AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: ભારત અને પાકિસ્તાન માટે ઓમાન ક્રિકેટે આપ્યો જબરદસ્ત સંદેશ, ચાહકોને શિખવી રહી છે એકતાનો પાઠ

જોકે ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની સ્થિતિ વિભાજન પછી સારી નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંબંધ સતત બગડતો જઇ રહ્યો છે.

T20 World Cup 2021: ભારત અને પાકિસ્તાન માટે ઓમાન ક્રિકેટે આપ્યો જબરદસ્ત સંદેશ, ચાહકોને શિખવી રહી છે એકતાનો પાઠ
Oman Cricket Team
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 9:02 AM
Share

T20 વર્લ્ડકપ (T20 World Cup) માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે શાનદાર મેચ 24 ઓક્ટોબરે રમાવાની છે. જ્યારથી ICC એ વર્લ્ડ કપનું સમયપત્રક બહાર પાડ્યું છે, ત્યારથી ચાહકો આ માટે ખૂબ જ ઉત્સુક છે. માત્ર ક્રિકેટ જ નહીં, જ્યારે પણ કોઈ રમતમાં ભારત અને પાકિસ્તાન સામસામે આવે છે, ત્યારે તે મેચ ઓછી અને યુદ્ધ વધુ બની જાય છે. વર્ષો પહેલા બંને દેશો એક હતા, જેમાં આજે કડવાશ ભરાઇ ચૂકી છે. આજે બંને દેશના ખેલાડીઓ, ખાસ કરીને ક્રિકેટરો એકબીજાના દેશમાં જતા અચકાતા હોય છે.

વર્લ્ડ કપના આ મહામુકાબલા પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને બાબર આઝમ બંનેએ સ્પષ્ટ કરી દીધું હતું. કે તેમના માટે આ મેચ અન્ય મેચની જેમ છે. જોકે તે જાણે છે કે, હકિકતમાં આવું નથી. એક તરફ ભારત-પાકિસ્તાન ક્રિકેટ ચાહકો આ મેચને યુદ્ધનું મેદાન બનાવવામાં વ્યસ્ત છે. તો બીજી તરફ આ વર્લ્ડ કપમાં એક એવી ટીમ છે, જે વિશ્વને ભારત-પાકિસ્તાન એકતાનો સંદેશ આપી રહી છે.

ઓમાનની ટીમ એક ઉદાહરણ છે

જે લોકો એવું વિચારે છે કે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ ક્યારેય સાથે નથી આવી શકતા. તેઓએ વર્તમાન T20 વિશ્વકપમાં રમી રહેલી ઓમાન (Oman Cricket Team) ની ટીમના વિશે જાણવું જોઈએ. મંગળવારે રમવા માટે ઉતરેલી ઓમાન ટીમમાં પાંચ ખેલાડીઓ પાકિસ્તાનમાં અને છ ખેલાડીઓ ભારતમાં જન્મેલા હતા.

ઓમાન ટીમમાં સામેલ જતીન્દર સિંહ (લુધિયાણા), કે પ્રજાપતિ (ગુજરાત), સંદીપ ગૌર (હૈદરાબાદ), અયાન ખાન (ભોપાલ) નો જન્મ ભારતમાં થયો હતો. બિલાલ ખાન (પાયશ્વર), ફયાઝ ભટ્ટ (સિયાલકોટ) મોહમ્મદ નદીમ (સિયાલકોટ) નસીન ખુશી (સિયાલકોટ) જેવા ખેલાડીઓ પાકિસ્તાનના છે. ઓમાનની ટીમે સાબિત કર્યું છે, કે ભારત અને પાકિસ્તાન એક સાથે આવીને કમાલ કરી શકે છે. આ ટીમ બંને દેશોને એકતાનો પાઠ ભણાવતી હોય તેવું લાગે છે.

ટુર્નામેન્ટમાં સફર

શાકિબ અલ હસનની ઓલરાઉન્ડર રમતે મંગળવારે આT20 વર્લ્ડ કપની ગ્રુપ બી મેચમાં ઓમાનને 26 રનથી હરાવ્યુ હતુ. આ સાથે બાંગ્લાદેશે સુપર 12 માં પહોંચવાની આશા જાળવી રાખી હતી. ઓમાનની ટીમ સામે બાંગ્લાદેશ 20 ઓવરમાં 153 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પરંતુ તેઓએ લક્ષ્યનો શાનદાર બચાવ કર્યો હતો, જેના કારણે ઓમાનને નવ વિકેટે માત્ર 127 રન બનાવ્યા હતા.

આ પહેલા ઓમાને રવિવારે T20 વર્લ્ડ કપના ગ્રુપ બીની પ્રથમ મેચમાં જતીન્દર સિંહ (અણનમ 73) અને આકિબ ઇલ્યાસ (અણનમ 50) વચ્ચે 131 રનની અણનમ ભાગીદારી સાથે ઘરેલુ પરિસ્થિતિઓનો ભરપૂર લાભ લીધો હતો. પાપુઆ ન્યુ ગિનીને 10 વિકેટથી હરાવીને બે પોઈન્ટ મેળવ્યા હતા.

કેપ્ટન અસદ વાલાની 56 રનની અડધી સદીની મદદથી બેટિંગ માટે આમંત્રિત કર્યા બાદ, પાપુઆ ન્યૂ ગિનીએ નવ વિકેટે 129 રન બનાવ્યા હતા. ઓમાને 13.4 ઓવરમાં 131 રન બનાવીને વિકેટ ગુમાવ્યા વગર જતિન્દર અને ઇલ્યાસ દ્વારા 85 બોલમાં અણનમ ભાગીદારી નોંધાવી હતી.

આ પણ વાંચોઃ Team India: ભારતીય ટીમના ખેલાડીઓની જર્સી પર જોવા મળતા ત્રણ સ્ટારનુ શુ છે મહત્વ ? શા માટે અંકિત કરવામાં આવે છે, જાણો

આ પણ વાંચોઃ T20 World Cup 2021: 12 વર્ષની બાળકીએ ડિઝાઇન કરી દીધી વિશ્વકપ ટીમની સ્ટાઇલિસ્ટ જર્સી સહીતની કિટ, જર્સી ફેમસ થતા આવી ચર્ચામાં

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">