IPL 2021: હવે ચેન્નાઇની રાજસ્થાન સામેની મેચ પણ અટકી શકે છે, આ કારણથી મેચ રીશિડ્યુલ થઇ શકે છે

|

May 04, 2021 | 12:55 PM

આઇપીએલ 2021 માં કોરોના પ્રવેશ બાદ ટુર્નામેન્ટની અંદર અને બહાર હડકંપ મચી ગયો છે. અત્યાર સુધીમાં કોરોના થી 10 લોકો સંક્રમિત જણાયા છે. જેમાં કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ઉપરાંત ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના સ્ટાફના પણ ત્રણ જણા સામેલ છે.

IPL 2021: હવે ચેન્નાઇની રાજસ્થાન સામેની મેચ પણ અટકી શકે છે, આ કારણથી મેચ રીશિડ્યુલ થઇ શકે છે
Chennai Super Kings

Follow us on

આઇપીએલ 2021 માં કોરોના પ્રવેશ બાદ ટુર્નામેન્ટની અંદર અને બહાર હડકંપ મચી ગયો છે. અત્યાર સુધીમાં કોરોના થી 10 લોકો સંક્રમિત જણાયા છે. જેમાં કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ઉપરાંત ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના સ્ટાફના પણ ત્રણ જણા સામેલ છે. તેના કેમ્પના ત્રણ જણાના કોરોના પોઝિટીવ થવા બાદ, ચેન્નાઇએ બુધવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે મેચ નહી રમવાનો નિર્ણય કર્યો છે.

ચેન્નાઇના એક અધીકારીએ મીડિયા સાથેની વાતચીત દરમ્યાન કહ્યુ હતુ કે, અમે 6 દિવસ માટે ક્વોરન્ટાઇન હેઠળ છીએ. BCCI ને આ અંગે અમે બતાવી ચુક્યા છીએ કે અમે રાજસ્થાન રોયલ્સ સામે મેચ નહી રમીએ. ચેન્નાઇ સુપર કિંગ્સના અધીકારીએ મીડિયા સંસ્થા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, અમારા બોલીંગ કોચ બાલાજી એસિમ્પ્ટોમેટીક છે.

બીસીસીઆઇ ના કોરોના પ્રોટોકોલ મુજબ જે પણ તેમના સંપર્કમાં આવ્યા છે, તે છ દિવસ માટે ક્વોરન્ટાઇન હેઠળ છે. અમે રાજસ્થાન રોયલ્સ સામેની આગામી મેચ નહી રમીએ. અમે આ અંગે બીસીસીઆઇ સાથે પણ વાતચીત કરી છે અને સ્થિતી અંગે માહિતગાર કર્યા છે. તે હવે ચેન્નાઇ અને રાજસ્થાન વચ્ચેની મેચને રિશીડ્યુલ કરશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

CSK vs RR મેચ સ્થગિત?
ચેન્નાઇ ના આ પગલાનો મતલબ છે કે, આઇપીએલ 2021 ની એક વધુ મેચ સ્થગીત થશે. આ ઉપરાંત સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની ચેન્નાઇની મેચ પર પણ સંકટ ના વાદળો ઘેરાયા છે. જે આગામી 7 મી મે ના રોજ રમાનારી છે. રિપોર્ટનુસાર ચેન્નાઇ એ BCCI ને બતાવ્યુ છે કે, તેઓ ત્યારે જ મેદાન પર ઉતરશે, જ્યારે બોલીંગ કોચના સંપર્કમાં આવેલા તમામ ખેલાડીઓના 6 દીવસનો ક્વોરન્ટાઇન સમય પરાસ થઇ જાય. સાથે જ તે તમામ ખેલાડીઓ 3 ટેસ્ટમાં નેગેટીવ પણ જણાઇ આવે

કલકત્તા અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી ક્વોરન્ટાઇ
કોરોનાને લઇ ને સોમવારે અમદાવાદમાં રમાનારી KKR vs RCB ની મેચ સ્થગીત કરી દેવાઇ હતી. કલકત્તાના ખેલાડીઓ હાલમાં ક્વોરન્ટાઇન હેઠળ છે. તો દિલ્હી કેપિટલ્સને પણ ક્વોરન્ટાઇન હેઠળ રહેવા માટે કહેવામાં આવ્યુ છે. સોમવારે આઇપીએલ સાથે જોડાયેલા 10 લોકો કોરોના સંક્રમિત જણાયા હતા. જેમાં કલકત્તાના બે ખેલાડીઓ ઉપરાંત ચેન્નાઇ સુપર કિંગ્સના 3 સ્ટાફ અને DDCA ના પાંચ ગ્રાઉન્ડમેન કોરોના પોઝિટીવ હતા.

Published On - 12:50 pm, Tue, 4 May 21

Next Article