World Cup 2023: શું વર્લ્ડ કપનું શેડ્યૂલ ફરી બદલાશે? આ બોર્ડે BCCI પાસે કરી માંગ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સતત બે મેચ યોજાવાની છે. આમાં પાકિસ્તાનની મેચ પણ સામેલ છે. પાકિસ્તાનની આ મેચમાં તાજેતરમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, જેના કારણે HCA મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે અને તેણે આ અંગે BCCIને પત્ર લખ્યો છે.

World Cup 2023: શું વર્લ્ડ કપનું શેડ્યૂલ ફરી બદલાશે? આ બોર્ડે BCCI પાસે કરી માંગ
World Cup 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 11:39 AM

ODI વર્લ્ડ કપ (World Cup 2023)ની શરૂઆત આડે વધુ સમય બાકી નથી. પરંતુ તેના સમયપત્રકને લગતી સમસ્યાઓ અટકી નથી. BCCI અને ICCએ તેનું શિડ્યુલ જાહેર કર્યું હતું, પરંતુ ત્યારબાદ કેટલાક બોર્ડે તેમાં ફેરફારની માંગ કરી હતી. જેના કારણે નવ મેચોના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. એવું લાગ્યું કે શેડ્યૂલ ફાઈનલ થઈ ગયું છે અને બધા તેનાથી સંતુષ્ટ છે, પરંતુ હવે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને (HCA)ભારતીય બોર્ડ પાસે ફેરફારની માંગ કરી છે.

HCAએ મેચોમાં ફેરફારની માંગ કરી

હૈદરાબાદે સળંગ બે મેચોની યજમાની કરવાની છે અને તેથી આ બે મેચોમાં ગેપ રાખવા માટે બીસીસીઆઈએ માંગ કરી છે. હૈદરાબાદના ઉપ્પલમાં સ્થિત રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સતત બે મેચ યોજાવાની છે. આમાં પાકિસ્તાનની મેચ પણ સામેલ છે. તાજેતરમાં પાકિસ્તાનની આ મેચમાં ફેરફાર કરવામાં આવ્યા હતા જેના કારણે HCA મુશ્કેલીનો સામનો કરી રહી છે.

માત્ર Reliance જ નહીં, મુકેશ અંબાણીની દીકરી ઈશા આ 7 કંપનીઓની પણ છે માલિક
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો

હૈદરાબાદમાં વર્લ્ડ કપની બે મેચો રમાશે

અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ હૈદરાબાદ 9 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચેની મેચની યજમાની કરવાનું છે અને બીજા દિવસે અહીં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ રમાશે. પાકિસ્તાનની મેચ અગાઉ 12 ઓક્ટોબરે હતી જે બદલાઈ હતી અને તે 10 ઓક્ટોબરે નક્કી કરવામાં આવી હતી કારણ કે પાકિસ્તાન અને ભારતની 15 ઓક્ટોબરની મેચ 14 ઓક્ટોબરે શિફ્ટ કરવામાં આવી હતી. પાકિસ્તાનને ભારતની મેચ પહેલા પૂરતો સમય મળી શકે, તેથી આ મેચ બદલીને 10 ઓક્ટોબર કરવામાં આવી. આ સ્ટેડિયમમાં 6 ઓક્ટોબરે પાકિસ્તાનનો સામનો નેધરલેન્ડ સામે થવાનો છે.

સુરક્ષા અંગે સમસ્યા

અખબારના અહેવાલ અનુસાર, હૈદરાબાદ પોલીસે સતત બે મેચ, ખાસ કરીને પાકિસ્તાન મેચ માટે આપવામાં આવેલી સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. હૈદરાબાદ પોલીસે HCAને કહ્યું છે કે તેને પાકિસ્તાન મેચ માટે ઓછામાં ઓછા 3000 પોલીસ કર્મચારીઓની જરૂર છે. સ્ટેડિયમ સિવાય પાકિસ્તાનની ટીમ જે હોટલમાં રોકાશે ત્યાં પણ ભારે પોલીસ ફોર્સની જરૂર પડશે.

આ પણ વાંચો : શું વર્લ્ડ કપ માટે અશ્વિનની પસંદગી થશે? જો આમ થાય તો ટીમ ઈન્ડિયાને ફાયદો કે નુકસાન?

HCAએ BCCIને પત્ર લખ્યો

આવી સ્થિતિમાં, પોલીસે HCAને કહ્યું છે કે તે પાકિસ્તાન મેચ માટે જરૂરી સુરક્ષા આપી શકશે નહીં. આ મામલે BCCIને પત્ર લખ્યો છે. HCA એ સમયપત્રકમાં ફેરફાર કર્યા પછી BCCI સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. BCCI દ્વારા શેડ્યૂલમાં ફેરફાર સમયે, BCCI તરફથી કોઈએ HCAના અધિકારીઓ સાથે વાત કરી ન હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">