AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બીજી શ્રેણીની જાહેરાત, ટીમ ઈન્ડિયા 4 T20 રમવા દક્ષિણ આફ્રિકા જશે, જાણો શેડ્યૂલ

BCCIએ તાજેતરમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામેની હોમ સિરીઝની જાહેરાત કરી હતી. હવે બોર્ડે વધુ એક શ્રેણીની જાહેરાત કરી છે. ઘરઆંગણે બાંગ્લાદેશ રમ્યા બાદ ભારતીય ટીમ 4 મેચની T20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. આ સાથે હવે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કુલ પાંચ સિરીઝ રમશે.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બીજી શ્રેણીની જાહેરાત, ટીમ ઈન્ડિયા 4 T20 રમવા દક્ષિણ આફ્રિકા જશે, જાણો શેડ્યૂલ
South Africa vs India
| Updated on: Jun 21, 2024 | 5:02 PM
Share

ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ રમી રહી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં આખી ટીમ આ ટ્રોફી જીતવા માટે સખત મહેનત કરી રહી છે. જો ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચશે તો 29 જૂને યોજાનારી આ મેચ બાદ ટીમ પરત ફરશે. જો કે, આ પછી પણ ખેલાડીઓને કોઈ રાહત મળવાની નથી, કારણ કે ભારતીય ટીમને એક પછી એક ઘણી શ્રેણી રમવાની છે. તાજેતરમાં જ BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે શ્રેણીની જાહેરાત કરી હતી. હવે તેમાં વધુ એક શ્રેણીનો ઉમેરો થયો છે, જેના માટે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે.

નવેમ્બરમાં 4 T20 મેચની સિરીઝ

T20 વર્લ્ડ કપ 2024 બાદ 2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે. જોકે, ICCએ હજુ સુધી આ માટેનું શેડ્યૂલ જાહેર કર્યું નથી, પરંતુ પાકિસ્તાને ફેબ્રુઆરી અને માર્ચની વિન્ડો રાખી છે. ICCની આ મોટી ટૂર્નામેન્ટ પહેલા ભારતીય ટીમ સતત ઘણી શ્રેણી રમવામાં વ્યસ્ત રહેશે. BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા દક્ષિણ આફ્રિકા શ્રેણીનો ઉમેરો કર્યો છે. આ સિરીઝ ન્યુઝીલેન્ડ સિરીઝ પછી તરત જ રાખવામાં આવી છે, જેના માટે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે BCCI સાથે મળીને શેડ્યૂલ જાહેર કર્યું છે. 5 નવેમ્બરે ન્યુઝીલેન્ડ સિરીઝ પૂરી થતાં જ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. ત્યાં એક સપ્તાહમાં એટલે કે 8મી નવેમ્બરથી 15મી નવેમ્બર સુધી કુલ 4 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે.

IND vs SA શેડ્યૂલ-

8 નવેમ્બર: પહેલી T20, ડરબન

10 નવેમ્બર: બીજી T20, પોર્ટ એલિઝાબેથ

13 નવેમ્બર: ત્રીજી T20, સેન્ચુરિયન

15 નવેમ્બર: ચોથી T20, જોહાનિસબર્ગ

ટીમ ઈન્ડિયાનું અતિ વ્યસ્ત શેડ્યૂલ

T20 વર્લ્ડ કપ પછી તરત જ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સામે સિરીઝ રમવાની છે. આ પછી BCCIની આ સિઝન સમાપ્ત થઈ જશે. ભારતીય ટીમની આગામી સિઝન સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે અને આ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી સુધી કુલ શ્રેણી રમવાની છે. તેની શરૂઆત બાંગ્લાદેશથી થશે, જેની સામે 19 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી ઘરઆંગણે 2 ટેસ્ટ અને 3 T20 મેચ રમાશે.

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાંચ સિરીઝ રમશે

બાંગ્લાદેશ શ્રેણીના માત્ર ચાર દિવસ બાદ એટલે કે 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 3 ટેસ્ટ મેચ રમશે. આ સમાપ્ત થતાની સાથે જ આઠમી નવેમ્બરથી દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ શરૂ થશે. જે બાદ 22 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે ઈંગ્લેન્ડની ટીમ 5 T20 અને 3 ODI મેચ માટે ભારતનો પ્રવાસ કરશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને નવેમ્બર-ડિસેમ્બરમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા પણ જવાનું છે. આ રીતે ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કુલ 5 સિરીઝ રમવાની છે.

આ પણ વાંચો: T20 World Cup 2024 : જ્યાં રોહિત-વિરાટ રહ્યા નિષ્ફળ, ત્યાં સૂર્યાએ ફટકારી ફિફ્ટી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
g clip-path="url(#clip0_868_265)">