IND vs ENG: સાડા બાર કલાકમાં મેચ પૂરી થનારી પિચને લઇને લઇને વિરાટ કોહલીએ કહ્યુ બેટીંગ માટે સારી પિચ હતી

ટેસ્ટ મેચના પ્રથમ દિવસ થી જ પિચ પર ઉડતી ધૂળ કોઇ પણ બેટ્સમેનને આવાનારા પાંચ દિવસને લઇને ભય કરાવી શકે છે. અમદાવાદ (Ahmedabad Test) માં ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં આવુ જ કંઇક જોવા મળ્યુ હતુ. આ મેચ લગભગ 12 કલાકમાં જ પૂર્ણ થઇ ગઇ હતી.

IND vs ENG: સાડા બાર કલાકમાં મેચ પૂરી થનારી પિચને લઇને લઇને વિરાટ કોહલીએ કહ્યુ બેટીંગ માટે સારી પિચ હતી
Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 26, 2021 | 11:35 AM

ટેસ્ટ મેચના પ્રથમ દિવસ થી જ પિચ પર ઉડતી ધૂળ કોઇ પણ બેટ્સમેનને આવાનારા પાંચ દિવસને લઇને ભય કરાવી શકે છે. અમદાવાદ (Ahmedabad Test) માં ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં આવુ જ કંઇક જોવા મળ્યુ હતુ. આ મેચ લગભગ 12 કલાકમાં જ પૂર્ણ થઇ ગઇ હતી. બે દિવસમાં જ પરિણામ પણ સામે આવનારી વિશ્વની આ 22મી મેચ હતી. આ સાથે જ પિચને લઇને સવાલો પણ ઉઠવા લાગ્યા છે. જોકે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) મેચ બાદ સ્પષ્ટ કહ્યુ હતુ કે, પિચ બેટ્સમેનોન માટે સારી હતી. જો કંઇ ખરાબ હતુ તો તે, બેટીંગ સ્તર.

ભારત અને દુનિયાના અનેક ક્રિકેટ પૂર્વ દિગ્ગજોએ પિચને બેકાર બતાવી છે. પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્માનો સાથ મળ્યો, તેમણે કહ્યુ કે, પિચ પર ટકી રહેવાની કોશિષ નહોતી કરી. નહિતર રમવુ એટલુ મુશ્કેલ નહોતુ. મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, પિચમાં કોઇ ખરાબી નહોતી, ઓછામાં ઓછુ પ્રથમ ઇનીંગ દરમ્યાન તો આવુ નહોતુ જ, માત્ર કેટલાક બોલ જ ટર્ન થઇ રહ્યા હતા. ઇમાનદારી થી કહુ તો, મને નથી લાગતુ કે, બેટીંગનુ સ્તર સારુ હતુ. અમારો સ્કોર એક સમયે 3 વિકેટ પર 100 રન હતો અને અમે 150 થી ઓછા સ્કોર પર આઉટ થયા હતા. ફક્ત કેટલાક બોલ ટર્ન લઇ રહ્યા હતા અને પ્રથમ ઇનીંગમાં બેટીંગ માટે આ સારી વિકેટ હતી. કોહલીએ કહ્યુ હતુ કે, ટીમોના બેટ્સમેનોએ સારો પ્રયાસ નહોતો કર્યો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, અજીબ હતુ કે, 30 માંથી 21 વિકેટ સીધા બોલ પર જ પડી ગઇ હતી. ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ડિફેન્સ પર ભરોસો દર્શાવવાનો હોય છે. જેના અનુસાર નહી રમવા થી બેટ્સમેન ઝડપ થી આઉટ થયા હતા. કોહલીએ મેચની જીત માં સ્પિનર અક્ષર પટેલ, અને રવિચંદ્રન અશ્વિનની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, એક વિચિત્ર મેચ જે બે દિવસમાં ખતમ થઇ ગઇ હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયા તો ઘણાં લોકોને ચિંતા હતી, ત્યારે જ અક્ષર આવ્યો હતો. તે થોડી ઝડપી બોલીંગ કરે છે અને ઉંચાઇ પર થી પણ જો વિકેટ થી મદદ મળતી હોય તો કે ખૂબ ખતરનાક થઇ શકે છે.

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">