INDL vs SLL: ઈન્ડીયા લીજેન્ડે રોડ સેફટી વર્લ્ડ સિરીઝની ફાઈનલમાં 14 રને જીત મેળવી, યુવરાજ અને યુસુફની તોફાની બેટીંગ

શ્રીલંકા લીજેન્ડ અને ઈન્ડીયા લીજેન્ડ (India Legends vs Sri Lanka Legends) વચ્ચે રોડ સેફટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series)ની ફાઈનલ મેચ રાયપુર (Raipur) ખાતે રમાઈ હતી.

INDL vs SLL: ઈન્ડીયા લીજેન્ડે રોડ સેફટી વર્લ્ડ સિરીઝની ફાઈનલમાં 14 રને જીત મેળવી, યુવરાજ અને યુસુફની તોફાની બેટીંગ
India legend
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 23, 2021 | 11:30 AM

શ્રીલંકા લીજેન્ડ અને ઈન્ડીયા લીજેન્ડ (India Legends vs Sri Lanka Legends) વચ્ચે રોડ સેફટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series)ની ફાઈનલ મેચ રાયપુર (Raipur) ખાતે રમાઈ હતી. શ્રીલંકા લીજેન્ડે ટોસ જીતીને ઈન્ડીયા લીજેન્ડ ટીમને બેટીંગ માટે મેદાનમાં આમંત્રણ આપ્યુ હતુ. ઈન્ડીયન ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. યુવરાજ સિંહ (Yuvraj Singh) અને યુસુફ પઠાણે (Yusuf Pathan) શાનદાર અર્ધશતક લગાવી હતી. ફાઈનલ મેચને ઈન્ડીયા લીજેન્ડ ટીમે 14 રને જીતી લઈ સિરીઝની ટ્રોફી મેળવી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ટીમ ઈન્ડીયા લીજેન્ડ તરફથી સહેવાગ અને કેપ્ટન સચિન તેંડુલકરે મેચની શરુઆત કરી હતી. સહેવાગે 12 બોલમાં 10 રન કરીને ક્લીન બોલ્ડ થયો હતો. સચિને 30 રનની ઈનીંગ 5 ચોગ્ગા સાથે 23 બોલમાં રમી હતી. બદ્રીનાથ 7 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. યુવરાજ સિંહ અને યુસુફ પઠાણે ટીમની સ્થિતીને સંભાળતી રમત રમી હતી. યુવીએ 41 બોલમાં 60 રનની રમત 4 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે રમી હતી. યુસુફ પઠાણે 36 બોલમાં 62 રનની ઈનીંગ રમી હતી. પઠાણે 5 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. ઈરફાન પઠાણે એક છગ્ગા સાથે 8 રન કર્યા હતા. યુસુફ અને ઈરફાન બંને અણનમ રહ્યા હતા.

જવાબમાં શ્રીલંકા લીજેન્ડે લક્ષ્યાંકનો પીછો કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન કર્યા હતા. ઓપનર દિલશાને 21 અને જયસુર્યાએ 35 બોલમાં 43 રનની રમત રમી હતી. ચમારા સિલ્વા 4 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે તારંગા પણ 13 રન કરીને આઉટ થયો હતો. ચિન્તાકા જયસિંઘે 30 બોલમાં 40 રન કર્યા હતા. જ્યારે કૌશલ્ય વિરરત્ને 15 બોલમાં 38 રન કરીને મેચને રોમાંચક સ્થિતીમાં લાવી દીધી હતી.

ભારત વતીથી યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે મનપ્રિત ગોની અને મુનાફ પટેલે એક એક વિકેટ મેળવી હતી. આમ એકંદરે બોલીંગ અને બેટીંગ બંને રીતે સારો દેખાવ ઈન્ડીયા લીજેન્ડ ટીમે કર્યો હતો. યુસુફ પઠાણને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: IPL 2021 પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ જમાવ્યો રંગ, ફટકારી 114 મીટરની સિક્સ, જુઓ VIDEO

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">