AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: પાણીપુરી વેચનાર કહે છે ત્યારે યશસ્વીને ગુસ્સો આવે છે, જાણો શું છે કારણ

યશસ્વી જયસ્વાલના બાળપણના કોચ જ્વાલા સિંહે કહ્યું કે તેમને પણ ખરાબ લાગે છે કે લોકો કહે છે કે તે પાણીપુરી વેચતો હતો અને પછી ક્રિકેટર બન્યો. જ્વાલા સિંહે યશસ્વીની પાણીપુરી વેચવાની વાતને નકારી કાઢી હતી. યશસ્વી જયસ્વાલે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં પાણીપુરી વેચી હોવાનો ફોટો પણ વાયરલ થયો હતો.

IND vs WI: પાણીપુરી વેચનાર કહે છે ત્યારે યશસ્વીને ગુસ્સો આવે છે, જાણો શું છે કારણ
Yashasvi Jaiswal
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 10:48 PM
Share

યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) ટીમ ઈન્ડિયાનો ઉભરતો બેટ્સમેન છે. IPLમાં ધમાલ મચાવ્યા બાદ તેણે વેસ્ટ ઈન્ડિઝમાં ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું અને ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારી. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર જયસ્વાલ 17મો ભારતીય બેટ્સમેન છે. તેના માટે અહીં પહોંચવું સરળ નહોતું. ટીમ ઈન્ડિયા (Team India) ની જર્સી પહેરવા માટે તેને કેટલીય રાત ટેન્ટમાં વિતાવવી પડી હતી. અંધારામાં રહેવું પડ્યું હતું. વરસાદમાં ટપકતા છત નીચે સૂવું પડ્યું હતું. લોકો તેના સંઘર્ષની ઘણી વાર્તાઓથી વાકેફ છે. આવી જ એક વાર્તા તેની પાણીપુરી (PaniPuri) વેચવાની પણ છે.

યશસ્વીના બાળપણના કોચે કર્યો ખુલાસો

અંડર-19 વર્લ્ડ કપમાં તે લાઇમલાઇટમાં આવ્યો હતો, ત્યારથી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેના સંઘર્ષની વાર્તા મુંબઈની સડકો પર પાણીપુરી વેચવાથી શરૂ થાય છે. એવા અહેવાલો હતા કે જયસ્વાલે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં પાણીપુરી વેચી હતી, પરંતુ શું આ સંપૂર્ણ રીતે સાચું છે. આ વાતનું સત્ય તેના બાળપણના કોચ જ્વાલા સિંહે જણાવ્યું હતું. તેણે કહ્યું કે તેને અને જયસ્વાલ બંનેને ખરાબ લાગે છે કે લોકો કહે છે કે તે પાણીપુરી વેચતો હતો અને પછી ક્રિકેટર બન્યો હતો.

મિત્રતામાં પાણીપુરી ખવડાવી હતી

જ્વાલા સિંહે એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, 2013માં જ્યારે યશસ્વી એક ટેન્ટમાં રહેતો હતો, તે દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. આઝાદ મેદાનમાં ઘણી લારીઓ હતી, જે સાંજે પાણીપુરી જેવી વસ્તુઓ વેચતી હતી. ત્યાં બધા યશસ્વીને ઓળખતા હતા. આવી સ્થિતિમાં જયસ્વાલ માત્ર મિત્રતામાં લોકોને પાણીપુરી ખવડાવતો હતો.

આ પણ વાંચો : Asia Cup: કેએલ રાહુલ-શ્રેયસ અય્યર એશિયા કપમાં નહીં રમે! જાણો શું છે કારણ

ફોટો વાયરલ થયો

જ્વાલા સિંહે કહ્યું કે પાણીપુરી સાથે જયસ્વાલનો જે પણ ફોટો વાયરલ થયો છે, તે સામાન્ય ફોટો હતો, જે ખોટી રીતે વાયરલ થયો હતો. યશસ્વી અને જ્વાલાને ખરાબ લાગે છે કે લોકો ખોટી રીતે કહે છે કે યશસ્વી માત્ર પાણીપુરી વેચતો હતો અને તે પછી તે ક્રિકેટર બની ગયો. યશસ્વીએ પોતે પણ કહ્યું છે કે તેણે મદદ માટે જ પાણીપુરી વેચી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
યુસુફ પઠાણને ઝટકો ! પ્લોટની થશે હરાજી, પાલિકાનો મોટો નિર્ણય
યુસુફ પઠાણને ઝટકો ! પ્લોટની થશે હરાજી, પાલિકાનો મોટો નિર્ણય
ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત, સરકારે ખેતી અંગે લીધો મોટો નિર્ણય
ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત, સરકારે ખેતી અંગે લીધો મોટો નિર્ણય
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
g clip-path="url(#clip0_868_265)">