AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Siddique Murder : બાબા સિદ્દીકીની હત્યાથી પૂર્વ ક્રિકેટરને લાગ્યો આઘાત, જાણો શું કહ્યું

મુંબઈમાં શનિવાર મોડી રાત્રે એનસીપી અજીત પવારના જૂથના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. તેની હત્યાને લઈ ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે બાબા સિદ્દીકીની આત્માને શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે.

Baba Siddique Murder : બાબા સિદ્દીકીની હત્યાથી પૂર્વ ક્રિકેટરને લાગ્યો આઘાત, જાણો શું કહ્યું
| Updated on: Oct 13, 2024 | 1:54 PM
Share

મુંબઈમાં શનિવારના રોજ ધમાલ મચી ગઈ છે. કારણ કે, એનસીપીના નેતાની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે. એનસીપીના નેતા બાબા સિદ્દીકીને ગોળી મારતા નેતાને લીલાવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના ત્યારે થઈ જ્યારે તે દિકરો અને ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર દશેરા સેલિબ્રેટ કરી રહ્યા હતા. બાબા સિદ્દીકીનું નામ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓમાં સામેલ છે.

બાબા સિદ્દીકીના રાજનેતા સાથે સેલિબ્રિટિ સાથે પણ સારા સંબંધો હતા. કારણ કે, નેતાની હત્યાના સમચારા સામે આવતા જ અનેક બોલિવુડ સ્ટાર લીલાવતી હોસ્પિટલ નેતાને મળવા પહોંચી ગયા હતા. ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે નેતાની હત્યાને દુખદ ગણાવી છે. તેમજ તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે.

જાણો શું કહ્યું યુવરાજ સિંહ

બાબા સિદ્દીકીના મોતને લઈ યુવરાજ સિંહને જાણ થતાં મોડી રાત્રે 2 કલાકે દુખ વ્યક્ત કર્યું અને કહ્યું બાબા સિદ્દીકી સામાન્ય લોકો માટે કામ કરતા હતા. તેની દરિયાદિલી માટે તેને યાદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, બાબા સિદ્દીકી પર 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં એક ગોળી તેના પેટમાં વાગી હતી.

કોણ હતા બાબા સિદ્દીકી જાણો

બાબા સિદ્દીકી દર વર્ષે ઈદ પર ઈફ્તાર પાર્ટી માટે જાણીતા હતા. તેની આ પાર્ટી ખુબ ચર્ચામાં રહેતી હતી. કારણ કે, આ પાર્ટીમાં અનેક સેલિબ્રિટી આવતા હતા.તે એક બિલ્ડર તરીકે પણ કામ કરતા હતા. તેનો પરિવાર મૂળ બિહારના ગોપાલગંજનો રહેવાસી છે. તેના પિતા અંદાજે 50 વર્ષ પહેલા ગોપાલગંજથી મુંબઈ આવ્યા હતા અને ઘડિયાળ બનાવવાનું કામ કર્યું હતુ.

બાબા સિદ્દીકીએ મુંબઈમાં શરુઆતમાં વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણમાં શરુઆત કરી હતી. ત્યારબાદ બે વખત મ્યુનિસિપલ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ કોંગ્રેસમાં સામેલ થયા અને 1999,2004 અને 2009માં 3 વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તે મુંબઈ કોંગ્રેસમાં લઘુમતી સમુદાયનો મોટો ચહેરો હતો. અંદાજે 48 વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ તેઓ એનસીપીમાં જોડાયા હતા.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">