WI vs IND: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવી હશે ભારતીય પ્લેઈંગ 11? આ 5 બોલર સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, રોહિત શર્માએ આપ્યા મોટા અપેડટ!

Team India Playing XI Prediction: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ મેચના એક દિવસ અગાઉ મીડિયા સમક્ષ વાતો કરવા દરમિયાન ટીમમાં કોણ સામેલ હોઈ શકે છે એ બતાવવાનો પુરો પ્રયાસ કર્યો છે.

WI vs IND: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવી હશે ભારતીય પ્લેઈંગ 11? આ 5 બોલર સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, રોહિત શર્માએ આપ્યા મોટા અપેડટ!
Team India Playing XI Prediction
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2023 | 9:53 AM

ડોમિનિકામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમનારી છે. આ દરમિયાન ભારતીય ટીમની અંતિમ ઈલેવન કેવી હશે એ અંગે અંદાજ એક સપ્તાહથી ક્રિકેટ ચાહકો લગાવી રહ્યા છે. પરંતુ મેચના એક દિવસ અગાઉ જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મોટાભાગના સંકેતો આપી દીધા છે કે, કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન. રોહિત શર્માએ વાતો વાતોમાં પ્લેઈંગ ઈલેવનને લઈ મોટાભાગના સવાલો સ્પષ્ટ કરી દીધા છે. ખાસ કરીને ભારતીય ટીમ કેવા સમીકરણ સાથે મેદાને ઉતરશે એ ચિત્ર મહંદઅંશે સાફ કરી દીધુ છે.

ભારતીય સુકાનીએ ડોમિનિકા ટેસ્ટમાં કયા નંબર પર કોણ બેટિંગ કરશે અને કેવો બેટિંગ ઓર્ડર હશે એ ઉપરાંત કેટલા સ્પિનર અને ઝડપી બોલર હશે એ અંગેના સંકેત પણ આપી દીધા છે. જોકે ચેતેશ્વર પુજારાના સ્થાને ત્રીજા ક્રમે બેટિંગ શુભમન ગિલ કરશે અને કેવી રીતે આ પોઝિશન માટે પસંદ થયો એના કારણ પણ તેણે દર્શાવ્યા હતા. આ દરમિયાન રોહિત શર્માએ સંકેત વડે ભારતીય ટીમ 5 બોલ સાથે મેદાને ઉતરવાની યોજના ધરાવે છે એ ક્લીયર થઈ ગયુ હતુ.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

રોહિત સાથે કોણ ઓપનિંગ કરશે?

પ્લેઈંગ ઈલેવનને સમજવાની શરુઆત ઓપનિંગ ઓર્ડરથી કરીએ. રોહિત શર્મા સાથે આમ તો શુભમન ગિલ ઓપનર તરીકે ઉતરશે એમ જ માનવામાં આવી રહ્યુ હતુ. પરંતુ ગિલે સામે ચાલીને ઓપનિંગને બદલે ત્રીજા ક્રમે રમવા માટે રાહુલ દ્રવિડને કહ્યુ હતુ. દ્રવિડે પણ તેની ઈચ્છાને સ્વિકારી લીધી હતી. ગિલ ઓપનર નહીં ત્રીજા ક્રમે રમશે એમ રોહિત શર્માએ મીડિયાને બતાવ્યુ હતુ. આમ ડેબ્યૂ ટેસ્ટ મેચ રમનાર યશસ્વી જયસ્વાલ સુકાની રોહિત સાથે ઓપનિંગ જોડીના રુપમાં બેટિંગ કરવા માટે ઉતરશે.

આમ પ્રથમ ત્રણ સ્થાન બાદ ચોથા ક્રમે સ્ટાર બેટર વિરાટ કોહલી નક્કી છે. તે હંમેશા આ ક્રમે જ બેટિંગ કરવા માટે ઉતરી રહ્યો છે. પાંચમાં ક્રમે વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે બેટિંગ કરવા માટે ઉતરશે. છઠ્ઠા ક્રમે વિકેટકીપર બેટર તરીકે કોણ ઉતરશે એ સવાલ છે. જોકે રોહિત શર્માએ ઈશાન કિશન અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી. આવી સ્થિતીમાં ઈશાનને ડેબ્યૂ ટેસ્ટ રમવા મળવાની તક ઓછી લાગી રહ્યા છે. આમ કેએલ ભરત અંતિમ ઈલેવનનો હિસ્સો હોઈ શકે છે.

જાડેજા, અશ્વિન સહિત 5 બોલર સામેલ હશે

રોહિત શર્માએ કહ્યુ હતુ કે, તેઓ 2 સ્પિનર સાથે ઉતરવાની યોજના ધરાવે છે. આમ રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા બંને સ્પિનર તરીકેની ટીમનો હિસ્સો હશે. અશ્વિનને શાર્દૂલ ઠાકુરના સ્થાન પર સમાવેશ કરવામાં આવી શકે છે.

ઝડપી બોલર કોણ હોઈ શકે છે, એ અંગે સીધી કોઈ જ વાત ભારતીય કેપ્ટને મીડિયા સાથેની વાતચીતમાં બતાવી નથી. પરંતુ રોહિતે કેટલાક નામનો ઉલ્લેખ જરુર કર્યો હતો. મોહમ્મદ સિરાજ સાથે રાજકોટથી આવતા ઝડપી બોલર જયદવે ઉનડકટને સ્થાન મળી શકે છે. કારણ કે રોહિત શર્માએ તેના અનુભવ અંગેની વાતચિત કરી હતી. આમ રોહિતની વાત પરથી જયદેવને સ્થાન મળવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આવી જ રીતે મુકેશ કુમારના ઘરેલુ ક્રિકેટના અનુભવની વાત કરી હતી.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (કીપર), આર.કે. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટર નહી વોર્ડ બોય અને ફાર્માસિસ્ટ આપે છે દવા, તબિબ વિના સ્થાનિકો પરેશાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">