Hardik Pandya: હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં ક્યારે ફરશે? ટીમ સિલેક્ટર ચેતન શર્માએ આપ્યો જવાબ, રણજી ટ્રોફીમાં નહી રમવાને લઇને કહી આ વાત

ICC T20 વર્લ્ડ કપ બાદથી હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટીમ ઈન્ડિયા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો નથી અને તે રણજી ટ્રોફી (Ranji Trophy) પણ નથી રમી રહ્યો.

Hardik Pandya: હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં ક્યારે ફરશે? ટીમ સિલેક્ટર ચેતન શર્માએ આપ્યો જવાબ, રણજી ટ્રોફીમાં નહી રમવાને લઇને કહી આ વાત
Hardik Pandya રણજી ટ્રોફીમાં પણ નથી હિસ્સો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 10:12 PM

શ્રીલંકાની ક્રિકેટ ટીમ (Sri Lanka Cricket Team) ભારતના પ્રવાસે આવનાર છે. આ માટે ભારતીય ટીમ (Indian Cricket Team) ની પસંદગી ભારતીય ક્રિકેટ બોર્ડે કરી દીધી છે. રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટ ટીમનો નવો કેપ્ટન છે. જ્યારે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને ટીમની બહાર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના મહત્વના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને લઇને પણ ચર્ચાઓ અને સવાલો થઇ રહ્યા છે. જેના પર મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ હાર્દિક પંડ્યાનુ સિલેક્શન ક્યારે કરવામાં આવશે એ અંગે પણ વાત કહી છે. હાર્દિક પંડ્યા હાલમાં રણજી ટ્રોફીમાં પણ રમી રહ્યો નથી તો, ટી20 વિશ્વકપ બાદ થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દુર છે.

શનિવારે ટીમની જાહેરાત કર્યા બાદ ચેતન શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં રણજી ટ્રોફી રમવા પર વધુ ભાર મૂક્યો હતો. જોકે, હાર્દિક રણજી ટ્રોફી નથી રમી રહ્યો અને જ્યારે ચેતન શર્માને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ વિશે ખેલાડીને પૂછવું જોઈએ.

હાર્દિકની ટીમનો મહત્વનો ભાગ

હાર્દિક વિશે ચેતન શર્માએ કહ્યું, હાર્દિક ચોક્કસપણે ભારતીય ટીમનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. તેની ઇજા પછી, હું કહીશ કે એકવાર અમને ખાતરી થશે કે તે 100 ટકા ફિટ છે અને રમવા માટે તૈયાર છે અને બોલિંગ કરી શકે છે, પછી તેના નામ પર વિચાર કરવામાં આવશે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

તેને પૂછો કે શા માટે રમતો નથી

જ્યારે ચેતનને પૂછવામાં આવ્યું કે હાર્દિક શા માટે રણજી ટ્રોફી નથી રમી રહ્યો તો તેણે કહ્યું, તમે હાર્દિકને પૂછી શકો છો કે તે રણજી ટ્રોફી કેમ નથી રમી રહ્યો. અમે એવા લોકોને જોઈ રહ્યા છીએ જેઓ રણજી ટ્રોફી રમી રહ્યા છે અને ત્યાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. સ્પર્ધા જોઈને અને છોકરાઓ કેવું પ્રદર્શન કરી રહ્યા છે તે જોઈને અમને આનંદ થશે.

હાર્દિક IPL માં રમશે

હાર્દિક પંડ્યા IPL-2022 માં રમતા જોવા મળી શકે છે. આ વર્ષે તે IPL થી જ પરત ફરશે. હાર્દિકને આ વખતે IPLની નવી ટીમ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તે અત્યાર સુધી મુંબઈ તરફથી રમ્યો હતો. હાર્દિક ટી20 વર્લ્ડ કપમાં રમ્યો હતો પરંતુ તેની ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા હતા. તેને બોલિંગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. હવે જોવાનું એ રહેશે કે હાર્દિક બેટ અને બોલ બંને સાથે IPLમાં વાપસી કરે છે કે કેમ.

આ પણ વાંચોઃ Asian Games: 8 વર્ષે એશિયન ગેમ્સમાં ક્રિકેટ પરત ફર્યુ, આ મહત્વના કારણથી ટીમ ઇન્ડિયાના રમવા પર સસ્પેન્સ

આ પણ વાંચોઃ Sabarkantha: ચૂહા અને બિલ્લા ગેંગ સાબરકાંઠા પોલીસના સકંજામાં, 8.86 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્શોની ટોળકી ઝડપાઇ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">