AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WI vs IND: પૂજારા અને શમીની જગ્યાએ કોણ રમશે? અજિંક્ય રહાણેએ આપ્યો સંકેત

ટીમ ઈન્ડિયાના બે સિનિયર ખેલાડીઓ ચેતેશ્વર પૂજારા અને મહોમ્મદ શમી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી, એવામાં હવે ટીમમાં નવા ચહેરાને તેમના સ્થાને રમવાની તક મળશે. જે અંગે હજી સસ્પેન્સ યથાવત છે. ત્યારે ટીમ ઈન્ડિયાના વાઇસ કપ્તાન રહાણેએ આ અંગે જાણકારી આપી હતી.

WI vs IND: પૂજારા અને શમીની જગ્યાએ કોણ રમશે? અજિંક્ય રહાણેએ આપ્યો સંકેત
Rahane, Pujara, Shami
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2023 | 6:32 PM
Share

ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 12 જુલાઈથી રમાશે. આ વખતે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને મોહમ્મદ શમી (Mohammed Shami) વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે નહીં હોય. આવી સ્થિતિમાં એ બે ખેલાડીઓનું સ્થાન કોણ લેશે આ મોટો પ્રશ્ન છે. ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ આ સવાલોના જવાબ તો ન આપ્યો, પરંતુ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચોક્કસથી બે ખેલાડીઓ તરફ ઈશારો કર્યો હતો.

વાઈસ કેપ્ટન રહાણેની પ્રેસ કોન્ફરન્સ

અજિંક્ય રહાણેએ કહ્યું કે પૂજારા અને શમીની ગેરહાજરીમાં કોઈપણ ખેલાડી માટે પોતાને સાબિત કરવાની મોટી તક હશે. પુજારાની ગેરહાજરીને કારણે ટીમ ઈન્ડિયામાં નંબર 3નું સ્થાન ખાલી છે. સાથે જ શમીની ગેરહાજરીને કારણે બોલિંગ બ્રિગેડ થોડી બિનઅનુભવી દેખાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં જે ખેલાડી યોગ્ય હશે તે જ ખેલાડી આ બંને ખેલાડીઓની જગ્યા લેશે.

નંબર 3 પર કોણ કરશે બેટિંગ?

પૂજારા ટીમ ઈન્ડિયામાં નંબર 3 પર રમતો હતો. પૂજારાને ભારતીય ક્રિકેટની બીજી દીવાલ કહેવામાં આવે છે અને તેનું કારણ એ છે કે તેણે ઘણી ટેસ્ટ પોતાના દમ પર જીતાડી છે અથવા તો ડ્રો કરાવી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે પૂજારાની બેટિંગ એવરેજ 35ની નજીક રહી છે. હવે સવાલ એ છે કે પૂજારાનું સ્થાન કોણ લેશે? તો આના જવાબમાં રહાણેએ કહ્યું છે કે ઘણા એવા ખેલાડીઓ છે જે આ જગ્યાએ રમી શકે છે. તેણે કહ્યું કે જેને પણ આ તક મળશે, તે તેના માટે મોટી તક હશે.

પૂજારાની જગ્યાએ યશસ્વી?

જોકે રહાણેએ અહીં કોઈ એક પણ ક્રિકેટરનું નામ નથી લીધું. પરંતુ, પૂજારાને રિપ્લેસ કરવાની રેસમાં જે નામ સૌથી આગળ છે તે યશસ્વી જયસ્વાલનું છે. ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 80થી વધુની એવરેજથી રન બનાવ્યા છે. આ સિવાય યશસ્વીએ બાર્બાડોસમાં રમાયેલી પ્રેક્ટિસ મેચમાં પણ પોતાના ફોર્મમાં હોવાનું ટ્રેલર બતાવ્યું હતું.

આ પણ વાંચો : Breaking News: બીજી T20માં ભારતે બાંગ્લાદેશને 8 રને હરાવ્યું, T20 સીરિઝ પર કર્યો કબજો

શમીના સ્થાને સિરાજ અથવા ઉનડકટ રમશે?

રહાણેએ ટીમ ઈન્ડિયામાં શમીના સ્થાન પર રમવા માટે સિરાજ અને ઉનડકટનું નામ લીધું હતું. તેણે કહ્યું કે આ બંને પાસે ઘણો અનુભવ છે. બંને લાલ બોલના શાનદાર બોલર છે. આવી સ્થિતિમાં તેમાંથી કોઈપણ શમીનું સ્થાન લઈ શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">