World Cup 2023: અફઘાનિસ્તાનને હરાવી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને આપ્યો સંકેત, બાબરનું વધ્યુ ટેન્શન

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. રોહિત બ્રિગેડે બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે અને બીજી મેચમાં અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઈન્ડિયાની આગામી મેચ 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. જે પહેલા ભારતની જીતે પાકિસ્તાનની ચિંતા વધારી છે.

World Cup 2023: અફઘાનિસ્તાનને હરાવી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને આપ્યો સંકેત, બાબરનું વધ્યુ ટેન્શન
India vs Pakistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2023 | 8:13 AM

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની પ્રથમ બે મેચ જીતી ટીમ ઈન્ડિયાએ સાબિત કરી બતાવ્યું કે કેમ ભારત વર્લ્ડ કપ જીતવાનું પ્રબળ દાવેદાર છે. પહેલી મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું, ત્યારબાદ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન (Afghanistan) ને 8 વિકેટે હરાવ્યું હતું.

આ બંને મેચમાં જીતના હીરો અલગ-અલગ

પ્રથમ મેચમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા જ્યારે બીજી મેચમાં રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ મેચના હીરો રહ્યા હતા. આ સિવાય શુભમનની ગેરહાજરીમાં રોહિત સાથે ઓપનર તરીકે ઈશાનની સારી ઈનિંગના કારણે પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાની ટોપ ઓર્ડર બેટિંગની સમસ્યાનું પણ નિરાકરણ આવ્યું હતું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પાકિસ્તાન સામે મુકાબલા પહેલા ખેલાડીઓ સારા ફોર્મમાં

અમદાવાદમાં 14 નવેમ્બરે પાકિસ્તાન સામે યોજાનાર મહા મુકાબલા પહેલા ટીમના બધા ખેલાડીઓ લયમાં દેખાઈ રહ્યા છે. ખાસ કરીને સ્ટાર અને અનુભવી ખેલાડીઓની મોટી અને મેચ વિનિંગ ઈનિંગ તથા ફાસ્ટ અને સ્પિન બંને બોલિંગ ડીપાર્ટમેન્ટમાં ટીમનું બેલેન્સ ભારતને પાકિસ્તાન સામે વધુ એક જીત માટે માનસિક રીતે જરૂર તૈયાર કરશે.

ભારતની જીત પાકિસ્તાન માટે ખતરાની ઘંટડી

દિલ્હીમાં બુધવારે રોહિતની 131 રનની તોફાની ઈનિંગના સહારે ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. નેટ રન રેટમાં સુધારા સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી છે. દિલ્હીની જીતથી ટીમ ઈન્ડિયામાં ખુશીની લહેર ફેલાઈ છે, તો બીજી તરફ ભારતની આ જીત પાકિસ્તાન માટે ખતરાની ઘંટડી સમાન છે. આ જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમે 14 ઓક્ટોબરે યોજાનારી મેચ પહેલા પાકિસ્તાનને સંકેત આપી દીધો છે કે અમદાવાદમાં મેચ ટક્કરની રહેશે.

આ પણ વાંચો : World Cup Video : વિરાટ કોહલી અને નવીન ઉલ હક ફરી આવ્યા સામસામે, હાઈવોલ્ટેજ મેચના વીડિયો થયા વાયરલ

ભારતે બાબર આઝમની ચિંતા વધારી

રોહિત શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, વિરાટ કોહલી અને કેએલ રાહુલ ટોપ ઓર્ડરમાં સારા ફોર્મમાં આવી ગયા છે. આ સિવાય ગિલ પણ સાજો થઈ રહ્યો છે અને સૂર્યાને તક મળતા જ તે રન બનાવવા તૈયાર છે. આ સિવાય બૂમરાહ અને સિરાજની ફાસ્ટ બોલિંગ સાથે અશ્વિન, જાડેજા અને કુલદીપની સ્પિન બોલિંગ વર્લ્ડ કપમાં કોઈ પણ બેટિંગ યુનિટને તોડવા સક્ષમ છે. અનુભવી બોલર શમી પણ તક મળતા જ વિકેટો લેવા તૈયાર છે. સાથે જ હાર્દિક અને શાર્દૂલનું બેટિંગ-બોલિંગ બંનેમાં યોગદાન ટીમને વધુ ધારદાર બનાવે છે. એવામાં મજબૂત ભારતીય ટીમના ફોર્મને જોઈ પાકિસ્તાની કપ્તાનની ચિંતામાં ચોક્કસથી વધારો થશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">