T20 World Cup: રોહિત શર્માને ઓપનિંગમાં થી હટાવવાનો ‘દાવ’ વિરાટ કોહલી નહી મેંટર ધોનીનો હતો!

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે ઓપનિંગ કરવા આવ્યો ન હતો. જે બાદ વિરાટ કોહલીના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા હતા પરંતુ આ આઈડિયા ધોની (Dhoni) નો હતો!

T20 World Cup: રોહિત શર્માને ઓપનિંગમાં થી હટાવવાનો 'દાવ' વિરાટ કોહલી નહી મેંટર ધોનીનો હતો!
Rohit Sharma-MS Dhoni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 8:04 PM

ટીમ ઈન્ડિયા (Team India) T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં તેની પ્રથમ બે મેચ હારી ચૂકી છે. હવે સેમીફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય છે. ટીમ ઈન્ડિયાની હાર બાદ હંગામો મચી ગયો છે. ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો સતત ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવી રહ્યા છે. સૌથી વધુ હોબાળો એ સવાલ પર છે, જે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં થયો હતો. સવાલ એ છે કે આખરે કોણે અને શા માટે રોહિત શર્મા (Rohit Sharma) ને ઓપનિંગમાંથી હટાવ્યો ? ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ ઈશાન કિશન ને કેએલ રાહુલ સાથે ઓપનિંગ માટે મોકલ્યો હતો.

આ સાથે જ રોહિત શર્મા ત્રીજા નંબર પર ઉતરી ગયો હતો. વિશ્વભરના ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો આ ફેરફારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે ટીમ ઈન્ડિયા 8 વિકેટથી હારી ગઈ હતી. ત્યારે જ આ નિર્ણય પર સવાલો ઉભા થયા હતા. બાય ધ વે, તમને જણાવી દઈએ કે હારના બે દિવસ બાદ આ સવાલનો જવાબ મળી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માને ઓપનિંગમાંથી હટાવવાનો વિચાર મેન્ટર એમએસ ધોની (MS Dhoni) એ આપ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ ઈશાન કિશન તરફથી ઓપનિંગ કરવાનો અને રોહિત શર્માને નંબર 3 પર ઉતારવાનો આઈડિયા સૌથી પહેલા ધોનીએ આપ્યો હતો. ત્યારબાદ આખી ટીમ તેના માટે સંમત થઈ ગઈ હતી. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ ધોનીની વાતને સમર્થન આપ્યું હતું.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ટીમ ઈન્ડિયાને ભારે પડ્યો ધોનીનો આઈડિયા!

જો કે, ધોનીનો આ આઈડિયા ટીમ ઈન્ડિયા માટે આત્મઘાતી સાબિત થયો. ઈશાન કિશન ઓપનિંગમાં માત્ર 8 બોલ જ રમી શક્યો હતો. તે માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત શર્મા પણ માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી, કેએલ રાહુલ કોઈ જ બેટ વડે રમી શક્યા ન હતા. ભારતીય ટોપ ઓર્ડરના ચારેય બેટ્સમેનો મોટા શોટ રમવા માટે આઉટ થઈ ગયા હતા.

ધોનીને ટી20 વર્લ્ડ કપ 2021 માટે મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને દરેકને ટીમ પાસેથી ઘણી આશાઓ હતી. પરંતુ તેના આવવાથી કોઈ ફાયદો થયો ન હતો. ટીમ ઈન્ડિયા પહેલાથી જ બે મેચ હારી ચૂકી છે. તેને પાકિસ્તાને 10 વિકેટે પરાજય આપ્યો હતો અને કિવી ટીમ સામે પણ તેને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. બે મેચ હાર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય છે.

ટીમ ઈન્ડિયા એ તેની આગામી મેચ અબુધાબીમાં અફઘાનિસ્તાન સામે રમવાની છે. આ મેચ પણ ભારતીય ટીમ માટે મુશ્કેલ બની રહી છે. કારણ કે અફઘાન ટીમ ફોર્મમાં છે અને તેણે ત્રણમાંથી બે મેચ જીતી છે. જો વિરાટ કોહલી ફરી એકવાર ટોસ હારી જાય અને અફઘાન ટીમ પહેલા ફિલ્ડીંગ કરવાનું પસંદ કરે તો પરિણામ કંઈ પણ આવી શકે છે.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: વિરાટ કોહલીની જડતા ભાંગીને પસંદ કરાશે પ્લેયીંગ ઇલેવન, ટીમ ઇન્ડિયામાં થશે આ મોટો બદલાવ!

આ પણ વાંચોઃ IPL 2022: મહેન્દ્રસિંહ ધોની નથી ઇચ્છતો કે ચેન્નાઇ સુપર કિંગ્સ તેને રિટેઇન કરે, કહ્યુ હતુ મારી પર પૈસા બરબાદ ના કરો

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">