AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Paralympics 2020 : ઉદ્ઘાટન સમારોહમાં માત્ર 11 ભારતીય ખેલાડી ભાગ લેશે, ભારતના 54 ખેલાડીઓ પ્રદર્શન કરશે

ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 કોરોનાને કારણે એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવી હતી અને હવે 25 ઓગસ્ટથી રમત શરૂ થઈ રહી છે.

Tokyo Paralympics 2020 : ઉદ્ઘાટન સમારોહમાં માત્ર 11 ભારતીય ખેલાડી ભાગ લેશે, ભારતના 54 ખેલાડીઓ પ્રદર્શન કરશે
ઉદ્ઘાટન સમારોહમાં માત્ર 11 ભારતીય ખેલાડી ભાગ લેશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 9:30 AM
Share

Tokyo Paralympics 2020 : જાપાનમાં ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 રમતો બુધવારથી શરૂ થઈ રહી છે. આ દિવસે ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે અને આ સાથે ગેમ્સની સત્તાવાર શરૂઆત થશે. કોવિડ -19  (Covid-19)ને કારણે આ રમતો એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવી હતી. હવે આ રમતો એક વર્ષના વિલંબ બાદ શરૂ થઈ રહી છે, પરંતુ કોવિડના કારણે આ રમતોમાં ઘણા ફેરફાર જોવા મળશે. આ કારણોસર, દર્શકોને રમતોમાં આવવાની મંજૂરી નથી.

ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 (Tokyo Paralympics 2020)માં ભારતીય ટુકડીના મિશન ચીફ ગુરશરણ સિંહે રવિવારે જણાવ્યું હતું કે, રમતના ઉદ્ઘાટન સમારોહ (Opening ceremony)માં ભાગ લેવા માટે દેશની ટુકડીમાંથી માત્ર છ અધિકારીઓને મંજૂરી આપવામાં આવી છે. ઉદ્ઘાટન સમારંભમાં ભારતનું પ્રતિનિધિત્વ 11 ખેલાડીઓની ટુકડી કરશે જેમાં પાંચ ખેલાડી (Player)ઓ હશે.

ઉદ્ઘાટન સમારોહમાં ખેલાડી (Player)ઓની સંખ્યા પર કોઈ મર્યાદા નથી પરંતુ અત્યાર સુધીમાં માત્ર સાત ભારતીય સ્પર્ધકો ટોક્યો પહોંચ્યા છે. આ સાત ટેબલ ટેનિસ ખેલાડી (Table tennis player)ઓમાંથી બે સોનલ પટેલ અને ભાવિના પટેલની બુધવારે ઇવેન્ટ્સ છે અને તેથી તેઓ ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેશે નહીં. જાપાનના રાજા નારુહિતો ગેમ્સની શરૂઆતની જાહેરાત કરશે.

ભારતના મિશન વડા અને પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા (Paralympic Committee of India)ના જનરલ સેક્રેટરી ગુરશરણે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, ઉદ્ઘાટન સમારોહ માટે માત્ર છ અધિકારીઓને મંજૂરી આપવામાં આવી છે જ્યારે ખેલાડીઓ માટે કોઈ મર્યાદા નથી. બુધવારે બીજા દિવસે બે ટેબલ ટેનિસ ખેલાડીઓની ઇવેન્ટ્સ છે, તેથી તેઓ ઓપનિંગ સેરેમનીમાં ભાગ નહીં લે.

આ નિયમ ટોક્યો ઓલિમ્પિકમાં પણ લાગુ હતો

ઉદ્ઘાટન સમારોહ (Opening ceremony) દરમિયાન છ અધિકારીઓની મર્યાદા 8 ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલી ટોક્યો ઓલિમ્પિક દરમિયાન પણ લાગુ હતી. ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લેવાની અપેક્ષા રાખતા પાંચ ખેલાડીઓ ધ્વજવાહક મરિયપ્પન થંગાવેલુ, ડિસ્ક થ્રોઅર વિનોદ કુમાર, બરછી ફેંકનાર ટેકચંદ અને પાવરલિફ્ટર જયદીપ અને સકીના ખાતૂન છે.

ઉદ્ઘાટન સમારોહ (Paralympics)માં હાજરી આપનારા છ અધિકારીઓમાંથી ચાર મિશન ચીફ, ડેપ્યુટી મિશન ચીફ અરહાન બગાટી, કોવિડ -19 ચીફ કોમ્યુનિકેશન ઓફિસર વી કે ડબ્બાસ અને મરિયપ્પનના કોચ અને પેરા એથ્લેટિક્સ ચીફ સત્યનારાયણ છે.

સોમવારે ત્રીજી ટીમ રવાના થશે

ભારતીય ખેલાડીઓની ત્રીજી ટીમ સોમવારે રવાના થશે પરંતુ તેમને તાલીમ આપવાની મંજૂરી આપવામાં આવે તે પહેલા તેમને ક્વોરનટાઈનમાંથી પસાર થવું પડશે. પેરાલિમ્પિક ઇતિહાસમાં ભારતના સૌથી વધુ 54 ખેલાડીઓ ટોક્યો ગેમ્સમાં ભાગ લેશે અને દેશને આ વખતે સૌથી વધુ મેડલ જીતવાની અપેક્ષા છે. ટોક્યોમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને જોતા ઓલિમ્પિકની જેમ પેરાલિમ્પિક્સમાં સ્ટેડિયમમાં દર્શકોના આવવા પર પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચો : IND vs ENG: ભારતીય દિગ્ગજો માટે ‘મિશન લીડ્સ’ શરૂ, શું ટીમ ઇન્ડિયા 19 વર્ષ પછી હેડિંગ્લેમાં ઈતિહાસ રચશે ?

Follow Us
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
g clip-path="url(#clip0_868_265)">