AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મે ક્યારેય માસુમ લોકોની હત્યાને સમર્થન નથી કર્યુ, મુરલીધરને આખરે કેમ દર્દ સાથે કહેવી પડી આ વાત, જાણો તેની દર્દ ભરી વ્યથા.

શ્રીલંકાઇ ક્રિકેટર મુથૈયા મુરલીધરન ના જીવન પર 800 નામથી એક બાયોપિક બની રહી છે. ફિલ્મનુ નામ પણ તેમની ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટના આધાર પર રાખવામાં આવ્યુ છે. પાછળના દીવસોમાં આ ફીલ્મનુ એક પોસ્ટર જારી કરવામાં આવ્યુ હતુ. આના પછી થી તો ફિલ્મને લઇને વિવાદ સર્જાઇ ગયો હતો. ફિલ્મમાં મુરલીધરનનો રોલ નિભાવી રહેલા તામિલ અભિનેતા વિજય […]

મે ક્યારેય માસુમ લોકોની હત્યાને સમર્થન નથી કર્યુ, મુરલીધરને આખરે કેમ દર્દ સાથે કહેવી પડી આ વાત, જાણો તેની દર્દ ભરી વ્યથા.
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 18, 2020 | 11:19 AM
Share

શ્રીલંકાઇ ક્રિકેટર મુથૈયા મુરલીધરન ના જીવન પર 800 નામથી એક બાયોપિક બની રહી છે. ફિલ્મનુ નામ પણ તેમની ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટના આધાર પર રાખવામાં આવ્યુ છે. પાછળના દીવસોમાં આ ફીલ્મનુ એક પોસ્ટર જારી કરવામાં આવ્યુ હતુ. આના પછી થી તો ફિલ્મને લઇને વિવાદ સર્જાઇ ગયો હતો. ફિલ્મમાં મુરલીધરનનો રોલ નિભાવી રહેલા તામિલ અભિનેતા વિજય સેતુપતિ નિશાના પર લાગી ગયો છે.

 તેને ફિલ્મમાં અભિનય નહી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે. તો સાથે જ મુરલીધરન પર શ્રીલંકામાં થયેલા તામિલ લોકો પરના અત્યાચારને લઇને આરોપ લગાવવામાં આવી રહ્યા છે. કેટલીક રાજનિતીક પાર્ટીઓએ પણ આરોપ લગાવ્યો છે કે, મુરલીધરને તામિલો સાથે વિશ્વાસઘાત કર્યો છે એટલા માટે સેતુપતિએ તે ફિલ્મમાં કામ નહી કરવુ જોઇએ. મુરલીધન વિવાદને લઇને આગળ આવીને આરોપોને લઇને સફાઇ આપી હતી. તેણે કહ્યુ છે કે તેમના જીવન પર બની રહેલી ફિલ્મ બાયોપીક 800 માત્ર તેમની રમતની ઉપલબ્ધિઓને લઇને છે. તે દેશમાં દશકાઓના લાંબા સંઘર્ષના પછી આવુ કરી રહ્યા છે. તેમણે  એ વાત પર પણ નારાજગી દર્શાવી હતી કે, તેની પર તામિલોના વિરોધી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ એક રાજનીતિક કારણો અને અજ્ઞાનતાના કારણે જ થઇ રહ્યુ છે.

મારા પિતા અને સંબંધીઓને પણ મારી નાંખ્યા હતા.

મુરલીધરને કહ્યુ હતુ કે, તેમણે ક્યારેય માસુમ લોકોના મોત નિપજાવવાને લઇને સમર્થન નથી કર્યુ. તેમણે એક નિવેદન બહાર પાડીને આ બાબતે જાણકારી આપી હતી. તેઓ શ્રીલંકાઇ ગૃહયુદ્ધની પીડાને સમજે છે અને તેમના પરીવારે પણ શ્રીલંકામાં પોતાની યાત્રા કૂલીના સ્વરુપ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, અમે પણ ખુબ પ્રભાવીત રહ્યા છીએ. જ્યારે હું સાત વર્ષનો હતો ત્યારે જ મારા પિતાની હત્યા કરી દેવાઇ હતી. મારા સંબંધીઓને પણ મારી નાંખવામાં આવ્યા હતા. યુદ્ધના દરમ્યાન અમારી આજીવીકા પણ છિનવાઇ ગઇ હતી. કેટલાક એવા પણ દીવસો હતા કે જે દરમ્યાન અમારી પાસે કશુ જ નહોતુ. મને એ દુખ અને દર્દનો અહેસાસ છે. 800 મુવી યુદ્ધમાં મારા બચવા અને શ્રીલંકાની ટીમમાં આવવા માટેના લગતુ છે.

લોકોને મારી નાંખવાનો સપોર્ટ નથી કર્યો.

આગળ પણ મુરલી કહે છે કે, મારી સ્કૂલના સાથી પણ આગળના દિવસે મરી જાય છે. જે લોકોના ઘર છુટી ગયા, તે લોકો ફરી થી ક્યારેય પાછા ફરી શક્યા નથી. એક સામાન્ય માણસના રુપમાં ગૃહ યુદ્ધની સમાપ્તિ પર તેમને સુરક્ષાનો અહેસાસ થયો પાછળના દશ વર્ષમાં બંને તરફ થી કોઇનુ પણ મોત નિપજ્યુ નથી. એટલા માટે જ કહ્યુ હતુ કે વર્ષ 2009 તેમના જીવનમાં સૌથી વધુ ખુશીઓ ભર્યુ વર્ષ હતુ. મેં ક્યારેય માસુમ લોકોની હત્યાઓને સમર્થન નથી કર્યુ અને ના ક્યારેય કરીશ. સાથે જ મુરલીધન તામિલ ન જાણતો હોવાના આરોપોનુ પણ ખંડન કર્યુ હતુ. તોએ કહ્યુ હતુ કે તે પોતે તામિલ મિડીયમ શાળામાં જ ભણ્યો હતો અને તે તામિલ ભાષાને સારી રીતે જાણે અને બોલે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">