T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પર વિરાટ કોહલીએ આપ્યુ મોટુ નિવેદન, દબાણ ભરી મેચને લઇને કહ્યુ આમ

|

Oct 16, 2021 | 11:02 PM

પાકિસ્તાન (Pakistan) ની ટીમ આજ સુધી વર્લ્ડકપ (World Cup) માં ભારત સામે રમાયેલી મેચ જીતી શકી નથી, જ્યારે વિશ્વકપમાં ભારત હંમેશા જીત્યું છે.

T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પર વિરાટ કોહલીએ આપ્યુ મોટુ નિવેદન, દબાણ ભરી મેચને લઇને કહ્યુ આમ
Virat Kohli

Follow us on

જ્યારે પણ ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની ક્રિકેટ ટીમો સામસામે હોય છે ત્યારે આ મેચનો રોમાંચ બાકીની મેચો કરતા ઘણો વધારે હોય છે. બંને દેશો વચ્ચે રાજકીય પરિસ્થિતિ સારી નથી અને તેથી બંને ટીમોએ લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. આવી સ્થિતિમાં, બંને ટીમો માત્ર ICC માટે અથવા એશિયા કપ (Asia Cup) માં એક ઇવેન્ટમાં એકબીજાનો સામનો કરે છે. આઈસીસી ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) રવિવારથી શરૂ થઈ રહ્યો છે.

આ વર્લ્ડ કપ ફરી એક વખત એક મહાસંગ્રામ બનવા જઈ રહ્યો છે. ભારત 24 ઓક્ટોબરથી દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે પોતાનું અભિયાન શરૂ કરશે. આ મેચને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે અને હવે ટીમ ઈન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ આ મેચ વિશે વાત કરી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ પહેલા ખૂબ જ રોમાંચક વાતાવરણ સર્જાય છે અને તેની દરેકની મોં પર બસ એક જ વાત રહેતી હોય છે. પરંતુ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આ મેચને અન્ય મેચોની જેમ લઈ રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોહલી એ આઈસીસી દ્વારા આયોજિત કેપ્ટન્સ કોન્ફરન્સમાં કહ્યું કે, મેં હંમેશા પાકિસ્તાન સામે રમાયેલી મેચને સામાન્ય મેચ તરીકે લીધી છે. હું જાણું છું કે આ મેચને લઈને ઘણી હાઇપ સર્જાય છે. મને નથી લાગતું કે અમે આ મેચમાંથી વધારાનું કંઈ લઈ શકીએ. બહારનું વાતાવરણ ચાહકોના દૃષ્ટિકોણથી એકદમ અલગ છે. અમે ખેલાડીઓ શક્ય તેટલા વ્યાવસાયિક બનવાનો પ્રયત્ન કરીએ છીએ.

વર્લ્ડ કપમાં પાકિસ્તાન જીતી શક્યું નથી

જો પાકિસ્તાનનો વર્લ્ડકપ ઇતિહાસ જોવામાં આવે તો, તે ક્યારેય ભારત સામે વર્લ્ડકપની મેચ જીતી શક્યા નથી. જેમાં ટી20 વર્લ્ડકપ અને વનડે વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. બંને ટીમો 12 વખત એકબીજાનો સામનો કરી ચૂકી છે. વનડે વર્લ્ડ કપમાં સાત વખત અને ટી20 વર્લ્ડ કપમાં પાંચ વખત. પરંતુ પાકિસ્તાન એક પણ વખત જીતી શક્યું નથી.

ભારતે 2007 માં ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. તેણે ફાઈનલમાં જ પાકિસ્તાનને હરાવ્યું હતું. એક જ સિઝનમાં, બંને ટીમો ફાઇનલ પહેલા એક વખત વધુ મળી હતી અને તેમાં પણ ભારતે બોલ આઉટ પહોંચેલી મેચને જીતી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફી જીત

આઇસીસી ઇવેન્ટની વાત કરીએ તો, આ બંને ટીમો છેલ્લે 2019 વર્લ્ડ કપમાં રૂબરૂ થઇ હતી.તેમાં ભારતે જીત મેળવી હતી. આ દરમિયાન આ મેચ પહેલા, ભારત અને પાકિસ્તાને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2017 ની ફાઇનલમાં પણ ટક્કર કરી હતી અને પાકિસ્તાન તેમાં જીત્યું હતું.

 

આ પણ વાંચોઃ   IPL 2021: ચેમ્પિયન ચેન્નાઇ જ નહી કોલકાતાને પણ આટલા કરોડનુ ઇનામ મળ્યુ, પ્રદર્શનના બદલામાં ખેલાડીઓને મળ્યા રોકડ ઇનામ

 

આ પણ વાંચોઃ  IPL 2021: ફાઇનલ જંગમાં કોલકાતાના આ બે દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે ચાલી રહ્યુ હતુ ‘આંતરીક’ યુદ્ધ ! સહેવાગે કર્યો દાવો

 

 

Published On - 11:00 pm, Sat, 16 October 21

Next Article