Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: વિરાટ કોહલી શૂન્ય રને આઉટ, પછી મોટી ઇનીંગ રમવાની ફરી આશા તૂટી

IND vs SA 2nd ODI: ભારતને ફરી એકવાર દક્ષિણ આફ્રિકાના સ્પિનરો સામે રન બનાવવામાં મુશ્કેલી થતી જોવા મળી હતી.

IND vs SA: વિરાટ કોહલી શૂન્ય રને આઉટ, પછી મોટી ઇનીંગ રમવાની ફરી આશા તૂટી
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 3:56 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની બીજી વન ડે (India vs South Africa 2nd ODI) માં વિરાટ કોહલી (Virat Kohli) આઉટ થયો હતો. કેશવ મહારાજે (Keshav Maharaj) તેનો શિકાર કર્યો. વિરાટ કોહલીની ઇનિંગ પાંચ બોલ સુધી ચાલી હતી. તેણે કવર વિસ્તારમાં તૈનાત ટેમ્બા બાવુમાને કેચ આપ્યો હતો. ભારત માટે આ એક મોટો આંચકો હતો. તેની વિદાય સાથે ભારતનો સ્કોર બે વિકેટે 64 રન થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાએ એક રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. શિખર ધવન 63 રનના સ્કોર પર આઉટ થયો હતો. તે એડન માર્કરામનો શિકાર બન્યો હતો.

વિરાટ કોહલી ODI ક્રિકેટમાં 14મી વખત ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો છે. આ મેચ પહેલા છેલ્લી વખત તે 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ તે બીજા બોલ પર જ પાછો ફર્યો હતો. તે બીજી વખત દક્ષિણ આફ્રિકા સામે ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો છે. પાર્લમાં રમાઈ રહેલી મેચ પહેલા 2013ની સિરીઝમાં પણ તે ખાતું ખોલાવી શક્યો ન હતો. રસપ્રદ વાત એ છે કે તે પણ શ્રેણીની બીજી મેચ હતી અને તેમાં પણ કોહલી પાંચ બોલ રમ્યા બાદ શૂન્ય રને આઉટ થયો હતો.

સૌથી વધુ ડક્સમાં કોહલીએ સેહવાગની બરાબરી કરી

વિરાટ કોહલી હવે તમામ ફોર્મેટમાં ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધુ વખત ખાતું ખોલાવવાના મામલે બીજા ક્રમે આવી ગયો છે. તે 31મી વખત શૂન્ય પર આઉટ થયો હતો. તેણે વીરેન્દ્ર સેહવાગની બરાબરી કરી. તે પણ માત્ર 31 વખત ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. સૌથી આગળ સચિન તેંડુલકર છે જે 34 વખત શૂન્ય રને આઉટ થયો હતો. આ યાદીમાં સૌરવ ગાંગુલી (29) ચોથા અને યુવરાજ સિંહ (26) પાંચમા સ્થાને છે.

મુખ્ય દરવાજા સામે તુલસીનો છોડ રાખવાથી શું થાય છે?
આજનું રાશિફળ તારીખ : 08-04-2025
19 વર્ષની ઉંમરે સગાઈ, 3 વાર પ્રેમમાં દગો, જાણો RJ Mahvashની દર્દનાક કહાની
Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ

17 ઇનિંગ્સથી સદીની રાહ

જાન્યુઆરી 2021 પછી આ બીજી વખત છે જ્યારે વિરાટ કોહલી ડબલ આંકડો પાર કરી શક્યો નથી. તેણે આ સમયગાળામાં 56, 66, 7, 51 અને 0 રન બનાવ્યા છે. પાર્લ ખાતેની બીજી ODIમાં ખાતું ખોલવામાં નિષ્ફળતા સાથે, તેની ODI સદીની રાહ પણ લાંબી થઈ ગઈ. તે 17 ઇનિંગ્સમાં સદી ફટકારી શક્યો નથી. આ તેની કારકિર્દીનો બીજો સૌથી લાંબો સમયગાળો છે. આ પહેલા 2011માં પણ તે 17 ઇનિંગ્સમાં સદી ફટકારી શક્યો ન હતો.

આ પણ વાંચોઃ Ind Vs Pak: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી થશે ક્રિકેટ જંગ, ICCએ તારીખ કરી નક્કી, જાણો ક્યારે થશે મહામુકાબલો

આ પણ વાંચોઃ Corona: કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ, ડેકોરેશન અને કેટરીંગના વ્યવસાયની હાલત કફોડી, બે વર્ષથી મરવા વાંકે જીવવાની પરિસ્થિતી 

આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
g clip-path="url(#clip0_868_265)">