AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: વિરાટ અને અનુષ્કા શર્માને લઈને શોએબ અખ્તરનું મોટું નિવેદન, કહ્યું- જો હું હોત તો આમ લગ્ન ન કર્યા હોત

વિરાટ કોહલી (Virat Kohli) માટે આ મુશ્કેલ સમય રહ્યો છે. હવે તેની પાસે ન તો સુકાની છે અને ન તો તેનું બેટ ચાલી રહ્યું છે.

IND vs SA: વિરાટ અને અનુષ્કા શર્માને લઈને શોએબ અખ્તરનું મોટું નિવેદન, કહ્યું- જો હું હોત તો આમ લગ્ન ન કર્યા હોત
Shoaib Akhtar કોહલીની કેપ્ટનશીપ વિવાદ સમયે આ વાત કહી છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 8:36 PM
Share

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) માટે છેલ્લા કેટલાક મહિના સારા રહ્યા નથી. એક તરફ તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા તો બીજી તરફ ત્રણેય ફોર્મેટની કેપ્ટન્સી પણ તેના હાથમાંથી જતી રહી છે. આ સમયે તેના પર પ્રદર્શન કરવાનું દબાણ છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે (Shoaib Akhtar) વિરાટ કોહલી પર આવું નિવેદન આપ્યું હતું, જેને સાંભળીને ચાહકો ચોંકી ગયા હતા. અખ્તરે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા (Anushka Sharma) ના લગ્નને લઈને સવાલો ઉઠાવ્યા છે.

વિરાટ કોહલીએ પ્રથમ IPLમાં પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડી દીધી હતી. તે જ સમયે, તે પછી તેણે T20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાની પણ જાહેરાત કરી હતી, ત્યારબાદ તેની પાસેથી ODIની કેપ્ટન્સી પણ છીનવી લેવામાં આવી હતી. તેણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી બાદ આ ફોર્મેટની કેપ્ટન્સી પણ છોડી દીધી હતી. શોએબ અખ્તરે કહ્યું કે જો તે કોહલીની જગ્યાએ હોત તો ક્યારેય કેપ્ટન્સી ન કરી શક્યો હોત. આ સાથે તેણે કોહલીના લગ્ન કરવાના નિર્ણય પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

શોએબ અખ્તર કોહલીની કેપ્ટનશીપના પક્ષમાં ન હતો

તેણે દૈનિક જાગરણને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘દરેક વ્યક્તિ જાણે છે કે વિરાટ સાથે શું થઈ રહ્યું છે. હું તેની કેપ્ટનશિપના પક્ષમાં ન હતો. જો હું તેની જગ્યાએ હોત તો મેં આટલા જલ્દી લગ્ન ન કર્યા હોત, માત્ર રન બનાવ્યા હોત અને ક્રિકેટની મજા માણી હોત, પરંતુ એવું નથી કે તેણે લગ્ન કરીને કંઈ ખોટું કર્યું છે. પરંતુ જો હું વિરાટની જગ્યાએ હોત તો મેં કેપ્ટનશિપ ન કરી હોત, બસ તે સમયનો આનંદ માણ્યો હોત.

ઘણા લોકો વિરાટ કોહલીની વિરુદ્ધ છે

આ પહેલા શોએબ અખ્તરે મીડિયા અહેવાલ મુજબ એક વાતચીતમાં પણ કહ્યું હતું કે, ‘હું T20 વર્લ્ડ કપ દરમિયાન દુબઈમાં હતો અને મને ખબર પડી કે જો ભારતીય ટીમ આ વર્લ્ડ કપ નહીં જીતે તો વિરાટ માટે મોટી સમસ્યા થઈ શકે છે. તેની વિરુદ્ધ ઘણા લોકો છે, જેના કારણે તેણે કેપ્ટનશિપ છોડી દીધી. દરેક સ્ટાર ખેલાડીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કોહલીએ એક બહાદુર વ્યક્તિની જેમ આ મુશ્કેલ સમયનો સામનો કરવાની જરૂર છે. તે તેના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને વિરાટે તેમાંથી મજબૂત રીતે બહાર આવવું જોઈએ.

આ પણ વાંચોઃ Australian Open:સાનિયા મિર્ઝા-રાજીવ રામની જોડીએ જીતનો સિલસિલો ચાલુ રાખ્યો, મિક્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી

આ પણ વાંચોઃ Syed Modi Tournament: પીવી સિંધુએ ખિતાબ જીત્યો, માલવિકા ઉલટફેર કરવામાં નિષ્ફળ રહી

Follow Us
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
g clip-path="url(#clip0_868_265)">