AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL શ્રેણી બાદ નીતિન પટેલ નવા પદ પર જોવા મળશે, ટીમ ઇન્ડિયાના અનુભવી ફિઝીયો રાહુલ દ્રવિડની સલાહથી નવી ભૂમિકામાં દેખાશે

નીતિન પટેલ (Nitin Patel) ની છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા (Team India) ના ચીફ ફિઝિયો તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને આ દરમિયાન તેણે ઘણા ખેલાડીઓને ઈજામાંથી બહાર આવવામાં મદદ કરી હતી.

IND vs SL શ્રેણી બાદ નીતિન પટેલ નવા પદ પર જોવા મળશે, ટીમ ઇન્ડિયાના અનુભવી ફિઝીયો રાહુલ દ્રવિડની સલાહથી નવી ભૂમિકામાં દેખાશે
Nitin Patel હવે ટીમ ઇન્ડિયાની આ મહત્વની ચિંતા દૂર કરશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 9:48 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના નેતૃત્વથી લઈને સપોર્ટ સ્ટાફમાં છેલ્લા કેટલાક મહિનામાં મોટા ફેરફારો થયા છે. કેપ્ટન બદલાયા છે, કોચિંગ સ્ટાફ બદલાયો છે. ટેસ્ટ ટીમનું ચિત્ર પણ બદલાવા લાગ્યું છે અને યુવા ચહેરાઓને કેટલાક સિનિયર ખેલાડીઓને સ્થાને તક આપવામાં આવી રહી છે. હવે ટીમ ઈન્ડિયાના બેકરૂમ સ્ટાફમાં વધુ એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટીમ ઈન્ડિયાના ચીફ ફિઝિયો નીતિન પટેલ (Nitin Patel) ને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં મોકલવા જઈ રહ્યું છે. નીતિન પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી ટીમ ઈન્ડિયાના ચીફ ફિઝિયો (Indian Team Physio) છે. તેમને NCAમાં મોકલીને બોર્ડ ખેલાડીઓની ઈજા અને ફિટનેસની સતત વધતી જતી સમસ્યાઓને ઘટાડવાની આશા રાખી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, નીતિન પટેલને એનસીએમાં નવા બનેલા સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિન વિભાગમાં મોકલવામાં આવી રહ્યા છે, જેને પટેલ માટે પ્રમોશન તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. બોર્ડે ગયા વર્ષે હેડ કોચ અને સપોર્ટ સ્ટાફ સાથે આ પદ માટે સ્થાન ભરવા વિજ્ઞાપન આપ્યા હતા, પરંતુ હવે આ પદ પર નીતિન પટેલની નિમણૂક કરવામાં આવી રહી છે. તેમની નિમણૂક ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણી પછી થશે.

ટીમ ઈન્ડિયા સાથે બે ફિઝિયો હશે

તાજેતરમાં, બોર્ડે પુરૂષો અને મહિલા ટીમો માટે ફિઝિયોથેરાપિસ્ટની નિમણૂક માટે પણ અરજીઓ મંગાવી છે. ટીમ ઈન્ડિયામાં હાલમાં બે ફિઝિયો છે, એક નીતિન પટેલ અને બીજા યોગેશ પરમાર, જે તેમના જુનિયર છે. જો કે, બોર્ડ ઇચ્છે છે કે ટીમ સાથે હંમેશા બે ફિઝિયો ઉપલબ્ધ રહે. તેનું એક મોટું કારણ કોરોનાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પણ ગણી શકાય. ગયા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન જ્યારે નીતિન પટેલ કોરોના સંક્રમણની ઝપેટમાં આવ્યા હતા, ત્યારે યોગેશ પરમારે જ ત્રીજી ટેસ્ટ દરમિયાન ભારતીય ખેલાડીઓની ફિટનેસ પર કામ કર્યું હતું. જો કે, બાદમાં પરમારને પણ ચેપ લાગ્યો હતો અને પછી પ્રવાસની અંતિમ ટેસ્ટ મોકૂફ રાખવી પડી હતી.

દ્રવિડની સલાહ પર NCA ટ્રાન્સફર

રિપોર્ટ અનુસાર, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પટેલને NCAમાં મોકલવાનું સૂચન કર્યું છે. ભારતીય કોચ બનતા પહેલા, દ્રવિડ NCAના વડા હતા અને જ્યાં ઈજાગ્રસ્ત ખેલાડીઓ તેમની દેખરેખ હેઠળ તેમની ફિટનેસ પર કામ કરતા હતા. જો કે, હવે દ્રવિડ કોચ છે અને તાજેતરના સમયમાં ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓની ઈજાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે કોચ ચિંતિત છે.

આવી સ્થિતિમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ પટેલ જેવા અનુભવી વ્યક્તિને ટીમમાં જોવા માંગે છે. એનસીએ. ભારતીય ક્રિકેટ ટીમના કરારબદ્ધ ખેલાડીઓએ તેમની ઈજા બાદ તેમની સંભાળ અને રિહૈબિલિટેશન માટે ફરજિયાતપણે NCAની મુલાકાત લેવી પડે છે.

આ પણ વાંચોઃ IPL 2022: ધોની એ હંગરગેકરને લાંબા છગ્ગા ફટકારવાની આપી રહ્યો છે ટ્રેનીંગ, સુરતમાં ચાલી રહ્યો છે કેમ્પ, જુઓ Video

આ પણ વાંચોઃ PAK vs AUS: રવિન્દ્ર જાડેજાથી પાકિસ્તાનનો શાહીન શાહ આફ્રિદી પ્રભાવિત, જડ્ડુ એક્શનમાં કરી સ્પિન બોલીંગ, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">