AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023 : તમીમ ઈકબાલને પડતો મૂક્યા બાદ બાંગ્લાદેશના કેપ્ટને રોહિત શર્માનું નામ કેમ લીધું?

સિનિયર ખેલાડી તમીમ ઈકબાલ બાંગ્લાદેશ વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થઈ ગયો છે, જે બાદ શાકિબ અલ હસને તમીમ ઈકબાલને સ્વાર્થી ખેલાડી ગણાવ્યો હતો. સાથે જ તમીમને બાદ કરતાં શાકિબે પણ રોહિત શર્માનું નામ લીધું હતું. જાણો શું છે કહાની?

World Cup 2023 : તમીમ ઈકબાલને પડતો મૂક્યા બાદ બાંગ્લાદેશના કેપ્ટને રોહિત શર્માનું નામ કેમ લીધું?
Shakib & Rohit
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 9:20 PM
Share

કોઈ મોટી ટૂર્નામેન્ટ પહેલા બાંગ્લાદેશ (Bangladesh) ક્રિકેટ ટીમમાં કોઈ વિવાદ ન થાય તે શક્ય નથી. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. વાસ્તવમાં બાંગ્લાદેશની વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરવામાં આવી હતી અને પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલ (Tamim Iqbal) ને તેમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને તમીમ ઈકબાલને બહાર રાખવા પાછળ મોટું કારણ જણાવ્યું છે. શાકિબ અલ હસને (Shakib Al Hasan) આરોપ લગાવ્યો કે તમીમ ઈકબાલ સ્વાર્થી છે અને ટીમ વિશે વિચારતો નથી. શાકિબે કહ્યું કે જો તમીમને ટીમના સારા માટે મિડલ ઓર્ડરમાં રમવાનું કહેવામાં આવે તો તેમાં ખોટું શું છે?

શાકિબે રોહિતનું ઉદાહરણ આપ્યું

એક ઈન્ટરવ્યુમાં રોહિત શર્માનું ઉદાહરણ આપતા શાકિબ અલ હસને કહ્યું કે જ્યારે આટલો મોટો ખેલાડી ઓપનર બની શકે છે અને 10000 રન પણ બનાવી શકે છે. આ સિવાય જો ટીમના ભલા માટે રોહિત શર્મા નંબર 3 અને નંબર 4 પર પણ બેટિંગ કરી શકે છે તો તેમાં વાંધો શું છે? શાકિબે કહ્યું કે, ખેલાડીએ ટીમ માટે ગમે ત્યાં બેટિંગ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. કારણ કે ટીમ સર્વોચ્ચ છે. તમે 100 કે 200 રન બનાવો, ટીમ હારી જાય તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે તમારી વ્યક્તિગત સિદ્ધિ સાથે શું કરશો?

આ પણ વાંચો : World Cup 2023 : ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાની ફેન જેને રોહિત ચા પીવડાવે છે, ધોની મેચની ટિકિટ આપે છે

શાકિબે તમીમ પર લગાવ્યો આરોપ

શાકિબ અલ હસને વધુમાં કહ્યું કે તમીમ ટીમ વિશે બિલકુલ વિચારી રહ્યો નથી. લોકો આ સમજી શકતા નથી. આખરે તમીમને આ પ્રસ્તાવ શા માટે આપવામાં આવ્યો? તે ટીમના ભલા માટે હતું. આમાં ખોટું શું છે? જો તમે ટીમ માટે રમો છો તો તમને આ પ્રસ્તાવો સ્વીકારવામાં શું તકલીફ છે?

તમીમ ઈકબાલ સાથે છે સમસ્યા !

તમીમ ઈકબાલ છેલ્લા એક વર્ષમાં બહુ ઓછું ક્રિકેટ રમ્યો છે. ક્યારેક તે ઘાયલ થયો તો ક્યારેક તેણે ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું. આ ખેલાડી એશિયા કપમાં પણ રમ્યો નહોતો. તમિમે ન્યુઝીલેન્ડ શ્રેણીમાં પણ ભાગ લીધો ન હતો. તાજેતરમાં જ તમીમ સંન્યાસ પણ લઈ ચૂક્યો હતો પરંતુ બાંગ્લાદેશના PMના હસ્તક્ષેપ બાદ તેણે બીજા જ દિવસે નિવૃત્તિ પાછી લઈ લીધી હતી અને હવે તેને વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">