AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટરની સેલરી જાણી ચોંકી જશો, જાણો અગરકરને કેટલા કરોડ મળશે

BCCIએ ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર તરીકે અજીત અગરકરની નિમણૂક કરી છે. જે બાદ અગરકરને કેટલી વાર્ષિક સેલરી મળશે તેને લઈ ખુલાસો થયો છે.

ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટરની સેલરી જાણી ચોંકી જશો, જાણો અગરકરને કેટલા કરોડ મળશે
Ajit Agarkar salary
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 12:06 AM
Share

વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોડ BCCIએ ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટરની નિમણૂક કરી છે. આ પદ માટે ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરની પસંદગી કરવામાં આવી છે. અગરકર ટીમ ઈન્ડિયામાં ઘણા લાંબા સમય સુધી રમ્યા હતા અને વનડે અને ટેસ્ટ બંને ફોર્મેટમાં ભારતના આધારભૂત બોલર સાબિત થયા હતા. હવે તેમને ચીફ સિલકેટરનું નવું પદ મળ્યું છે.

અજીત અગરકર BCCIના ચીફ સિલેક્ટર

BCCIના ચીફ સિલેક્ટર બન્યા બાદ અગરકરની પહેલી અને સૌથી મોટી જવાબદારી એશિયા કપ અને વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવાની રહેશે. આ સાથે જ ટીમ સિલેક્શનમાં સંતુલન જાળવી તટસ્થ નિર્ણય લઈ દરેક ફોર્મેટ અને દરેક લેવલ પર ભારતીય ક્રિકેટના હિતમાં નિર્ણય લેવાનું રહેશે.

મુખ્ય પસંદગીકારની સેલરીમાં વધારો

ચીફ સિલેક્ટરનું પદ લાંબા સમયથી ખાલી પડયું હતું, જેના પર હવે મોહર લાગી ગઈ છે. પૂર્વ મુખ્ય પસંદગીકાર ચેતન શર્માના વિવાદ અને બાદમાં ચીફ સિલેક્ટરની સેલરીને લઈ અનેક અફવાઓના કારણે આ પદને લઈ સતત ચર્ચાઓ ચાલી હતી. એવા પણ અહેવાલ હતા કે પસંદગીકારના ઓછા પગારને કારણે કોઈ મોટો ખેલાડી આ પદ માટે અરજી કરવા માંગતો નથી.

વીરેન્દ્ર સેહવાગે ઓફર ઠુકરાવી

એવું પણ જાણવા મળ્યું હતું કે વીરેન્દ્ર સેહવાગે ઓછા પગારને કારણે મુખ્ય પસંદગીકાર બનવાની ઓફર ઠુકરાવી દીધી હતી. આ બાબતોને ધ્યાનમાં રાખીને BCCI દ્વારા મુખ્ય પસંદગીકારની સેલરીમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :Breaking News: SAAF ચેમ્પિયનશીપમાં ભારત નવમી વાર બન્યું ચેમ્પિયન, પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને 5-4થી હરાવ્યું

એક કરોડ રૂપિયા સેલરી

BCCIના ચીફ સિલેક્ટર તરીકે અજીત અગરકરની નિમણૂક થયા બાદ હવે તેની સેલરીને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. BCCI મુખ્ય પસંદગીકાર તરીકે અજીત અગરકરને વાર્ષિક એક કરોડ રૂપિયા સેલરી આપશે. બાકીના પસંદગીકારોના પગારમાં પણ BCCI તરફથી વધારો કરવામાં આવ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">