ વધારવા માટે તેને પ્રેરણા આપવા માટે એક જ્યોતિષની નિમણૂક કરવામાં આવી છે, તેની નિમણૂંક માટે 16 લાખ રુપિયાનો ખર્ચ થયો હતો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,ભારતીય ટીમે જ્યોતિષને ત્રણ સેશનમાં વહેંચવામાં આવ્યા હતા પરંતુ કોલકતાના એક ખેલાડીનું કહેવું છે કે,તેણે તેના વિશે સાંભળ્યું ન હતું કારણ કે તે મોડેથી ટીમમાં જોડાયો હતો.
ભારતીય ટીમના પૂર્વ ગોલકીપર તનુમય બોસે AIFFના આ પ્રયાસની મજાક ઉડાડી છે અને પીટીઆઈને કહ્યું કે,આવા સમયમાં આવી ઘટનાઓ ભારતીય ફૂટબોલરની તસ્વીર વધુ ખરાબ કરશે, સુનીલ છેત્રીની આગેવાનીવાળી ટીમ પોતાના ગ્રુપમાં ટોપ પર રહેતા AFC Asian Cup 2023 માટે ક્વોલિફાય કર્યું છે ભારતીય ફુટબોલ ટીમે (AFC Asian Cup)માં ક્વોલિફાયના અંતિમ મુકાબલામાં હોંગકોંગને હાર આપી છે. આ પહેલા ભારતીય ટીમે અફધાનિસ્તાન અને કંબોડિયાને હાર આપી હતી. ભારતીય ટીમે તેના ત્રણેય મેચ જીતી 9 અંક મેળવ્યા છે
ભારતની ક્વોલિફાયમાં આ ત્રીજી જીત હતી. આ પહેલા ભારતીય ટીમે અફધાનિસ્તાન અને કંબોડિયાને હાર આપી હતી હોંગકોંગની ટીમ હાર મળ્યા છતાં આગમી વર્ષે યોજાનારી ફાઈનલ માટે ટિકીટ કન્ફોર્મ કરી છે. હોંગકોંગ (India vs Hongkong) વિરુદ્ધ જીત બાદ ભારતીય ટીમે ગ્રુપ ડીમાં ટૉપ પર રહી હતી. હોંગકોંગની ટીમે 1968 પછી પ્રથમ વખત AFC Asian Cup માટે ક્વોલિફાય કર્યું હતુ,