Virat Kohli: ભારતમાં પગ મુકતા જ વિરાટ કોહલીની ટેસ્ટ કેપ્ટનશીપ છીનાવાઇ જવાની હતી, આબરુ બચાવવા ધર્યુ હતુ રાજીનામુ!

BCCI એ ડિસેમ્બર 2021માં જ વિરાટ કોહલી (Virat Kohli) ને ODI ટીમની કેપ્ટનશીપથી પણ હટાવી દીધો હતો અને ત્યાર બાદ જ કોહલી અને બોર્ડ વચ્ચે વિવાદ શરૂ થયો હતો.

Virat Kohli: ભારતમાં પગ મુકતા જ વિરાટ કોહલીની ટેસ્ટ કેપ્ટનશીપ છીનાવાઇ જવાની હતી, આબરુ બચાવવા ધર્યુ હતુ રાજીનામુ!
Virat Kohli ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમની હારના એક દિવસ બાદ રાજીનામુ ધર્યુ હતુ.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 10:51 PM

વિરાટ કોહલી (Virat Kohli) એ 15 જાન્યુઆરીએ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટન્સીમાંથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા હતા. દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમની હારના એક દિવસ બાદ કોહલીએ ત્રીજા અને છેલ્લા ફોર્મેટની કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી. જ્યારે કોહલીના રાજીનામાથી બધાને આશ્ચર્ય થયું હતું, ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) સાથેના વિવાદ બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવે આ મામલે એક નવો ખુલાસો સામે આવ્યો છે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોહલીના રાજીનામા પહેલા જ બીસીસીઆઈએ કોહલીને ટેસ્ટ કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય લીધો હતો અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ કેપ્ટનશીપ છીનવાઈ જવાની હતી. પરંતુ કોહલીએ પોતે જ આ શક્યતા સમાપ્ત કરવા માટે આ પદ છોડી દીધું હતું.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દક્ષિણ આફ્રિકા સિરીઝ બાદ કોહલીને કેપ્ટનશિપ પરથી હટાવવાના મુદ્દા પર બોર્ડની બેઠકમાં ચર્ચા થઈ હતી. બીસીસીઆઈના એક અજ્ઞાત અધિકારીએ અહેવાલમાં જણાવ્યું હતું કે, “હા, એ વિકલ્પ પર ચર્ચા કરવામાં આવી હતી કે તેને (કોહલી) દક્ષિણ આફ્રિકા શ્રેણી પછી રાજીનામું આપવા માટે કહેવામાં આવે. દરેક જણ આના પર સહમત ન હતા, પરંતુ મોટાભાગના લોકો વિભાજિત કેપ્ટનની વિરુદ્ધ હતા અને નવી શરૂઆત ઇચ્છતા હતા જ્યારે વિરાટ તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જો તેણે રાજીનામું ન આપ્યું હોત, તો તેને આમ કરવા માટે કહેવામાં આવ્યું હોત.”

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોહલીએ પોતે રાજીનામું આપ્યું હતું

15 જાન્યુઆરીએ કોહલીએ સુકાની પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. કોહલીએ એમએસ ધોની બાદ 2015માં સંપૂર્ણ કેપ્ટન તરીકે ટેસ્ટ ટીમની કમાન સંભાળી હતી. ત્યારથી, તે સતત 7 વર્ષ સુધી ટીમનો કેપ્ટન હતો. પોતાના રાજીનામામાં કોહલીએ કહ્યું હતું કે તે પોતાની ટીમ પ્રત્યે બેઈમાન બનવા માંગતો નથી અને તેથી કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. કોહલીની કપ્તાનીમાં ભારતે 68 ટેસ્ટ મેચોમાં 40 મેચ જીતી હતી. તે ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે.

હંગામો ક્યારે અને શા માટે થયો?

છેલ્લા દોઢ મહિનામાં વિરાટ કોહલી અને BCCI વચ્ચે ગંભીર વિવાદ ચાલી રહ્યો છે. કોહલીએ સપ્ટેમ્બર 2021માં T20 ટીમની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. કોહલીએ T20 વર્લ્ડ કપ બાદ કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી હતી. આ પછી પસંદગીકારોએ ડિસેમ્બર 2021માં કોહલીને વનડેની કેપ્ટનશીપથી પણ હટાવી દીધો હતો.

આ દરમિયાન બોર્ડ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે તેણે પોતે કોહલીને ટી20 કેપ્ટનશિપ ન છોડવાની અપીલ કરી હતી. આ પછી, ડિસેમ્બરમાં જ દક્ષિણ આફ્રિકા જતા પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં ગાંગુલીનું નામ લીધા વિના કોહલીએ તેમના નિવેદનને ખોટું ગણાવ્યું, જેણે હંગામો મચાવ્યો. આ પછી ગાંગુલીએ કહ્યું હતું કે બોર્ડ આ વિવાદનો સામનો કરશે.

આ પણ વાંચોઃ IND vs SA: ઓલરાઉન્ડર તરીકે સામેલ થવા છતાં છઠ્ઠા બોલર તરીકે વેંકટેશ અય્યરનો ઉપયોગ નહી કર્યાનો થયો ખુલાસો, ગબ્બરે કહી અજીબ નિર્ણયની વાત

આ પણ વાંચોઃ Corona: કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ, ડેકોરેશન અને કેટરીંગના વ્યવસાયની હાલત કફોડી, બે વર્ષથી મરવા વાંકે જીવવાની પરિસ્થિતી 

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">