AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોટા સમાચાર : ઈજાથી પરેશાન હાર્દિક પંડ્યા લઈ શકે છે સંન્યાસ !

જ્યારથી હાર્દિક પંડ્યાને પીઠમાં ઈજા થઈ છે ત્યારથી તેનું પ્રદર્શન બગડ્યું છે અને હવે તે ટીમ ઈન્ડિયામાંથી પણ બહાર છે.

મોટા સમાચાર : ઈજાથી પરેશાન હાર્દિક પંડ્યા લઈ શકે છે સંન્યાસ !
Hardik Pandya
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 7:18 PM
Share

T20 વર્લ્ડ કપ 2021માં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયામાંથી (Team India) બહાર રહેલો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) સંન્યાસ લઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક પંડ્યા પીઠની ઈજાથી પરેશાન છે અને તેની કારકિર્દી બનાવવા માટે ટેસ્ટ ક્રિકેટનું (Test cricket) ફોર્મેટ છોડી શકે છે. અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યા ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે.

રમતજગતને લગતા એક મીડિયાના અહેવાલમાં BCCIના સૂત્રોને ટાંકીને માહિતી આપી છે કે હાર્દિક પંડ્યા વનડે અને T20 ક્રિકેટમાં રમવા માટે ટેસ્ટને અલવિદા કહી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાને વર્ષ 2019માં પીઠમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેની સર્જરી પણ થઈ હતી. ત્યારથી, હાર્દિક પંડ્યા પહેલાની જેમ બોલિંગ કરી શક્યો નથી, જેના કારણે તેને નુકસાન સહન કરવું પડે છે.

રમતજગતને લગતા એક મીડિયાના અહેવાલ મુજબ, ‘BCCI અધિકારીઓએ માહિતી આપી છે કે હાર્દિક પંડ્યા તેની ઇજા સામે ઝઝૂમી રહ્યો છે અને તે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે, જોકે તેણે હજુ સુધી આ અંગે બોર્ડને સત્તાવાર રીતે જાણ કરી નથી. કોઈપણ રીતે, હાર્દિક પંડ્યા હજુ સુધી ટીમ ઈન્ડિયાના ટેસ્ટ પ્લાનનો ભાગ નથી. જો કે, તેની નિવૃત્તિ ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો હશે અને ટીમે શક્ય તેટલી વહેલી તકે તેનો બેકઅપ શોધવો પડશે.

તમને જણાવી દઈએ કે ઈજાના કારણે હાર્દિક પંડ્યાને ઘણું નુકસાન થયું છે. તે પહેલાની જેમ બોલિંગ કરી શકતો નથી અને IPL 2021 અને T20 વર્લ્ડ કપમાં (T20 World Cup) તેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં હાર્દિક પંડ્યા ODI-T20માં કુલ 46 ઓવર ફેંકવામાં સફળ રહ્યો છે, તે પણ તેની બોલિંગ પહેલા જેટલી મજબૂત રહી નથી. આ જ કારણ છે કે હાર્દિક પંડ્યા ટીમની બહાર છે.

હાર્દિક પંડ્યા હાલમાં તેની ફિટનેસ પર કામ કરી રહ્યો છે અને અહેવાલો અનુસાર તે વિજય હજારે ટ્રોફી નહીં રમે. હાર્દિક પંડ્યા માટે હવે બહુ ઓછો સમય બચ્યો છે કારણ કે આગામી બે વર્ષમાં ટીમ ઈન્ડિયાએ T20 અને ODI વર્લ્ડ કપ રમવાનો છે. જો હાર્દિક ફિટ નથી તો તેને અને ટીમ ઈન્ડિયા બંનેને નુકસાન છે.

આ પણ વાંચોઃ

હરભજન સિંહ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે, IPLની એક ટીમમાં કોચિંગ સ્ટાફ તરીકે જોડાશે

આ પણ વાંચોઃ

GUJARAT : અરબી સમુદ્રમાં ફૂંકાયેલા પવનથી માછીમારોને નુકસાન, રાજ્ય સરકારની સહાયની જાહેરાત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">