IND VS ENG: વિરાટ કોહલી એક ફોન કરશે અને ફોર્મમાં પરત ફરશે? જાડેજાએ કહી એક ગજબ વાત

વિરાટ કોહલીના (Virat Kohli) ખરાબ ફોર્મ પર સતત નિવેદનબાજી થઈ રહી છે અને લોર્ડ્સની વનડેમાં ફેલ થયા બાદ નિવેદનબાજી વધુ વધી ગઈ છે. હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ કહ્યું છે કે સચિને વિરાટ કોહલી સાથે વાત કરવી જોઈએ.

IND VS ENG: વિરાટ કોહલી એક ફોન કરશે અને ફોર્મમાં પરત ફરશે? જાડેજાએ કહી એક ગજબ વાત
virat-kohli-sachin-tendulkar Image Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 4:41 PM

વિરાટ કોહલી (Virat Kohli) ક્યારે ફટકારશે સદી? વિરાટ કોહલી ક્યારે ફોર્મમાં પરત ફરશે? ભારતીય ક્રિકેટ ટીમનો દરેક ફેન આજે આ જ સવાલ પૂછી રહ્યો છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આખરે એવું તો શું થયું કે 70 ઈન્ટરનેશનલ સદી ફટકારનાર બેટ્સમેન આજે રન માટે તરસી રહ્યો છે. આખરે એવી કઈ ખામી છે જે વિરાટ કોહલી સમજી શકતો નથી. વિરાટ કોહલી હાલમાં ઈંગ્લેન્ડમાં છે અને તેનું બેટ ત્યાં પણ રન કરી રહ્યું નથી. લોર્ડ્સની વનડેમાં પણ વિરાટ કોહલી મોટી ઈનિંગ રમી શક્યો ન હતો અને 15 રનમાં પોતાની વિકેટ ગુમાવી હતી. આ પછી તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવાની વાતો તેજ થઈ ગઈ છે, પરંતુ આ દરમિયાન અજય જાડેજાને (Ajay jadeja) લાગે છે કે હવે વિરાટ કોહલીને મદદની જરૂર છે.

જાડેજાએ કહ્યું- સચિને વિરાટની કરવી જોઈએ મદદ

અજય જાડેજાએ લોર્ડ્સની વનડે પછી કહ્યું કે સચિને વિરાટ કોહલી સાથે વાત કરવી જોઈએ. આ ખરાબ સમયમાં માત્ર સચિન તેંડુલકર જ વિરાટ કોહલીની મદદ કરી શકે છે. જાડેજાએ કહ્યું, ‘આ સમયે વિરાટ કોહલીએ સચિનને ​​ફોન કરવો જોઈએ અને તેની સાથે લંચ કે ડિનર પર વાત કરવી જોઈએ. મને બીજી કોઈ વ્યક્તિ યાદ નથી. તે સચિનથી માત્ર એક કોલ જ દૂર છે. મને આશા છે કે જો વિરાટ તેને ફોન નહીં કરે તો સચિને તેને ફોન કરવો જોઈએ. તમે મોટા છો, તમે પણ આ સમય જોયો છે, તો આવી પરિસ્થિતિમાં તમારું કર્તવ્ય છે કે તમે નાનાને કોલ કરો. મને આશા છે કે સચિન પણ આવું જ કરશે.

આ પણ વાંચો

વિરાટ કોહલીને પહેલા પણ મળી છે સચિન પાસેથી મદદ

વર્ષ 2014માં વિરાટ કોહલીએ સચિન પાસે મદદ માંગી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસમાં તે ખરાબ રીતે ફેલ થયો હતો. પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં વિરાટ કોહલીની ઔસત માત્ર 13.50 હતી. ઓફ-સ્ટમ્પની બહારના બોલ પર વિરાટ કોહલી સતત પોતાની વિકેટ ગુમાવી રહ્યો હતો. જે બાદ તે મુંબઈ પાછો આવ્યો અને સચિન તેંડુલકર પાસે મદદ માંગી. સચિને વિરાટ કોહલીની મદદ કરી અને તેનો બેટિંગ સ્ટાંસ બદલાઈ ગયો અને ઓસ્ટ્રેલિયા ગયા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ સિરીઝમાં 692 રન બનાવ્યા. અત્યારે વિરાટ કોહલી તેના કરતા પણ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને તેની મદદ કરવા માટે કદાચ સચિનથી સારો કોઈ વ્યક્તિ નહીં હોય.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">