રોહિત શર્માને આરામ આપવામાં આવશે કે નહીં? દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ પહેલા ભારતીય ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ થશે

Team India: દક્ષિણ આફ્રિકાથી (CSA) સિરીઝ માટે ટીમની પસંદગી IPL 2022ના પ્લે-ઓફ દરમિયાન કરવામાં આવશે. આ સીરિઝમાં માત્ર રોહિત શર્મા (Rohit Sharma) જ કેપ્ટન રહેશે કે તેને આરામ મળશે, આ અંગે સિલેક્ટરે મોટી વાત કહી છે.

રોહિત શર્માને આરામ આપવામાં આવશે કે નહીં? દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ પહેલા ભારતીય ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ થશે
Team India (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 9:58 PM

અહીં IPL 2022 પુરી થશે અને દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણીનો શંખ વાગશે. 5 ટી20 મેચોની શ્રેણીમાં રોહિત શર્મા (Rohit Sharma)ને આરામ આપવામાં આવશે અથવા તો તેને ટીમની કમાન સોંપવામાં આવશે, તેના પરથી પડદો ઉંચકતો જણાય છે. InsideSportના જણાવ્યા પ્રમાણે રોહિત શર્મા પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. મતલબ કે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયા (Team India)ની કમાન તેના હાથમાં રહેશે.

IPL 2022માંથી મુંબઈ ઈન્ડિયન્સના વહેલા બહાર થવાને કારણે રોહિત શર્માને આ શ્રેણીમાં રમવાની મંજૂરી મળી છે. અગાઉ એવી વાત હતી કે IPL બાદ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે. પરંતુ મુંબઈ પ્લેઓફ માટે ક્વોલિફાઈ ન થઈ શકવાના કારણે રોહિત શર્માને એક સપ્તાહનો આરામ મળશે. આનાથી તેના દક્ષિણ આફ્રિકા સામે રમવાની શક્યતા ખુલી ગઈ.

આઈપીએલ 2022ના પ્લે-ઓફ દરમિયાન સાઉથ આફ્રિકાથી સિરીઝ માટેની ટીમની પસંદગી કરવામાં આવશે. સિલેક્ટરે InsideSportને જણાવ્યું કે “આઈપીએલ 2022ના પ્લે-ઓફ દરમિયાન અમે દક્ષિણ આફ્રિકાની શ્રેણી માટે ટીમની પસંદગી કરીશું. રોહિત શર્મા આ શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સીરિઝના 5 દિવસ પહેલા ખેલાડીઓ NCA પહોંચશે

ભારતીય પસંદગીકારે એમ પણ કહ્યું કે “ટીમની પસંદગી બાદ એનસીએમાં ખેલાડીઓ પહોંચશે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની શરૂઆત પહેલા આ તમામનો ફિટનેસ ટેસ્ટ પણ કરવામાં આવશે. 5 T20 મેચોની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ 9 જૂનથી શરૂ થશે.

ટીમની પસંદગી પહેલા વિરાટ કહોલી સાથે થશે વાત

રોહિત શર્માની ઉપલબ્ધતાની પુષ્ટિ કર્યા પછી પસંદગીકર્તાએ એમ પણ કહ્યું કે શ્રેણી માટે ટીમ પસંદ કરતા પહેલા વિરાટ કોહલી સાથે પણ વાત કરવામાં આવશે કે તે આરામ કરવા માંગે છે કે ફરીથી રમવા માંગે છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન હાલ ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય છે.

5 શહેરોમાં રમાશે ટી20 સીરિઝ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણી 5 શહેરોમાં રમાશે. તેની શરૂઆત દિલ્હીથી થશે. 9 જૂને દિલ્હીમાં મેચ રમ્યા બાદ બીજી T20 12 જૂને કટકમાં, ત્રીજી T20 વિઝાગમાં 14 જૂને, ચોથી T20 17 જૂને રાજકોટમાં અને 5મી અને છેલ્લી T20 19 જૂને બેંગલુરુમાં રમાશે. ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ બનાવવાના હેતુથી ભારત માટે આ સિરીઝ મહત્વપૂર્ણ બની શકે છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">