AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: જય શાહે લગાવ્યો માસ્ટર સ્ટ્રોક! દુબઈમાં ધોનીને વાત કરી અને ટીમ ઈન્ડીયા સાથે મહત્વની ભૂમિકા માટે કર્યો સામેલ

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ વર્ષ 2020માં 15 ઓગષ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું એલાન કર્યુ હતુ. તે ભારતને વર્ષ 2007માં T20 વિશ્વકપ અને વર્ષ 2011માં 50 ઓવરના વિશ્વકપને જીતાડ્યો હતો.

T20 World Cup: જય શાહે લગાવ્યો માસ્ટર સ્ટ્રોક! દુબઈમાં ધોનીને વાત કરી અને ટીમ ઈન્ડીયા સાથે મહત્વની ભૂમિકા માટે કર્યો સામેલ
MS Dhoni-Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 10:54 PM
Share

BCCIએ ICC T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ખેલાડીઓ સાથે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી, જેણે ચાહકોની ખુશી માટે કોઈ હદ રહી નહોતી. BCCIએ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ને ટીમના સ્ટાફમાં મેન્ટર તરીકે સામેલ કર્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ 2007માં ભારતનો પ્રથમ T20 વર્લ્ડ કપ (T20 World Cup) જીત્યો હતો.

નિર્ણય અંગે વાત કરતા BCCIના સચિવ જય શાહે કહ્યું કે મેં દુબઈમાં ધોની સાથે વાત કરી હતી. તે નિર્ણય સાથે સંમત થયો હતો. તે ટીમમાં જોડાવા માટે તૈયાર થયો હતો. મેં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સાથે વાત કરી અને બધાએ નિર્ણયને ટેકો આપ્યો હતો.

ધોનીના અનુભવને ઉપયોગમાં લેવા ઈચ્છે છે BCCI

મહેન્દ્ર સિંહ ધોની ભારતની પ્રથમ T20 મેચનો ભાગ હતો. તેણે 2006માં સાઉથ આફ્રિકા સામે ડેબ્યૂ કર્યું હતું. બીજા જ વર્ષે તેને T20 વર્લ્ડ કપ માટે ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો. તેણે દક્ષિણ આફ્રિકામાં રમાયેલા જે વર્લ્ડકપમાં ભારતને વિજય અપાવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે મર્યાદિત ઓવરોની ક્રિકેટના માટે રણનીતિ તૈયાર કરવામાં તેના અનુભવને જોતા તેને આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો છે. તે જાણે છે કે આઈસીસીની મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં જીત કેવી રીતે મેળવી શકાય છે. જેમાં કોહલી એટલો અનુભવી નથી.

T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, આર અશ્વિન, રાહુલ ચહર, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી.

સ્ટેન્ડ બાય ખલાડીઃ શ્રેયસ ઐયર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.

આ પણ વાંચોઃ T20 World Cup 2021 માટે ટીમ ઇન્ડીયાનુ BCCI એ કર્યુ એલાન, 15 ધૂરંધરોના બળ પર જીતાશે વિશ્વકપ!

આ પણ વાંચોઃ IPL 2021: ટૂર્નામેન્ટની 31 મેચ દરમ્યાન 30 હજાર કોરોના ટેસ્ટ કરાશે, આ રીતે બીજા તબક્કામાં કોરાના સામે કરાશે રક્ષણ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">