AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant: ક્યારે સુધરશે કેપ્ટન રિષભ પંત? એક જ ભુલ વારંવાર કરી રહ્યો છે

Cricket : સાઉથ આફ્રિકા (Cricket South Africa) સામેની ટી-20 સિરીઝમાં કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) નું ખરાબ પ્રદર્શન યથાવત છે. રાજકોટ ટી20 મેચમાં પણ પંત 17 રન બનાવીને આઉટ થયો હતો.

Rishabh Pant: ક્યારે સુધરશે કેપ્ટન રિષભ પંત? એક જ ભુલ વારંવાર કરી રહ્યો છે
Rishabh Pant Rajkot (PC: BCCI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 1:18 PM
Share

સાઉથ આફ્રિકા (Cricket South Africa) સામે કેપ્ટન રિષભ પંત (Rishabh Pant) નું ખરાબ પ્રદર્શન ચાલુ છે. શુક્રવારે રાજકોટમાં રમાયેલી મેચમાં પંત 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રિષભ પંતને કેશવ મહારાજે ડ્વેન પ્રિટોરિયસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પંત ઓફ-સ્ટમ્પની બહાર ફેંકવામાં આવેલા બોલ પર સ્લેપ શોટ રમવા માંગતો હતો. પરંતુ શોટનો સમય યોગ્ય ન હતો. ખાસ વાત એ છે કે જો રિષભ પંત બોલ છોડ્યો હોત તો તે વાઈડ થઈ ગયો હોત.

એક જ ભુલ વારંવાર ક્યા સુધી

સાઉથ આફ્રિકા સામેની ચારેય મેચોમાં રિષભ પંતને આઉટ કરવાની રીત સમાન રહી છે. ચારેય મેચોમાં દક્ષિણ આફ્રિકાના બોલરોએ તેને ઓફ-સ્ટમ્પની બહાર ફેંક્યો. જેના પર તેણે પોતાની વિકેટ ગુમાવી. પ્રથમ ત્રણ મેચમાં પંત કવર રિજનમાં કેચ પકડાયો હતો. જ્યારે રાજકોટ ટી20 મેચમાં તે શોર્ટ થર્ડ મેન પર કેચ થયો હતો.

રિષભ પંતની શોટની પસંદગી હંમેશા સવાલોના ઘેરામાં રહે છે. સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝ પહેલા પણ તે ઘણા પ્રસંગોએ ખરાબ શોટ રમીને આઉટ થયો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સિઝનમાં પણ રિષભ પંત ખરાબ શોટ રમીને ઘણી વખત પોતાની વિકેટ ગુમાવતો જોવા મળ્યો હતો.

શોટની પસંદગીમાં સુધારો કરવો પડશે

રિષભ પંતે આવનારી મેચોમાં શોટ સિલેક્શનમાં સુધારો કરવો પડશે. જો આવું જ રહેશે તો તેને ટી20 ટીમની પ્લેઈંગ ઈલેવનમાંથી પણ બહાર કરવામાં આવી શકે છે. બીજી તરફ દિનેશ કાર્તિક શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેના કારણે તે T20 વર્લ્ડ કપના સંભવિત દાવેદારોમાંનો એક બની ગયો છે.

સાઉથ આફ્રિકા સામેની વર્તમાન T20 સિરીઝમાં રિષભ પંતે 4 ઇનિંગ્સમાં માત્ર 57 રન બનાવ્યા છે. આ દરમિયાન રિષભ પંતની એવરેજ 14.25 અને સ્ટ્રાઈક રેટ 105.55 છે. રિષભ પંતના આ ખરાબ ફોર્મનું કારણ કેપ્ટનશિપ પણ હોઈ શકે છે. જેનું દબાણ તેની બેટિંગ પર દેખાઈ રહ્યું છે.

IPL માં પણ તેનું બેટ ચાલું ન હતું

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે IPL 2022 માં 14 મેચમાં 30.90 ની એવરેજથી 340 રન બનાવ્યા હતા. આ દરમિયાન રિષભ પંતનો સર્વશ્રેષ્ઠ સ્કોર 44 રન હતો. એટલે કે તે એક પણ પ્રસંગે 50 ના આંકડાને સ્પર્શવામાં નિષ્ફળ રહ્યો હતો. રિષભ પંતની ટીમ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી.

g clip-path="url(#clip0_868_265)">