AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: વકાર યૂનુસે માંગી માફી, કહ્યુ આવેશમાં ભૂલ થઇ ગઇ, મેચ બાદ ‘હિન્દૂઓ સામે નમાઝ’ કહી કર્યુ હતુ વિવાદીત નિવેદન

ભારત સામેની મેચમાં પાકિસ્તાને (India vs Pakistan) જીત મેળવ્યા બાદ મોહમ્મદ રિઝવાને મેદાન પર જ નમાઝ પઢી હતી. જેને લઇને વકાર યૂનુસે (Waqar Younis) હિન્દુઓની સામે નમાઝ અદા કરવાને લઇને વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતુ

IND vs PAK: વકાર યૂનુસે માંગી માફી, કહ્યુ આવેશમાં ભૂલ થઇ ગઇ, મેચ બાદ 'હિન્દૂઓ સામે નમાઝ' કહી કર્યુ હતુ વિવાદીત નિવેદન
Waqar Younis
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 11:53 AM
Share

ભારત સામે T20 વિશ્વકપ (T20 World Cup) માં પહેલી વાર શુ જીત મેળવી કે, પાકિસ્તાન (Pakistan) ના દિગ્ગજોના આછકલાંપણાં પણ જાહેર થઇ ગયા. કોઇએ ન્યુઝીલેન્ડને પજવ્યુ તો કોઇ વળી વધારે પડતા આછકલા કરવા જતા સોશિયલ મીડિયા પર ગમે એમ લખી દેવા લાગ્યા છે. આવી જ રીતે વકાર યૂનુસ (Waqar Younis) પણ એવુ બોલી ગયો હતો કે, તેની પર રમતના ચાહકો થી લઇને સૌ કોઇને રોષ ઉભરાઇ આવ્યો હતો. વકારે મોહમ્મદ રિઝવાનની મેદાનમાં નમાઝ અદા કરવાને લઇને કહ્યુ હતુ કે, મેચ દરમ્યાન તે ખાસ ક્ષણ હતી કે, હિન્દૂઓની સામે તેણે નમાજ અદા કરી હતી.

સોશિયલ મીડિયા જ નહી ચોમેર થી વકારની આ હલકી માનસિકતા સામે રોષ વ્યાપ્યો હતો. જોકે હવે વકારે આખરે માફી માંગી લીધી છે. તેણે કહ્યુ કે આવેશ માં આવી ને આ વાત કહી દીધી હતી. જેના માટે તે માફી માંગે છે. વકારની આ વાતને લઇને પાકિસ્તાનમાંથી પણ તેના પ્રત્યે રોષ વર્તાવા લાગ્યો હતો.

પૂર્વ કેપ્ટન વકાર યુનિસે એક ન્યૂઝ ચેનલ પર કહ્યું કે તેમના માટે ભારત-પાકિસ્તાન (India vs Pakistan) મેચમાં સૌથી ખાસ ક્ષણ મોહમ્મદ રિઝવાનની નમાઝ અદા કરવી હતી. જેણે હિન્દુઓની સામે આ કર્યું હતુ. વકાર યુનુસના તેના નિવેદનને લઈને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વકાર યૂનુસ ક્રિકેટની રમતને ધર્મ સાથે જોડી રહ્યો છે, જે ખરેખર અસહ્ય બાબત છે. એ દરમિયાન પાકિસ્તાનના ગૃહ પ્રધાન શેખ રાશિદે પણ પાકિસ્તાનની ટીમની જીતને ઇસ્લામની જીત ગણાવી દીધી હતી.

વિવાદ વકરવા બાદ વકાર યૂનુસે માફી માંગતા ટ્વીટ કરી ને કહ્યુ કે, આવેશમાં આવીને મેં આવી વાત કહી હતી. મેં એવું કંઇક કહી દીધુ હતુ કે, જે મારો કહેવાનો મતલબ નહોતો. જેના થી અનેક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જેના માટે હું માફી માંગુ છું. મારો આવો ઇરાદો બિલકુલ નહોતો, જે વાસ્તવમાં ભૂલ થઇ ગઇ છે. રમત લોકોને રંગ અને ધર્મ થી દૂર રાખીને જોડે છે.

રમીઝ રાજાએ પણ કહ્યુ આમ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ વકારના ટ્વીટ પર જવાબ કર્યો હતો. તેમણે લખ્યુ હતુ કે, જરા પણ આશ્વર્ય થયુ નથી. હું મારા અનુભવ થી બતાવી શકુ છુ કે, એક માણસ જે પોતાના દેશની ભાષાઓ અને શહેરોને લઇને નસ્લવાદી છે. તે સરળતા થી ધાર્મિક મતભેદોને લઇને આ પ્રકારની નકારાત્મક ટિપ્પણી કરી શકે છે.

આ પણ વાંચોઃ T20 World Cup: પાકિસ્તાનના આછકલા ચાહકોમાં અભિમાન છલકાવા લાગ્યુ, ન્યુઝીલેન્ડની ટીમને ‘Security-Security’ કહી ચિડવતા રહ્યા, જુઓ Video

આ પણ વાંચોઃ IPL: સંજીવ ગોએન્કાએ લખનૌની ટીમ ખરિદવાને લઇને હવે સૌરવ ગાંગુલી પર સવાલો ઉઠવા લાગ્યો, જાણો શુ છે વિવાદ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">