AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashes 2023 : મહિલાઓની એશિઝ શ્રેણીમાં ત્રણ ફોર્મેટ, પુરૂષોમાં ફક્ત ટેસ્ટ, બંનેમાં શું છે તફાવત?

Women's Ashes: ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દર બે વર્ષે ટક્કર થતી હોય છે. જેને એશિઝ કહેવાય છે. એશિઝ ફક્ત પુરૂષ ટીમો વચ્ચે નહીં પણ મહિલા ટીમો વચ્ચે પણ રમાય છે, પણ બંનેના ફોર્મેટ વચ્ચે ઘણુ અંતર હોય છે. પુરૂષ ટીમ ફક્ત ટેસ્ટ ફોર્મેટમાં રમે છે પણ મહિલા ટીમ ત્રણ ફોર્મેટમાં એશિઝ શ્રેણી રમે છે.

Ashes 2023 : મહિલાઓની એશિઝ શ્રેણીમાં ત્રણ ફોર્મેટ, પુરૂષોમાં ફક્ત ટેસ્ટ, બંનેમાં શું છે તફાવત?
Womens Ashes series is played in three formats
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 1:15 PM
Share

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી એશિઝ શ્રેણીનો ઇતિહાસ 100 વર્ષ કરતના પણ વધારે જૂનો છે. હાલમાં ઇંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયાની મહિલા અને પુરૂષ ટીમ Ashes 2023 ની શ્રેણી રમી રહી છે. એશિઝ શ્રેણીની શરૂઆત વર્ષ 1882-83 માં થઇ હતી અને દરેક શ્રેણીમાં પાંચ ટેસ્ટ મેચની સીરીઝ રમાતી હોય છે. પણ આ તો વાત થઇ પુરૂષ ટીમોની, મહિલા ટીમો વચ્ચેની એશિઝ શ્રેણીનો ફોર્મેટ એકદમ અલગ હોય છે. તો તમે જણાવી દઇએ કે બંને શ્રેણી વચ્ચે શું તફાવત હોય છે અને મહિલા એશિઝનો શું ઇતિહાસ છે.

આ પણ વાંચો: BCCI Bouncer Rule: બેટ્સમેનને ડરાવી દેશે ભારતીય ક્રિકેટ બોર્ડનો આ નિર્ણય, બોલરોનો જોવા મળશે કહેર, શું આઇપીએલમાં પણ થશે ફેરફાર?

મહિલા એશિઝની શરૂઆત

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 1934 માં રમાઇ હતી. મહિલા ટીમો વચ્ચેની ટક્કરને સત્તાવાર રીતે એશિઝ શ્રેણી નામ 1998 માં આપવામાં આવ્યું. શ્રેણીનું નામ જ્યારે એશિઝ રાખવામાં આવ્યું તો ટ્રોફીમાં રાખ હોવી પણ જરૂરી હતી તેથી તેના માટે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનું આયોજન ઇંગ્લેન્ડના લોર્ડ્સમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બંને ટીમો દ્વારા સાઇન કરેલ બેટ, મહિલા ક્રિકેટ એસોસિએશનના બંધારણની ચોપડી, અને રુલ બુકને બાળીને રાખમાં બદલવામાં આવી હતી. તે બાદ આ રાખને લાકડાની એક ટ્રોફીમાં રાખવામાં આવી અને આ ટ્રોફી મહિલા એશિઝમાં ઉપયોગમાં લેવામાં આવી.

આ પણ વાંચો: IND vs PAK, World Cup 2023: પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત આવશે કે નહીં, પીએમ શહબાઝ શરીફે લીધો આ મોટો નિર્ણય

2013માં મહિલા એશિઝ ફોર્મેટમાં ફેરફાર

મહિલા એશિઝની શરૂઆત 1998માં થઇ પણ 2013માં આના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો. એશિઝની નવી ટ્રોફી લાવવામાં આવી અને આ ટુર્નામેન્ટને મલ્ટી ફોર્મેટમાં બદલવામાં આવી. એટલે 2013 થી એશિઝ શ્રેણી ટેસ્ટ, ટી20 અને એકદિવસીય મેચ ફોર્મેટમાં રમાવવા લાગી.

વિજેતાનો નિર્ણય કેવી રીતે?

મહિલા એશિઝમાં ટેસ્ટ મેચના વિજેતાને 4 પોઇન્ટ આપવામાં આવે છે અને મેચ જો ડ્રો જાય તો બંને ટીમને બે-બે અંક આપવામાં આવે છે. ત્યારે બાદ એકદિવસીય મેચ અને ટી20 મેચમાં વિજેતા ટીમને બે-બે અંક આપવામાં આવે છે. ત્યાર બાદ શ્રેણીના અંતમાં જે ટીમના સૌથી વધુ અંક હોય છે તે ટીમને વિજેતા ઘોષિત કરવામાં આવે છે.

એશિઝ 2023માં ઓસ્ટ્રેલિયાની ટીમ આગળ

અત્યારે એશિઝ 2023 ની શ્રેણી ઇંગ્લેન્ડમાં રમાઇ રહી છે જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 6-4 થી આગળ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે એક માત્ર ટેસ્ટને જીતીને ચાર આંક હાંસિલ કર્યા હતા અને પછી એક ટી20 મેચમાં જીત મેળવીને 2 પોઇન્ટ મેળવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે બે ટી20 મેચ જીતીને ચાર પોઇન્ટ હાંસિલ કર્યા છે. તેમ ઓસ્ટ્રેલિયાની ટીમે હાલમાં 6-4 થી સરસાઇ મેળવી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">