Yuzvendra Chahal એ અફવાઓ પર લગાવી બ્રેક, પત્ની ધનશ્રી વર્મા સાથેના સંબંધો પર કહી આ વાત
યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને તેની પત્ની ધનશ્રી વર્માની હાલની સોશિયલ મીડિયા પોસ્ટ પછી સોશિયલ મીડિયા યુઝર્સે બંનેના સંબંધ તૂટવા વિશે અટકળો શરૂ કરી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) પોતાની પર્સનલ લાઈફ વિશે ઉડતી અફવાઓ પર બ્રેક લગાવી છે. ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) વચ્ચેના સંબંધોને લઈને ગુરુવારે ઘણી અટકળો અને અફવાઓ હતી, જે પછી ચહલે સ્પષ્ટતા જાહેર કરીને આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી હતી. ચહલ અને ધનશ્રીની હાલની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પછી અચાનક જ યુઝર્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે બંને વચ્ચે બધુ બરાબર નથી અને કદાચ બંને અલગ-અલગ રસ્તાઓ પર ચાલવાની તૈયારી કરી રહ્યા છે.
ચહલે કરી સ્પષ્ટતા
યુઝવેન્દ્ર ચહલે ગુરુવાર 18 ઓગસ્ટના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી, જેમાં તેને તેમના સંબંધો વિશે શરૂ થયેલી અફવાઓને નકારી કાઢી. ચહલે લખ્યું, “તમને બધાને નમ્ર વિનંતી છે કે અમારા સંબંધોને લગતી અફવાઓ પર વિશ્વાસ ન કરો. મહેરબાની કરીને આ બધું બંધ કરો. દરેકને પ્રેમ કરો.”
ઇન્સ્ટાગ્રામ પ્રવૃત્તિઓના લીધે થઈ શંકા
આ મામલો ચહલ અને ધનશ્રીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી શરૂ થયો હતો. ચહલે હાલમાં એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી હતી, જેમાં લખ્યું હતું – ‘નવું જીવન શરૂ થઈ રહ્યું છે’. ત્યારે અચાનક કેટલાક યુઝર્સે જોયું કે ધનશ્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના નામમાંથી ચહલ સરનેમ હટાવી દીધી છે. આ એક બદલાવે બધાને ચોંકાવી દીધા અને અફવાઓ શરૂ થઈ.
ખાસ કરીને ટ્વિટર પર બંનેના સંબંધોને લઈને ઘણી બધી વાતો લખાવા લાગી. ઘણા યુઝર્સે અંદાજો લગાયો હતો કે બંને ટૂંક સમયમાં અલગ થઈ શકે છે, જ્યારે કેટલાક અનુમાન કરે છે કે ચહલ અને ધનશ્રી વચ્ચે બધું બરાબર નથી.
2020 માં શરૂ થયો સંબંધ
ચહલ અને ધનશ્રીના સંબંધોની શરૂઆત 2020માં થઈ હતી. કોરોના સંક્રમણ લોકડાઉન દરમિયાન ચહલે તેની સગાઈના સમાચાર આપીને બધાને હેરાન દીધા હતા. બંનેએ ડિસેમ્બર 2020માં લગ્ન પણ કર્યા હતા. ધનશ્રી વર્મા વ્યવસાયે એક ડોક્ટર હતી, પરંતુ તે પછી તેણે તેના ડાન્સ દ્વારા સોશિયલ મીડિયા પર ઘણી ઓળખ બનાવી અને ત્યારથી તે કોરિયોગ્રાફર તરીકે ફેમસ થઈ અને સોશિયલ મીડિયા ઈન્ફલુઅન્સર બની ગઈ.