AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuzvendra Chahal એ અફવાઓ પર લગાવી બ્રેક, પત્ની ધનશ્રી વર્મા સાથેના સંબંધો પર કહી આ વાત

યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને તેની પત્ની ધનશ્રી વર્માની હાલની સોશિયલ મીડિયા પોસ્ટ પછી સોશિયલ મીડિયા યુઝર્સે બંનેના સંબંધ તૂટવા વિશે અટકળો શરૂ કરી હતી.

Yuzvendra Chahal એ અફવાઓ પર લગાવી બ્રેક, પત્ની ધનશ્રી વર્મા સાથેના સંબંધો પર કહી આ વાત
Dhanshree-wishes-yuzi-chahal
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 6:34 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) પોતાની પર્સનલ લાઈફ વિશે ઉડતી અફવાઓ પર બ્રેક લગાવી છે. ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) વચ્ચેના સંબંધોને લઈને ગુરુવારે ઘણી અટકળો અને અફવાઓ હતી, જે પછી ચહલે સ્પષ્ટતા જાહેર કરીને આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી હતી. ચહલ અને ધનશ્રીની હાલની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પછી અચાનક જ યુઝર્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે બંને વચ્ચે બધુ બરાબર નથી અને કદાચ બંને અલગ-અલગ રસ્તાઓ પર ચાલવાની તૈયારી કરી રહ્યા છે.

ચહલે કરી સ્પષ્ટતા

યુઝવેન્દ્ર ચહલે ગુરુવાર 18 ઓગસ્ટના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી, જેમાં તેને તેમના સંબંધો વિશે શરૂ થયેલી અફવાઓને નકારી કાઢી. ચહલે લખ્યું, “તમને બધાને નમ્ર વિનંતી છે કે અમારા સંબંધોને લગતી અફવાઓ પર વિશ્વાસ ન કરો. મહેરબાની કરીને આ બધું બંધ કરો. દરેકને પ્રેમ કરો.”

ઇન્સ્ટાગ્રામ પ્રવૃત્તિઓના લીધે થઈ શંકા

આ મામલો ચહલ અને ધનશ્રીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી શરૂ થયો હતો. ચહલે હાલમાં એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી હતી, જેમાં લખ્યું હતું – ‘નવું જીવન શરૂ થઈ રહ્યું છે’. ત્યારે અચાનક કેટલાક યુઝર્સે જોયું કે ધનશ્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના નામમાંથી ચહલ સરનેમ હટાવી દીધી છે. આ એક બદલાવે બધાને ચોંકાવી દીધા અને અફવાઓ શરૂ થઈ.

ખાસ કરીને ટ્વિટર પર બંનેના સંબંધોને લઈને ઘણી બધી વાતો લખાવા લાગી. ઘણા યુઝર્સે અંદાજો લગાયો હતો કે બંને ટૂંક સમયમાં અલગ થઈ શકે છે, જ્યારે કેટલાક અનુમાન કરે છે કે ચહલ અને ધનશ્રી વચ્ચે બધું બરાબર નથી.

2020 માં શરૂ થયો સંબંધ

ચહલ અને ધનશ્રીના સંબંધોની શરૂઆત 2020માં થઈ હતી. કોરોના સંક્રમણ લોકડાઉન દરમિયાન ચહલે તેની સગાઈના સમાચાર આપીને બધાને હેરાન દીધા હતા. બંનેએ ડિસેમ્બર 2020માં લગ્ન પણ કર્યા હતા. ધનશ્રી વર્મા વ્યવસાયે એક ડોક્ટર હતી, પરંતુ તે પછી તેણે તેના ડાન્સ દ્વારા સોશિયલ મીડિયા પર ઘણી ઓળખ બનાવી અને ત્યારથી તે કોરિયોગ્રાફર તરીકે ફેમસ થઈ અને સોશિયલ મીડિયા ઈન્ફલુઅન્સર બની ગઈ.

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">