AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડવાનુ બતાવ્યુ મોટું કારણ, આ વાતોનો કર્યો ઉલ્લેખ, વાંચો પુરુ નિવેદન

એક દિવસ પહેલા, ભારતને દક્ષિણ આફ્રિકાના હાથે ટેસ્ટ શ્રેણીમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો અને 24 કલાકની અંદર, કોહલી (Virat Kohli) એ આ નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા.

Virat Kohli: વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડવાનુ બતાવ્યુ મોટું કારણ, આ વાતોનો કર્યો ઉલ્લેખ, વાંચો પુરુ નિવેદન
Virat Kohli: વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ હાર બાદ કેપ્ટનશીપ છોડી ચોંકાવ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 7:38 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના કેપ્ટન તરીકે વિરાટ કોહલી (Virat Kohli) નો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 1-2ની હારના એક દિવસ બાદ જ કોહલીએ પણ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે કોહલી હવે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમ (Team India) ની કેપ્ટનશીપમાંથી બહાર થઈ ગયો છે. કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું અને નંબર વનની ખુરશી હાંસલ કરી. 15 જાન્યુઆરી શનિવારના રોજ કોહલીએ ટ્વિટર પર એક નિવેદન જારી કરીને પોતાના નિર્ણયની જાણકારી આપી અને ફરી એકવાર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું. કોહલીએ પોતાના નિવેદનમાં કહ્યું કે દરેક સારી વસ્તુનો અંત હોય છે અને તેના માટે તે અંત આજે છે.

જે રીતે કોહલીએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક નિવેદન જારી કરીને અચાનક T20 ટીમની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી તે જ રીતે તેણે પોતાના એકાઉન્ટ પર લાંબું સ્ટેટમેન્ટ પોસ્ટ કરીને ટેસ્ટની કેપ્ટન્સીમાંથી પણ રજા લીધી હતી.

કોહલીએ પોતાના નિવેદનમાં કહ્યું, “છેલ્લા 7 વર્ષથી, દરરોજ સખત મહેનત, સંઘર્ષ અને સંઘર્ષ દ્વારા, અમે ટીમને સાચી દિશામાં લઈ જવાનું કામ કર્યું છે. મેં મારું કામ ખૂબ જ ઇમાનદારીથી કર્યું અને કોઇ જ કમી છોડી નથી. એક સમય એવો આવે છે કે બધુ રોકાઇ જાય અને હવે તે મારા માટે ભારતના ટેસ્ટ કેપ્ટન તરીકે છે.

મારુ દિલ સાફ, ટીમ સાથએ બેઇમાની નથી કરી શકતો

કોહલીએ એમ પણ કહ્યું કે, તેણે ઘણા ઉતાર-ચઢાવ જોયા પરંતુ હંમેશા મેદાન પર પોતાનું 120 ટકા આપ્યું. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું, “આ સફરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ ક્યારેય પ્રયાસ કે વિશ્વાસની કમી નથી આવી. હું હંમેશા હું જે પણ કરું છું તેમાં 120 ટકા આપવાનું માનું છું અને જો હું તે ન કરી શકું તો હું જાણું છું કે તે યોગ્ય નથી. આ માટે મારા હૃદયમાં સંપૂર્ણ સ્પષ્ટતા છે અને હું મારી ટીમ સાથે અપ્રમાણિક ન હોઈ શકું.”

કોહલીએ BCCI અને સાથી ખેલાડીઓ પર વાત કરી

આ સાથે વિરાટે બીસીસીઆઈના અધિકારીઓ અને તેના સાથી ખેલાડીઓનો તેમના લાંબા સહયોગ માટે આભાર પણ માન્યો હતો. કોહલીએ કહ્યું, “હું આટલા લાંબા સમય સુધી મારા દેશનું નેતૃત્વ કરવાની તક આપવા બદલ BCCIનો આભાર માનું છું અને સૌથી વધુ હું મારા સાથી ખેલાડીઓનો આભાર માનું છું કે જેમણે પહેલા દિવસથી જ આ ટીમ માટે મારું વિઝન અપનાવ્યું અને કોઈપણ સંજોગોમાં હાર માની નહીં. તમે લોકોએ આ પ્રવાસ ખૂબ જ યાદગાર અને સુંદર બનાવ્યો.”

શાસ્ત્રી એન્ડ કંપનીનો માન્યો આભાર.

કોહલીએ પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો પણ વિશેષ આભાર માન્યો હતો. તેણે કહ્યું, “રવિ ભાઈ અને સપોર્ટ ગ્રૂપ, જેઓ આ વાહનની પાછળના એન્જિન હતા અને જેઓ અમને ટેસ્ટ ક્રિકેટમાં ઉપર તરફ લઈ ગયા, તમે બધાએ આ વિઝનને મારા જીવનમાં લાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.”

ધોનીને પણ યાદ કર્યો

કોહલીએ પોતાના નિવેદનનો અંત 7 વર્ષ પહેલા લેજેન્ડને યાદ કરીને કર્યો હતો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની વિશે બોલતા, કોહલીએ કહ્યું, “અંતમાં, એમએસ ધોનીનો ખૂબ આભાર, જેમણે એક કેપ્ટન તરીકે મારા પર વિશ્વાસ કર્યો અને મારામાં એક એવો માણસ જોયો જે ભારતીય ક્રિકેટને આગળ લઈ જઈ શકે.”

Follow Us
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
g clip-path="url(#clip0_868_265)">